ભેંસાણ-જુનાગઢ રોડનું કામ શરૂ કરવા વન વિભાગે આર એન્ડ બી મંજૂરી આપતા કામ પૂન કાર્યરત થશે
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢથી ભેસાણ થઈ પરબ વાવડી સુધી 41 કરોડના ખર્ચે મંજૂર થયેલ રોડનું શરૂ થયેલ કામ વનવિભાગે હદરેખા પ્રશ્ર્ને અટકાવી દીધું હતું. જે બાબતે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ સરકાર ને રજૂઆત કરતા વન વિભાગે આજે આર એન્ડ બી ને મંજૂરી આપી દેતાં અંતે ધી ના ઠામ માં ધી પડી ગયું છે.10 મીટર પહોળાઈ સાથે 34 કિ.મી લંબાઈ નો રોડ મંજુર થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક નું કામ શરૂ કરાવ્યું હતું.
પરંતુ 4.5 મીટર વધારાની લંબાઈ સાથે નવો બનાવવાનું શરૂ થતા વંનત્તંત્રના અધિકારીઓએ અમુક ફૂટ જગ્યા વન વિભાગની હદમા આવતી હોવા થી મંજૂરી માગ્યા બાદજ કામ શરૂ કરવાનું જણાવીને કામ અટકાવી દીધું હતું. જે બાદ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ સરકારને રજૂઆત કરીને વન વિભાગ નો પ્રશ્ર્ન તાત્કાલિક ઉકેલવા માગણી કરી હતી સરકારની દરમિયાનગીરી બાદ આ જટીલ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરીને વન વિભાગે આર એન્ડ બી ને કામ શરૂ કરવા મંજૂરી આપી દેતા આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે અને રોડનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે.