By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    10 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    10 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    9 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    9 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    12 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ
Author

મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ

Khaskhabar Editor
Last updated: 2024/06/13 at 5:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

લેખક:પરેશ રાજગોર

ગુજરાતીના વિખ્યાત લેખક સૌરભ શાહની નોવેલ ‘મહારાજ’ પરથી બનેલી ફિલ્મ ‘મહારાજ’ નેટફ્લિક્સ પર શુક્રવારે રીલીઝ થઇ રહી છે, ત્યારે આ પુસ્તક પર વિશેષ લેખ

- Advertisement -

એક કુદરત છે, જે સૂરજને ઉગાડે છે, ફૂલને ખીલવે છે, રાત્રે અંધારું કરી આપણને સુવડાવે અને સવારે આંખો ઉઘાડી એક નવી જિંદગી બક્ષે છે, આટલું પૂરતું નથી. એને ઓળખ આપો ઈશ્ર્વર, અલ્લા, જિસસ… ના.. ના, હજુ કંઈક ખૂટે છે. ક્યાં છે ઈશ્ર્વર, અલ્લા જિસસ વગેરે. કંઈક પ્રત્યક્ષ જોઈએ એવી મનુષ્યની તીવ્ર ઈચ્છાના પરિણામે અસ્તિત્વમાં આવ્યા ઈશ્ર્વર સ્વરૂપ, સાક્ષાત્ સ્વયંભૂ ઈશ્ર્વરના પ્રતિનિધિ ગણાવાથી શરૂ કરી ખુદને જ ઈશ્ર્વર તરીકે સ્થાપી દેનાર ધર્મપુરુષો, મહાત્માઓ, સંતો, ફકીરોનો સિલસિલો શરૂ થયો. હવે એ ભગવાનોને ખુશ રાખવા ધન-સંપત્તિ, પૂજા-અર્ચના, લાલન-પાલન આટલું ઓછું હોય તેમ પોતાની કુમળી-માસુમ દીકરીઓને પણ ધરી દ્યો, પછી વાડ ચીભડાં ગળે તેવો હોશ આવતાં જ કંઈક આશારામોના એશઆરામોના પર્દાફાશ થાય, બેહિસાબ ધનદૌલતની આડમાં થયેલા પાપો પ્રકાશાય.. હો હા… અખબારમાં લેખોથી માંડી ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મો બની જાય છતાં પણ કાલે ઉઠીને કોઈ નવા ભગવાન ભારતની પ્રજાને ઘેલી બનાવે એ આ દેશમાં જરાય અશક્ય નથી.

કાગડા અત્યારે જ કાળા છે એવું નથી, એ હંમેશાં કાળા જ રહ્યાં છે. સત્તા રાજની હોય કે ધર્મની, માણસ તેનો દુરુપયોગ કરતો જ રહ્યો છે. ચિત્રગુપ્તના ચોપડે લખાયેલાં કર્મો તો મૃત્યુ પછી એકલા જીવના ભાગે જાણવામાં આવે છે, પરંતુ પત્રકારો જીવતા મનુષ્યના કર્મોના પર્દાફાશ કરનારા સદેહ ચિત્રગુપ્તો છે. (પ્લીઝ તેજપાલ ‘તહેલકા ફેમ’ને કે એના જેવાઓને બાકાત રાખજો, ગામ હોય ત્યાં બે-ચાર ઉકરડાં પણ હોય) આવા જ એક જાંબાઝ પત્રકાર કરસનદાસ મૂળજી… જેણે માત્ર 28 વર્ષની કુમળી વયે વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવ ધર્માચાર્યોના કુકર્મ કૌટુંબિક કે ભૌતિક સુખની પરવા કર્યા વિના ખુલ્લાં પાડ્યાં એ પણ આજથી દોઢસો વર્ષ પહેલાંના તદ્દન ધર્મચુસ્ત સમાજ સામે! તેમાંય લાજવાને બદલે મહારાજ ગાજ્યા અને આજના પાંચ કરોડ રૂપિયા થાય તેવી તે સમયની પચાસ હજાર રૂપિયાની રકમનો બદનક્ષીનો દાવો માંડી દીધો કરસનદાસ પર.

આ કેસ ઈતિહાસમાં ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે નોંધાયો. એક અદના પત્રકાર પર એક સત્તા અને શક્તિશાળી ધર્માચાર્યે માંડેલો જંગી રકમનો દાવો. જેના પર આધારિત નવલકથા પૂરા ઐતિહાસિક સત્યો સાથે તાજેતરમાં ‘મહારાજ’ નામે શ્રી સૌરભ શાહની કલમે લખાય છે. જે આર. આર. શેઠ કંપની, અમદાવાદે તાજેતરમાં પ્રગટ કરી છે. આશારામો અને નારાયણોના રોજિંદા બનાવો જોતાં આ ‘કેસ’ ભારતની ધર્મઘેલી પ્રજા માટે આજેય એટલો જ પ્રસ્તુત છે, માર્ગદર્શક છે. લેખક ખુદ વૈષ્ણવધર્મી છે. પોતાના જ ધર્મની કલંકકથાને લોકહિત માટે ફરી ઉખેડવાની તેમની હિંમત અને પુણ્યકર્મ કરસનદાસથી સહેજ પણ કમ નથી.
ઈ.સ. 1860-62 દરમિયાનના વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ પર આધારિત ‘મહારાજ’ નવલકથામાં વૈષ્ણવ મહારાજોના કૃત્યો વિશે એ જ વાતો છે, જે આ કોર્ટ કેસની કાર્યવાહીમાં ઉલ્લેખ પામેલી છે. નવલકથામાં મહારાજોનું એક પણ કૃત્ય એવું વાંચવા નહીં મળે જેનો સંદર્ભ અદાલતી કાર્યવાહીના રેકર્ડેડ અહેવાલમાં તમને ન મળે.
આ ઉપરાંત જે સંદર્ભ પુસ્તકોનો લેખકે આશરો લીધો છે તે છે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ મહિપતરામ નીલકંઠના પિતા મહિપતરામે પોતાના જ સમકાલીન એવા કરસનદાસ વિશેનું પુસ્તક ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’ અને કરસનદાસજીની જન્મ શતાબ્દી નિમિત્તે કૃષ્ણકાન્ત ઝવેરીએ અંગ્રેજીમાં લખેલ ગ્રંથ, લેખકે કેસ સાથે સંકળાયેલ નામો કે બનાવોમાં સહેજ પણ ચેડાં કર્યા વિના મૂળ સ્વરૂપે જ આલેખ્યા છે. લેખક સ્વીકારે છે કે વૈષ્ણવ હોવાનું મને ગર્વ છે અને આ નવલકથા કોઈની ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી લખાય નથી. પરંતુ, આજે ય જો ધર્મમાં ક્યાંય આવી બદીઓ જોવા મળે તો તે બાબતે સજાગ બનાવવા લખી છે જેથી ધર્મમાં પેસેલા લેભાગુઓ અને વિકૃત મનુષ્યોને ખુલ્લા પાડી લાખો લોકોની શ્રદ્ધાને જાળવી શકાય.

- Advertisement -

પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે. પ્રકરણ પહેલાંમાં જ ‘કેસ’ના ચુકાદા વિશે ‘અવઢવ’ અનુભવતાં દોઢ વર્ષમાં જીવેલી તાણભરી જિંદગીને કારણે અકાળે વૃદ્ધ થઈ ગયેલ માત્ર 28 વર્ષના જ યુવાન કરસનદાસ મનમાં મચેલા તુમુલને રોજનિશીમાં શબ્દોરૂપે આલેખે છે કે ‘દોઢ વર્ષ અગાઉ 1860ની 21મી ઓકટોબરે મારા ચોપાનિયા ‘સત્યપ્રકાશ’માં મેં જદુનાથ વ્રજરત્ન નામના વલ્લભપંથી વૈષ્ણવ મહારાજના પાખંડ ઉઘાડાં પાડ્યાં. એ વાંચીને મહારાજ છ મહીના ચૂપ રહ્યા. વકીલ મારફત નોટિસ મોકલી માફી માગવાનું જણાવ્યું… અમને તેમાં કંઈ માફી માગવા જેવું જણાતું નથી… આવી જદુનાથ મહારાજે મુંબઈની સુપ્રિમ કોર્ટમાં બદનામની વળતરરૂપે પચાસ હજારની નુકસાની માંગી. હકીકતે તો જદુનાથની આબરૂની કિંમત પચાસ હજાર રૂપિયા તો શું પચાસ કાંકરા જેટલી પણ નથી તે સૌ કોઈ જાણે છે અને જેઓ નથી જાણતાં એમને હું જણાવીશ…’

કરસનદાસના આ રણટંકારમાં ‘સત્ય’નું બળ હતું, પત્ની અને મિત્રોનો સાથ હતો છતાં એક ભયંકર હતાશા હતી કે જો ચુકાદો પોતાની વિરુદ્ધ આવશે તો ગમે તેવા સત્યનો સાથ હોવા છતાં નામોશી ઉપરાંત કુટુંબ માટે ખાવાના પણ સાંસા પડશે પરંતુ બાળપણમાં સગી આંખે ખુદની જ વાગ્દત્તા એવી સાવ નાની ઉંમરની કિશોરીને મહારાજ સાથે સગી આંખે હોળીના ગુલાલની આડમાં પછી બપોરના એકાંતમાં મહારાજના ખંડની બહાર ઉભેલા ભીતરિયાંની હાથમાં સેવાની રકમ મૂકી મહારાજ સાથે પોતાની જ સગીમાસીની હાજરીમાં કુકર્મ કરતાં જોઈ અને ભાવિ પતિ સહજ ક્રોધથી પૂછયું ત્યારે કિશોરીનું એ મંતવ્ય છે કે તેઓ તો સ્વયં કૃષ્ણભગવાન છે. એમને તન, મન, ધન… સઘળું અર્પણ કરી દેવાની આપણી ફરજ છે. કળિયુગમાં ભગવાને જ પોતાની જવાબદારી મહારાજશ્રીને સોંપી છે. તેની અવગણના કરીએ તો મર્યા પછી કાગડા કે કૂતરાનો અવતાર લેવો પડે! કેવી અજ્ઞાનતા અને આ અજ્ઞાનતા ભોળી પ્રજાના કાનમાં રેડનાર હતાં ખુદ મહારાજો! જે સમજાવતાં કે ભગવદ્સેવા ત્રણ પ્રકારની છે: માનસી સેવા, તનુજા સેવા, વિત્તજા સેવા. એ અબોધની આંખો ત્યારે ખુલ્લી જ્યારે પોતાની સાવ કુમળી બેનને સગીઆંખે મહારાજની તનુજા સેવા કરતાં જોઈ! ઘર છોડી ભાગી ગઈ અને કમોતે મરી ગઈ તેવા આઘાતજનક સમાચારની સાથે જ પિતા તરફથી તેની જ નાનીબેન સાથે ફરી સગપણ થયાના સમાચાર સાંભળ્યા અને વધુ એક જીવ આત્મહત્યાના માર્ગે ન જાય તે માટે ઉદારતાથી લગ્ન કર્યા. તેને લખતાં વાંચતાં શીખવ્યું. તેની પ્રેરણાથી અને ગોકળદાસ તેજપાળ જેવા ધનપતિની મદદથી ‘સત્યપ્રકાશ’ નામે નવું ચોપાનિયું શરૂ કર્યું. પરંતુ બદનસીબે એની જ પ્રથમ પ્રત પત્નીને બતાવતાં ઉત્સાહમાં સામે દોડી આવતા નિસરણીથી પડી જનાર સગર્ભા પત્નીને ગુમાવી.

સત્યપ્રકાશ મારફતે પોતાના નાલાયક ગુરુઓને ઉઘાડાં પાડતાં પાડતાં જ સાથે-સાથે હાઈસ્કૂલના આચાર્યની જવાબદારી પણ નિભાવી વધતી જતી પ્રતિષ્ઠા વચ્ચે એકલા… અજંપ મનને શાંતિ મળે માટે મુંબઈ છોડી ડીસા વસ્યા. તેમની પાછળ તેમના જ શિષ્ય સમાન મહિપતરામે મહારાજોથી વૈષ્ણવસમાજની બેન-દીકરીઓને બચાવવાની લડત ચાલુ રાખી પરિણામે મુંબઈના ભાટિયા મહાજને દિવસ દરમિયાન નક્કી કરેલસમય સિવાય સ્ત્રીઓને મંદિર જતી અટકાવવાનો ઠરાવ કર્યો જેની પ્રતિક્રિયા મહારાજે કંઈક આવી દર્શાવી પોતાની એક ખવાસ સામે કે, ‘આ પામર લોકો શું જાણે કે અમે કઇ અકળલીલા રમીએ છીએ? અમે તો કૃષ્ણના અવતાર છીએ અને ઈશ્ર્વર તો જારભાવનો ભૂખ્યો છે! અમે જે કંઈ કરીએ છીએ તેમાં સહેજે પાપ નથી ઉલટાનું એવું કરવાથી તો લોહી સાફ થાય છે અને તાકાત વધે છે!!
જદુનાથના પાપોને નજરોનજર જોનાર બીજા હતાં મુંબઈમાં નાની ઉંમરે શ્રીમંત મિલમાલિક બની જનાર શેઠ લખમીદાસ. જેઓ ખૂબ શ્રદ્ધાળુ વૈષ્ણવ હોવા છતાં આ બદીઓ દૂર કરવા કરસનદાસની સતત સંગાથે રહ્યા. દરમિયાન કરસનદાસ ફરી પરણી મુંબઈમાં પાછા આવે છે. ફરી એ જ મહારાજના કાવતરાઓ અને કુકર્મો વિરુદ્ધની લડાઈ. જેની સામે મહારાજે પણ મંદિર બંધ કરી દેવાની ધમકી આપી વૈષ્ણવોનું નાક દબાવવા સુધારાવાળાઓ વિરુદ્ધ થવા દરેક વૈષ્ણવનું એક કબૂલાતનામુ સહી કરાવવાનું શરૂ કર્યું. પણ કરસનદાસે પોતાના સત્યપ્રકાશમાં એ કબુલાતનામાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો અને સાથે-સાથે હેન્ડબિલો છપાવી ઘેર-ઘેર પહોંચાડી વૈષ્ણવોને જાગૃત કર્યા. વચ્ચે કવિ નર્મદના જદુનાથ મહારાજ સાથેના વિવાદના પ્રકરણોમાંથી જદુનાથ મહારાજની પોકળતા છતી થતી જોવા મળે છે.

દરમિયાન કરસનદાસ પોતાની નવજાત દીકરીનું મોં જોવા જવાનું વિચારતા હતાં ત્યાં જ જદુનાથ મહારાજના વકીલની બદનક્ષીના દાવાની નોટીસ મળે છે. પછી પ્રકરણો કોર્ટમાં બંને પક્ષના સાક્ષીઓની જુબાનીઓ અને તેમાં છતી થતી ધર્મના નામે વર્ષો સુધી ચાલેલી બદીઓ, પ્રજાની અજ્ઞાનતાને સાથે-સાથે લાચારી, મહારાજોના જુગુપ્સાપ્રેરક કુકર્મોના વર્ણનોના છે. આ મહારાજો ખુદની એક સમાંતર સરકાર ચલાવી પ્રજા સાથે ધર્મના નામે કર વસુલતાં! આ કેસનો ચુકાદો 1862ની 1લી એપ્રિલે ચીફ જસ્ટિસ સર મેથ્યુ સોઝે આપ્યો. પોતાની હારને પણ ન સમજનાર મૂર્ખ મહારાજને તેના જ વકીલે વધુ ઉઘાડાં પડવું હોય તો ફરી અદાલતમાં જજો તેવું સૂચન કર્યું. કેસ પછીની કથા અને કરસનદાસની જિંદગીમાં પ્રકરણો છે. જેમાં પુષ્ટિમાર્ગે ભાગવતના કરેલા ખોટા અર્થોના સાચા અર્થ સમજાવતું પુસ્તક રચ્યું. ઈંગ્લેન્ડના પ્રવાસો કર્યા. રાજકોટના રાજાની ‘દિવાન’ જેવી હોદ્દો ધરાવતી નોકરી કરી. સાથે વિજ્ઞાનવિલાસ નામનું માસિક શરૂ કર્યું. લીંબડી ટ્રાન્સફર થયા બાદ તેઓએ લીંબડી સુધી તાર (ટેલિગ્રામ) મંજૂર કરાવ્યો અને વિદેશ જનારને જ્ઞાતિ બહાર નહીં મુકવાનો રાજકોટના મહાજનો પાસે ઠરાવ કરાવ્યો. સમાજની ખફગી વ્હોરીને પણ વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા ‘ધનકોર’ નામની વિધવાનું ક્ધયાદાન પણ કર્યું. 1891માં માત્ર 39 વર્ષની વયે મૃત્યુ પામ્યા ત્યારે આખું લીંબડી બંધ રહ્યું અને સ્મશાન યાત્રામાં ત્રણ હજાર માણસો ઉમટ્યા. તેમના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેના સમાજે તેની પત્ની અને બાળકોને ગૌમુત્ર અને છાણની ગોળીઓ ખવડાવી ન્યાતમાં પાછા લીધાં!!
આ નવલકથા પરથી રચાયેલું આ જ નામનું નાટક હાલ મુંબઈમાં ભજવાઈ રહ્યું છે.

‘જદુનાથ મહારાજને સિફિલિસનો રોગ થયો હતો જેને ગુજરાતીમાં ચાંદીનો રોગ કહે છે, આ જાતિયરોગ છે જેમાં ગુપ્તાંગ પર ચાંદા પડે છે’
– ડો. રામકૃષ્ણ લાડ
‘જોઈ મેં મહારાજોની ઠગાઈ રે,
હવે કોઈ મંદિર ન જાશો બાઈ
કાચી ઉંમરની કામિની બોલાવી,
આપે પ્રસાદ મીઠાઈ;
પૈસા દેખતાં પ્રેમે બોલાવે,
નહીં તો કરે અદેખાઈ,
ધન-જોબન પરનારીનું લૂંટે,
જુઓ ગુરૂની ભલાઈ રે…
– કરસનદાસ મૂળજી

પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે

પુસ્તકનું નામ: મહારાજ
લેખક: સૌરભ શાહ
રાજકોટમાં પ્રાપ્તિસ્થળ: રાજેશ બુક સ્ટોર, લોધાવાડ ચોક, રાજકોટ.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

TAGGED: Maharaj, masterpiece, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક, વહેલી સવારથી જ RTO પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ
Next Article રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ પ્રકરણમાં સીટનો ફાઈનલ રિપોર્ટ 20મીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?