By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    10 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    9 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    10 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    10 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    10 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
રાજકોટ

પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી

Khaskhabar Editor
Last updated: 2025/07/22 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કડવા પાટીદાર સમાજની આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સમાજના સર્વાંગી વિકાસ અર્થે અનેક સામાજિક, સેવાકીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. સમાજના સર્વાંગી વિકાસને વેગ આપવાના શુભ હેતુથી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા બંધારણીય સુધારાઓ, નવા હોદ્દેદારોની સર્વાનુમત્તે નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભામાશા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલા સૌથી મોટા તીર્થધામ ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે તા. 19 ને શનિવારના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના ટ્રસ્ટી મંડળની એક અગત્યની મીટીંગ મળી હતી. પાટીદાર સમાજના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયોચિત ફેરફારોને બહાલી અપાઈ હતી. જે મુજબ હવેથી ચેરમેનનું પદ રદબાતલ ગણી પ્રમુખની જવાબદારીને સર્વોપરી ગણાશે તેમજ અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે તથા ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના સ્થાને સર્વાનુમત્તે દિલેર દાતા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉમિયાધામ સિદસરમાં 15 કાયમી ટ્રસ્ટી અને સવાસો જેટલા દાતા ટ્રસ્ટીમંડળનું વિશાળ માળખું ઉપરાંત અઢીસો જેટલા કારોબારી સભ્યો અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાના 757 ગામોમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિનું નેટવર્ક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. ઉમિયાધામ સિદસરમાં 75 વર્ષથી વધુ ઉંમરના સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા ટ્રસ્ટીઓમાં પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ઉપરાંત વિઠ્ઠલભાઈ માકડીયા, જયંતિભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, ધનજીભાઈ પટેલ, રમણીકભાઈ ભાલોડીયા, નરશીભાઈ માકડીયા તેમજ બી. એચ. ઘોડાસરાનો સમાવેશ થાય છે, તદ્ઉપરાંત ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા અને રમેશભાઈ રાણીપાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખપદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણીથી પાટીદારોની સામાજિક પ્રવૃત્તિને નવી ઊર્જા-ઈંજન અને વેગ મળશે

સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ: પ્રમુખની મુખ્ય જવાબદારી

- Advertisement -

ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહિતનાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી

સૌરાષ્ટ્રમાં વસતા બે લાખથી વધુ પરિવારો તથા વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રના પરિવારો માટે સામાજિક દાયિત્વનું કાર્ય કરતું ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણી બાદ ઉકાણીએ ઉમિયાધામ ખાતે જણાવ્યું હતું કે સર્વસમાજને સાથે રાખવો એ પાટીદાર સમાજની સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરાને જાળવી રાખી આગામી દિવસોમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે તમામ જિલ્લાઓ ખાતે નાતજમણના કાર્યક્રમો દ્વારા ઉમિયાધામની પ્રવૃત્તિ અને સંગઠનના વ્યાપને મજબૂત બનાવવા કાર્યક્રમો યોજાશે. તેમણે ખેતીની સાથોસાથ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પણ હરણફાળ ભરનાર પાટીદાર સમાજ રાજ્ય અને દેસના વિકાસમાં સહભાગી બન્યો છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલા શ્રી સવા શતાબ્દી મહોત્સવ વેળાએ રજૂ થયેલા પાટીદાર વિઝન-2027ના મિશનને આગળ ધપાવવા નેમ વ્યક્ત કરી છે.

પાટીદારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીના નામની જાહેરાત થતાં સૌરાષ્ટ્રભરના પાટીદાર સંગઠનો, સંસ્થાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓમાં હર્ષની હેલી વ્યાપી ગઈ છે. અત્રે નોંધનીય છે કે વિખ્યાત આયુર્વેદીક તબીબ ડો. ડાયાભાઈ ઉકાણીએ પણ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી કરી છે. શ્રી મૌલેશભાઈ ઉકાણીએ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પાટીદારોના સમૃદ્ધ પરિવારો તેમજ સ્વયંસેવકોના સમયદાનને સથવારે ઉમિયાધામ સિદસરની વિવિધ પ્રવૃત્તિઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્લાનીંગ અમલી બનાવ્યા છે.

ઉમિયાધામ સિદસરમાં કૌશલ્ય, સ્કીલ અને આવડત મુજબ યુવા વર્ગને સાથે રાખીને પાટીદાર સમાજમાં એક નવી ઊર્જા અને ઈંજનને વેગ આપવા મૌલેશભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યો અને અન્ય સમિતિઓ કાર્યરત બની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરીઓ થશે.

સર્વસમાજને સાથે રાખી ચાલતા મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વથી પાટીદાર સમાજ આત્મનિર્ભરતા તરફ ડગ માંડશે

ભામાશા, સૌરાષ્ટ્રના પાટીદાર રત્ન, માયાળુ પરગજુ સ્વભાવના મુઠી ઉંચેરા માનવી: મૌલેશભાઈ ઉકાણી

નવનિયુક્ત પ્રમુખ દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વમાં ઉમિયાધામ સિદસર વિકાસની હરણફાળ ભરશે

રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, સર્વસમાજને સાથે લઈ ચાલનારા, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી એવા દ્વારકાધીશના પરમભક્ત મૌલેશભાઈ ઉકાણીનું નામ સૌરાષ્ટ્રની જનતા માટે અજાણ્યું નથી. દરેક વર્ગ, દરેક જ્ઞાતિ-સમુદાય સાથે સાયુજ્ય સાધી સમાજ વિકાસને લક્ષ્ય માનનારા, સમાજના નાનામાં નાના માનવીની વ્યથાને વાચા આપનાર મૌલેશભાઈ ઉકાણીનું વ્યક્તિત્વ કોઈ પરિચયને આધીન નથી. તાજેતરમાં જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે તેઓની વરણી થતાં કડવા પાટીદાર સમાજમાં સર્વત્ર હર્ષોલ્લાસ વ્યાપ્યો છે. સર્વસમાજમાંથી મૌલેશભાઈ ઉકાણીને અભિનંદન વર્ષા થઈ રહી છે.

દયા-દાન-દાતારી, વટ-વચન અને વીરતાથી શોભતી મર્યાદા અને મર્યાદાથી શોભતો સામાજિક મોભો એ મૌલેશભાઈનું આભૂષણ છે. માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં, સર્વસમાજ માટે જેમના હૃદયમાં લાગણી અને કંઈક કરી છૂટવાની ભાવના થકી તેઓ સામાન્ય માણસના હૃદયમાં સ્થાન પામ્યા છે, સર્વના પ્રીતિપાત્ર બન્યા છે. દ્વારકાધીશની અસીમ કૃપાપાત્ર જેમનું નામ સદા તેમના મુખે છે તેવા સફળ ઉદ્યોગપતિ, ભામાશા મૌલેશભાઈના નેતૃત્વથી ઉમિયાધામ સિદસર વિકાસની એક નવી કેડી કંડારશે. કડવા પાટીદાર સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસનો એક નવો આયામ સર કરશે. પોતાના ઋજુ સ્વભાવ અને વ્યવસાયિક કુશળતા અને અનુભવ થકી પ્રમુખપદે તેમનું દોરીસંચાર અને માર્ગદર્શન થકી ઉમિયા માતાજી મંદિર સિદસર તથા પાટીદાર સમાજ હરણફાળ ભરી સર્વાંગી વિકાસ ને સર્વોપરી શિખર તરફ દોરી જશે એવી નેમ વ્યક્ત કરતાં સમગ્ર પાટીદાર સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

 

 

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
Next Article રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?