વિશેષ: જીજ્ઞાશા દવેરા
ભારતમાં 90%થી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછા એક વખત ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો છે
- Advertisement -
કાઉન્સેલિંગ સેન્ટરોના કહેવાનુસાર ઘરેલું હિંસા સંબંધિત લગભગ 40% ફરિયાદો પુરુષો સાથે સંબંધિત
વિશ્ર્વમાં અન્ય દેશોની જેમ ભારત પણ ઘરેલું હિંસાની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. મહિલાઓ સાથેની હિંસા રોકવા માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ પુરુષો પણ ઘરેલું હિંસાનો ભોગ બને છે.
ઘરેલું હિંસા કે મહિલાઓ સામે થતી હિંસા અંગે અવારનવાર વાતો થાય છે એટલું જ નહીં કડક કાયદાઓ પણ બન્યા છે છતાં તેમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ આ ઘરેલું હિંસાની એક બાજુ એ છે કે ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓમાં માત્ર મહિલાઓ જ નથી પરંતુ પુરુષો પણ હોય છે. પરંતુ તેમનો અવાજ એટલો શાંત હોય છે કે સમાજ કે કાયદા તેને સાંભળી શકતો નથી. કૌટુંબિક સમસ્યાઓના નિરાકરણના હેતુથી ચાલતા તમામ કાઉન્સેલીંગ સેન્ટરો અનુસાર ઘરેલું હિંસા સંબંધિત લગભગ ચાલીસ ટકા ફરિયાદો પુરુષો સાથે સંબંધિત છે એટલે કે પુરુષ ઘરેલું હિંસાના ભોગ બને છે અને મહિલાઓ સતામણી કરે છે. ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુરુષોની સંખ્યા શોધવા માટે ભારતમાં હજુ સુધી કોઈ સરકારી અભ્યાસ કે સર્વે કરવામાં આવેલા નથી તેમ છતાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ‘સેવ ઈન્ડિયન’ ફેમિલી ફાઉન્ડેશન અને ‘માય નેશન’ નામની ગૠઘ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 90%થી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછા એક વખત ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે આ શખ્સોએ પોલીસ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર આવી ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ તેમની વાત પર વિશ્ર્વાસ ન કર્યો અને ફરિયાદ કરનાર શખ્સને હાસ્યને પાત્ર બનાવવામાં આવ્યો.
- Advertisement -
નેશનલ ક્રાઈમ સ્કોડ બ્યુરો (ગઈજઇ)ના ડેટા અનુસાર દેશમાં પુરુષોની આત્મહત્યાનો દર મહિલાઓ કરતાં બમણાંથી વધુ છે. તેની પાછળના ઘણા કારણોમાં એવું કહેવામાં આવે છે કે પુરુષો ઘરેલું હિંસાનો ભોગ બને છે જેના વિશે તેઓ કોઈપણ ફોરમ પર ફરિયાદ પણ કરી શકતાં નથી. જો કે એવું નથી કે કોઈને પુરુષો સાથેની હિંસા વિશે જાણ નથી કે તેની સામે કોઈ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી, પરંતુ આ અવાજ વધવામાં ખૂબ જ ધીમો છે અને તે પછી તે ખૂબ જ ઝડપથી શાંત પણ થઈ જાય છે. મેન્સ કમિશનની માંગના સમર્થનમાં આપવામાં આવેલી દલીલોમાંથી સૌથી મોટી દલીલ એ છે કે મહિલાઓને સુરક્ષા આપવા માટે બનાવવામાં આવેલા કાયદાના દુરુપયોગને કારણે પુરુષો પરેશાન થાય છે. આ કાયદાઓમાં દહેજ કાયદો એટલે કે કલમ 498-એ સૌથી અગ્રણી છે. સુપ્રીમ કોર્ટના વકીલ દિલીપકુમાર દુબે કહે છે, અમેરિકન કાયદો જે આ કાયદાને પ્રેરિત કરે છે તે તટસ્થ છે અને તેમાં પુરુષોની ઉત્પીડનના કિસ્સાઓ પણ જોવા મળે છે. પરંતુ અહીં તે એકતરફી બની ગયું છે. જ્યારે દહેજ ઉત્પીડન સંબંધિત મોટાભાગના કેસ છે એ કોર્ટની નજરમાં ખોટા બતાવવામાં આવે છે.
લગભગ ચાર વર્ષ પહેલાં ઘરેલું હિંસા અથવા ઉત્પીડનનો ભોગ બનેલા પુરુષોની મદદ કરવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાએ જઈંઙ નામની એક એપ બનાવી હતી. જેના દ્વારા આવા પુરુષો તેમની પીડા નોંધાવી શકે છે. આ સંસ્થા આવા માણસોને કાયદાકીય મદદ પણ પૂરી પાડતી હતી. સંસ્થાના વડા અમીતકુમારનું કહેવું છે કે આ એપ દ્વારા 25 રાજ્યોના 50 શહેરોમાં 50 ગૠઘનો કાનુની મદદ માટે સંપર્ક કરી શકાય છે. તેમનો દાવો છે કે હેલ્પલાઈન શરૂ થયાના 50 દિવસમાં તેમને 16000થી વધુ ફોન કોલ આવ્યા હતા. અમિતકુમાર કહે છે કે અત્યાર સુધી લોકોને કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવી છે અને ઘણા પરિવારોનું કાઉન્સેલીંગ કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.