By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    10 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    14 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    1 day ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    9 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    9 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    12 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    12 hours ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 day ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    12 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    1 day ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
રાજકોટ

પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી

Khaskhabar Editor
Last updated: 2025/07/22 at 5:05 PM
Khaskhabar Editor 9 hours ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કડવા પાટીદાર સમાજની આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સમાજના સર્વાંગી વિકાસ અર્થે અનેક સામાજિક, સેવાકીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. સમાજના સર્વાંગી વિકાસને વેગ આપવાના શુભ હેતુથી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા બંધારણીય સુધારાઓ, નવા હોદ્દેદારોની સર્વાનુમત્તે નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભામાશા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલા સૌથી મોટા તીર્થધામ ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે તા. 19 ને શનિવારના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના ટ્રસ્ટી મંડળની એક અગત્યની મીટીંગ મળી હતી. પાટીદાર સમાજના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયોચિત ફેરફારોને બહાલી અપાઈ હતી. જે મુજબ હવેથી ચેરમેનનું પદ રદબાતલ ગણી પ્રમુખની જવાબદારીને સર્વોપરી ગણાશે તેમજ અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે તથા ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના સ્થાને સર્વાનુમત્તે દિલેર દાતા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉમિયાધામ સિદસરમાં 15 કાયમી ટ્રસ્ટી અને સવાસો જેટલા દાતા ટ્રસ્ટીમંડળનું વિશાળ માળખું ઉપરાંત અઢીસો જેટલા કારોબારી સભ્યો અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાના 757 ગામોમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિનું નેટવર્ક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. ઉમિયાધામ સિદસરમાં 75 વર્ષથી વધુ ઉંમરના સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા ટ્રસ્ટીઓમાં પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ઉપરાંત વિઠ્ઠલભાઈ માકડીયા, જયંતિભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, ધનજીભાઈ પટેલ, રમણીકભાઈ ભાલોડીયા, નરશીભાઈ માકડીયા તેમજ બી. એચ. ઘોડાસરાનો સમાવેશ થાય છે, તદ્ઉપરાંત ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા અને રમેશભાઈ રાણીપાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખપદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણીથી પાટીદારોની સામાજિક પ્રવૃત્તિને નવી ઊર્જા-ઈંજન અને વેગ મળશે

સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ: પ્રમુખની મુખ્ય જવાબદારી

- Advertisement -

ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહિતનાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી

સૌરાષ્ટ્રમાં વસતા બે લાખથી વધુ પરિવારો તથા વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રના પરિવારો માટે સામાજિક દાયિત્વનું કાર્ય કરતું ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણી બાદ ઉકાણીએ ઉમિયાધામ ખાતે જણાવ્યું હતું કે સર્વસમાજને સાથે રાખવો એ પાટીદાર સમાજની સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરાને જાળવી રાખી આગામી દિવસોમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે તમામ જિલ્લાઓ ખાતે નાતજમણના કાર્યક્રમો દ્વારા ઉમિયાધામની પ્રવૃત્તિ અને સંગઠનના વ્યાપને મજબૂત બનાવવા કાર્યક્રમો યોજાશે. તેમણે ખેતીની સાથોસાથ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પણ હરણફાળ ભરનાર પાટીદાર સમાજ રાજ્ય અને દેસના વિકાસમાં સહભાગી બન્યો છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલા શ્રી સવા શતાબ્દી મહોત્સવ વેળાએ રજૂ થયેલા પાટીદાર વિઝન-2027ના મિશનને આગળ ધપાવવા નેમ વ્યક્ત કરી છે.

પાટીદારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીના નામની જાહેરાત થતાં સૌરાષ્ટ્રભરના પાટીદાર સંગઠનો, સંસ્થાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓમાં હર્ષની હેલી વ્યાપી ગઈ છે. અત્રે નોંધનીય છે કે વિખ્યાત આયુર્વેદીક તબીબ ડો. ડાયાભાઈ ઉકાણીએ પણ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી કરી છે. શ્રી મૌલેશભાઈ ઉકાણીએ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પાટીદારોના સમૃદ્ધ પરિવારો તેમજ સ્વયંસેવકોના સમયદાનને સથવારે ઉમિયાધામ સિદસરની વિવિધ પ્રવૃત્તિઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્લાનીંગ અમલી બનાવ્યા છે.

ઉમિયાધામ સિદસરમાં કૌશલ્ય, સ્કીલ અને આવડત મુજબ યુવા વર્ગને સાથે રાખીને પાટીદાર સમાજમાં એક નવી ઊર્જા અને ઈંજનને વેગ આપવા મૌલેશભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યો અને અન્ય સમિતિઓ કાર્યરત બની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરીઓ થશે.

સર્વસમાજને સાથે રાખી ચાલતા મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વથી પાટીદાર સમાજ આત્મનિર્ભરતા તરફ ડગ માંડશે

ભામાશા, સૌરાષ્ટ્રના પાટીદાર રત્ન, માયાળુ પરગજુ સ્વભાવના મુઠી ઉંચેરા માનવી: મૌલેશભાઈ ઉકાણી

નવનિયુક્ત પ્રમુખ દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વમાં ઉમિયાધામ સિદસર વિકાસની હરણફાળ ભરશે

રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, સર્વસમાજને સાથે લઈ ચાલનારા, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી એવા દ્વારકાધીશના પરમભક્ત મૌલેશભાઈ ઉકાણીનું નામ સૌરાષ્ટ્રની જનતા માટે અજાણ્યું નથી. દરેક વર્ગ, દરેક જ્ઞાતિ-સમુદાય સાથે સાયુજ્ય સાધી સમાજ વિકાસને લક્ષ્ય માનનારા, સમાજના નાનામાં નાના માનવીની વ્યથાને વાચા આપનાર મૌલેશભાઈ ઉકાણીનું વ્યક્તિત્વ કોઈ પરિચયને આધીન નથી. તાજેતરમાં જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે તેઓની વરણી થતાં કડવા પાટીદાર સમાજમાં સર્વત્ર હર્ષોલ્લાસ વ્યાપ્યો છે. સર્વસમાજમાંથી મૌલેશભાઈ ઉકાણીને અભિનંદન વર્ષા થઈ રહી છે.

દયા-દાન-દાતારી, વટ-વચન અને વીરતાથી શોભતી મર્યાદા અને મર્યાદાથી શોભતો સામાજિક મોભો એ મૌલેશભાઈનું આભૂષણ છે. માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં, સર્વસમાજ માટે જેમના હૃદયમાં લાગણી અને કંઈક કરી છૂટવાની ભાવના થકી તેઓ સામાન્ય માણસના હૃદયમાં સ્થાન પામ્યા છે, સર્વના પ્રીતિપાત્ર બન્યા છે. દ્વારકાધીશની અસીમ કૃપાપાત્ર જેમનું નામ સદા તેમના મુખે છે તેવા સફળ ઉદ્યોગપતિ, ભામાશા મૌલેશભાઈના નેતૃત્વથી ઉમિયાધામ સિદસર વિકાસની એક નવી કેડી કંડારશે. કડવા પાટીદાર સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસનો એક નવો આયામ સર કરશે. પોતાના ઋજુ સ્વભાવ અને વ્યવસાયિક કુશળતા અને અનુભવ થકી પ્રમુખપદે તેમનું દોરીસંચાર અને માર્ગદર્શન થકી ઉમિયા માતાજી મંદિર સિદસર તથા પાટીદાર સમાજ હરણફાળ ભરી સર્વાંગી વિકાસ ને સર્વોપરી શિખર તરફ દોરી જશે એવી નેમ વ્યક્ત કરતાં સમગ્ર પાટીદાર સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

 

 

You Might Also Like

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત

રાજ્યમાં 5 વર્ષમાં 37.56 લાખ MSME નોંધાયા

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
Next Article રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?