By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    3 hours ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    5 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    5 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    6 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વેપાર મંત્રણા અને ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે સંબંધ નહીં: જયશંકર
    1 hour ago
    કોલકાતા ગેંગરેપ: 3 આરોપીઓની કસ્ટડી 8મી સુધી લંબાવાઈ
    1 hour ago
    વિદેશી ભારતીયોએ રેકોર્ડબ્રેક 11600 અબજ વતનમાં મોકલ્યા
    1 hour ago
    ક્વાડ દેશો ભારતની સાથે, પહલગામ હુમલાને વખોડ્યો
    1 hour ago
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    4 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    4 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    1 day ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    6 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    5 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 day ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ
Author

મહારાજ: સૌરભ શાહની અદ્ભૂત કૃતિ

Khaskhabar Editor
Last updated: 2024/06/13 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
11 Min Read
SHARE

લેખક:પરેશ રાજગોર

ગુજરાતીના વિખ્યાત લેખક સૌરભ શાહની નોવેલ ‘મહારાજ’ પરથી બનેલી ફિલ્મ ‘મહારાજ’ નેટફ્લિક્સ પર શુક્રવારે રીલીઝ થઇ રહી છે, ત્યારે આ પુસ્તક પર વિશેષ લેખ

- Advertisement -

એક કુદરત છે, જે સૂરજને ઉગાડે છે, ફૂલને ખીલવે છે, રાત્રે અંધારું કરી આપણને સુવડાવે અને સવારે આંખો ઉઘાડી એક નવી જિંદગી બક્ષે છે, આટલું પૂરતું નથી. એને ઓળખ આપો ઈશ્ર્વર, અલ્લા, જિસસ… ના.. ના, હજુ કંઈક ખૂટે છે. ક્યાં છે ઈશ્ર્વર, અલ્લા જિસસ વગેરે. કંઈક પ્રત્યક્ષ જોઈએ એવી મનુષ્યની તીવ્ર ઈચ્છાના પરિણામે અસ્તિત્વમાં આવ્યા ઈશ્ર્વર સ્વરૂપ, સાક્ષાત્ સ્વયંભૂ ઈશ્ર્વરના પ્રતિનિધિ ગણાવાથી શરૂ કરી ખુદને જ ઈશ્ર્વર તરીકે સ્થાપી દેનાર ધર્મપુરુષો, મહાત્માઓ, સંતો, ફકીરોનો સિલસિલો શરૂ થયો. હવે એ ભગવાનોને ખુશ રાખવા ધન-સંપત્તિ, પૂજા-અર્ચના, લાલન-પાલન આટલું ઓછું હોય તેમ પોતાની કુમળી-માસુમ દીકરીઓને પણ ધરી દ્યો, પછી વાડ ચીભડાં ગળે તેવો હોશ આવતાં જ કંઈક આશારામોના એશઆરામોના પર્દાફાશ થાય, બેહિસાબ ધનદૌલતની આડમાં થયેલા પાપો પ્રકાશાય.. હો હા… અખબારમાં લેખોથી માંડી ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મો બની જાય છતાં પણ કાલે ઉઠીને કોઈ નવા ભગવાન ભારતની પ્રજાને ઘેલી બનાવે એ આ દેશમાં જરાય અશક્ય નથી.

કાગડા અત્યારે જ કાળા છે એવું નથી, એ હંમેશાં કાળા જ રહ્યાં છે. સત્તા રાજની હોય કે ધર્મની, માણસ તેનો દુરુપયોગ કરતો જ રહ્યો છે. ચિત્રગુપ્તના ચોપડે લખાયેલાં કર્મો તો મૃત્યુ પછી એકલા જીવના ભાગે જાણવામાં આવે છે, પરંતુ પત્રકારો જીવતા મનુષ્યના કર્મોના પર્દાફાશ કરનારા સદેહ ચિત્રગુપ્તો છે. (પ્લીઝ તેજપાલ ‘તહેલકા ફેમ’ને કે એના જેવાઓને બાકાત રાખજો, ગામ હોય ત્યાં બે-ચાર ઉકરડાં પણ હોય) આવા જ એક જાંબાઝ પત્રકાર કરસનદાસ મૂળજી… જેણે માત્ર 28 વર્ષની કુમળી વયે વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવ ધર્માચાર્યોના કુકર્મ કૌટુંબિક કે ભૌતિક સુખની પરવા કર્યા વિના ખુલ્લાં પાડ્યાં એ પણ આજથી દોઢસો વર્ષ પહેલાંના તદ્દન ધર્મચુસ્ત સમાજ સામે! તેમાંય લાજવાને બદલે મહારાજ ગાજ્યા અને આજના પાંચ કરોડ રૂપિયા થાય તેવી તે સમયની પચાસ હજાર રૂપિયાની રકમનો બદનક્ષીનો દાવો માંડી દીધો કરસનદાસ પર.

આ કેસ ઈતિહાસમાં ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે નોંધાયો. એક અદના પત્રકાર પર એક સત્તા અને શક્તિશાળી ધર્માચાર્યે માંડેલો જંગી રકમનો દાવો. જેના પર આધારિત નવલકથા પૂરા ઐતિહાસિક સત્યો સાથે તાજેતરમાં ‘મહારાજ’ નામે શ્રી સૌરભ શાહની કલમે લખાય છે. જે આર. આર. શેઠ કંપની, અમદાવાદે તાજેતરમાં પ્રગટ કરી છે. આશારામો અને નારાયણોના રોજિંદા બનાવો જોતાં આ ‘કેસ’ ભારતની ધર્મઘેલી પ્રજા માટે આજેય એટલો જ પ્રસ્તુત છે, માર્ગદર્શક છે. લેખક ખુદ વૈષ્ણવધર્મી છે. પોતાના જ ધર્મની કલંકકથાને લોકહિત માટે ફરી ઉખેડવાની તેમની હિંમત અને પુણ્યકર્મ કરસનદાસથી સહેજ પણ કમ નથી.
ઈ.સ. 1860-62 દરમિયાનના વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ પર આધારિત ‘મહારાજ’ નવલકથામાં વૈષ્ણવ મહારાજોના કૃત્યો વિશે એ જ વાતો છે, જે આ કોર્ટ કેસની કાર્યવાહીમાં ઉલ્લેખ પામેલી છે. નવલકથામાં મહારાજોનું એક પણ કૃત્ય એવું વાંચવા નહીં મળે જેનો સંદર્ભ અદાલતી કાર્યવાહીના રેકર્ડેડ અહેવાલમાં તમને ન મળે.
આ ઉપરાંત જે સંદર્ભ પુસ્તકોનો લેખકે આશરો લીધો છે તે છે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ મહિપતરામ નીલકંઠના પિતા મહિપતરામે પોતાના જ સમકાલીન એવા કરસનદાસ વિશેનું પુસ્તક ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’ અને કરસનદાસજીની જન્મ શતાબ્દી નિમિત્તે કૃષ્ણકાન્ત ઝવેરીએ અંગ્રેજીમાં લખેલ ગ્રંથ, લેખકે કેસ સાથે સંકળાયેલ નામો કે બનાવોમાં સહેજ પણ ચેડાં કર્યા વિના મૂળ સ્વરૂપે જ આલેખ્યા છે. લેખક સ્વીકારે છે કે વૈષ્ણવ હોવાનું મને ગર્વ છે અને આ નવલકથા કોઈની ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી લખાય નથી. પરંતુ, આજે ય જો ધર્મમાં ક્યાંય આવી બદીઓ જોવા મળે તો તે બાબતે સજાગ બનાવવા લખી છે જેથી ધર્મમાં પેસેલા લેભાગુઓ અને વિકૃત મનુષ્યોને ખુલ્લા પાડી લાખો લોકોની શ્રદ્ધાને જાળવી શકાય.

- Advertisement -

પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે. પ્રકરણ પહેલાંમાં જ ‘કેસ’ના ચુકાદા વિશે ‘અવઢવ’ અનુભવતાં દોઢ વર્ષમાં જીવેલી તાણભરી જિંદગીને કારણે અકાળે વૃદ્ધ થઈ ગયેલ માત્ર 28 વર્ષના જ યુવાન કરસનદાસ મનમાં મચેલા તુમુલને રોજનિશીમાં શબ્દોરૂપે આલેખે છે કે ‘દોઢ વર્ષ અગાઉ 1860ની 21મી ઓકટોબરે મારા ચોપાનિયા ‘સત્યપ્રકાશ’માં મેં જદુનાથ વ્રજરત્ન નામના વલ્લભપંથી વૈષ્ણવ મહારાજના પાખંડ ઉઘાડાં પાડ્યાં. એ વાંચીને મહારાજ છ મહીના ચૂપ રહ્યા. વકીલ મારફત નોટિસ મોકલી માફી માગવાનું જણાવ્યું… અમને તેમાં કંઈ માફી માગવા જેવું જણાતું નથી… આવી જદુનાથ મહારાજે મુંબઈની સુપ્રિમ કોર્ટમાં બદનામની વળતરરૂપે પચાસ હજારની નુકસાની માંગી. હકીકતે તો જદુનાથની આબરૂની કિંમત પચાસ હજાર રૂપિયા તો શું પચાસ કાંકરા જેટલી પણ નથી તે સૌ કોઈ જાણે છે અને જેઓ નથી જાણતાં એમને હું જણાવીશ…’

કરસનદાસના આ રણટંકારમાં ‘સત્ય’નું બળ હતું, પત્ની અને મિત્રોનો સાથ હતો છતાં એક ભયંકર હતાશા હતી કે જો ચુકાદો પોતાની વિરુદ્ધ આવશે તો ગમે તેવા સત્યનો સાથ હોવા છતાં નામોશી ઉપરાંત કુટુંબ માટે ખાવાના પણ સાંસા પડશે પરંતુ બાળપણમાં સગી આંખે ખુદની જ વાગ્દત્તા એવી સાવ નાની ઉંમરની કિશોરીને મહારાજ સાથે સગી આંખે હોળીના ગુલાલની આડમાં પછી બપોરના એકાંતમાં મહારાજના ખંડની બહાર ઉભેલા ભીતરિયાંની હાથમાં સેવાની રકમ મૂકી મહારાજ સાથે પોતાની જ સગીમાસીની હાજરીમાં કુકર્મ કરતાં જોઈ અને ભાવિ પતિ સહજ ક્રોધથી પૂછયું ત્યારે કિશોરીનું એ મંતવ્ય છે કે તેઓ તો સ્વયં કૃષ્ણભગવાન છે. એમને તન, મન, ધન… સઘળું અર્પણ કરી દેવાની આપણી ફરજ છે. કળિયુગમાં ભગવાને જ પોતાની જવાબદારી મહારાજશ્રીને સોંપી છે. તેની અવગણના કરીએ તો મર્યા પછી કાગડા કે કૂતરાનો અવતાર લેવો પડે! કેવી અજ્ઞાનતા અને આ અજ્ઞાનતા ભોળી પ્રજાના કાનમાં રેડનાર હતાં ખુદ મહારાજો! જે સમજાવતાં કે ભગવદ્સેવા ત્રણ પ્રકારની છે: માનસી સેવા, તનુજા સેવા, વિત્તજા સેવા. એ અબોધની આંખો ત્યારે ખુલ્લી જ્યારે પોતાની સાવ કુમળી બેનને સગીઆંખે મહારાજની તનુજા સેવા કરતાં જોઈ! ઘર છોડી ભાગી ગઈ અને કમોતે મરી ગઈ તેવા આઘાતજનક સમાચારની સાથે જ પિતા તરફથી તેની જ નાનીબેન સાથે ફરી સગપણ થયાના સમાચાર સાંભળ્યા અને વધુ એક જીવ આત્મહત્યાના માર્ગે ન જાય તે માટે ઉદારતાથી લગ્ન કર્યા. તેને લખતાં વાંચતાં શીખવ્યું. તેની પ્રેરણાથી અને ગોકળદાસ તેજપાળ જેવા ધનપતિની મદદથી ‘સત્યપ્રકાશ’ નામે નવું ચોપાનિયું શરૂ કર્યું. પરંતુ બદનસીબે એની જ પ્રથમ પ્રત પત્નીને બતાવતાં ઉત્સાહમાં સામે દોડી આવતા નિસરણીથી પડી જનાર સગર્ભા પત્નીને ગુમાવી.

સત્યપ્રકાશ મારફતે પોતાના નાલાયક ગુરુઓને ઉઘાડાં પાડતાં પાડતાં જ સાથે-સાથે હાઈસ્કૂલના આચાર્યની જવાબદારી પણ નિભાવી વધતી જતી પ્રતિષ્ઠા વચ્ચે એકલા… અજંપ મનને શાંતિ મળે માટે મુંબઈ છોડી ડીસા વસ્યા. તેમની પાછળ તેમના જ શિષ્ય સમાન મહિપતરામે મહારાજોથી વૈષ્ણવસમાજની બેન-દીકરીઓને બચાવવાની લડત ચાલુ રાખી પરિણામે મુંબઈના ભાટિયા મહાજને દિવસ દરમિયાન નક્કી કરેલસમય સિવાય સ્ત્રીઓને મંદિર જતી અટકાવવાનો ઠરાવ કર્યો જેની પ્રતિક્રિયા મહારાજે કંઈક આવી દર્શાવી પોતાની એક ખવાસ સામે કે, ‘આ પામર લોકો શું જાણે કે અમે કઇ અકળલીલા રમીએ છીએ? અમે તો કૃષ્ણના અવતાર છીએ અને ઈશ્ર્વર તો જારભાવનો ભૂખ્યો છે! અમે જે કંઈ કરીએ છીએ તેમાં સહેજે પાપ નથી ઉલટાનું એવું કરવાથી તો લોહી સાફ થાય છે અને તાકાત વધે છે!!
જદુનાથના પાપોને નજરોનજર જોનાર બીજા હતાં મુંબઈમાં નાની ઉંમરે શ્રીમંત મિલમાલિક બની જનાર શેઠ લખમીદાસ. જેઓ ખૂબ શ્રદ્ધાળુ વૈષ્ણવ હોવા છતાં આ બદીઓ દૂર કરવા કરસનદાસની સતત સંગાથે રહ્યા. દરમિયાન કરસનદાસ ફરી પરણી મુંબઈમાં પાછા આવે છે. ફરી એ જ મહારાજના કાવતરાઓ અને કુકર્મો વિરુદ્ધની લડાઈ. જેની સામે મહારાજે પણ મંદિર બંધ કરી દેવાની ધમકી આપી વૈષ્ણવોનું નાક દબાવવા સુધારાવાળાઓ વિરુદ્ધ થવા દરેક વૈષ્ણવનું એક કબૂલાતનામુ સહી કરાવવાનું શરૂ કર્યું. પણ કરસનદાસે પોતાના સત્યપ્રકાશમાં એ કબુલાતનામાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો અને સાથે-સાથે હેન્ડબિલો છપાવી ઘેર-ઘેર પહોંચાડી વૈષ્ણવોને જાગૃત કર્યા. વચ્ચે કવિ નર્મદના જદુનાથ મહારાજ સાથેના વિવાદના પ્રકરણોમાંથી જદુનાથ મહારાજની પોકળતા છતી થતી જોવા મળે છે.

દરમિયાન કરસનદાસ પોતાની નવજાત દીકરીનું મોં જોવા જવાનું વિચારતા હતાં ત્યાં જ જદુનાથ મહારાજના વકીલની બદનક્ષીના દાવાની નોટીસ મળે છે. પછી પ્રકરણો કોર્ટમાં બંને પક્ષના સાક્ષીઓની જુબાનીઓ અને તેમાં છતી થતી ધર્મના નામે વર્ષો સુધી ચાલેલી બદીઓ, પ્રજાની અજ્ઞાનતાને સાથે-સાથે લાચારી, મહારાજોના જુગુપ્સાપ્રેરક કુકર્મોના વર્ણનોના છે. આ મહારાજો ખુદની એક સમાંતર સરકાર ચલાવી પ્રજા સાથે ધર્મના નામે કર વસુલતાં! આ કેસનો ચુકાદો 1862ની 1લી એપ્રિલે ચીફ જસ્ટિસ સર મેથ્યુ સોઝે આપ્યો. પોતાની હારને પણ ન સમજનાર મૂર્ખ મહારાજને તેના જ વકીલે વધુ ઉઘાડાં પડવું હોય તો ફરી અદાલતમાં જજો તેવું સૂચન કર્યું. કેસ પછીની કથા અને કરસનદાસની જિંદગીમાં પ્રકરણો છે. જેમાં પુષ્ટિમાર્ગે ભાગવતના કરેલા ખોટા અર્થોના સાચા અર્થ સમજાવતું પુસ્તક રચ્યું. ઈંગ્લેન્ડના પ્રવાસો કર્યા. રાજકોટના રાજાની ‘દિવાન’ જેવી હોદ્દો ધરાવતી નોકરી કરી. સાથે વિજ્ઞાનવિલાસ નામનું માસિક શરૂ કર્યું. લીંબડી ટ્રાન્સફર થયા બાદ તેઓએ લીંબડી સુધી તાર (ટેલિગ્રામ) મંજૂર કરાવ્યો અને વિદેશ જનારને જ્ઞાતિ બહાર નહીં મુકવાનો રાજકોટના મહાજનો પાસે ઠરાવ કરાવ્યો. સમાજની ખફગી વ્હોરીને પણ વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા ‘ધનકોર’ નામની વિધવાનું ક્ધયાદાન પણ કર્યું. 1891માં માત્ર 39 વર્ષની વયે મૃત્યુ પામ્યા ત્યારે આખું લીંબડી બંધ રહ્યું અને સ્મશાન યાત્રામાં ત્રણ હજાર માણસો ઉમટ્યા. તેમના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેના સમાજે તેની પત્ની અને બાળકોને ગૌમુત્ર અને છાણની ગોળીઓ ખવડાવી ન્યાતમાં પાછા લીધાં!!
આ નવલકથા પરથી રચાયેલું આ જ નામનું નાટક હાલ મુંબઈમાં ભજવાઈ રહ્યું છે.

‘જદુનાથ મહારાજને સિફિલિસનો રોગ થયો હતો જેને ગુજરાતીમાં ચાંદીનો રોગ કહે છે, આ જાતિયરોગ છે જેમાં ગુપ્તાંગ પર ચાંદા પડે છે’
– ડો. રામકૃષ્ણ લાડ
‘જોઈ મેં મહારાજોની ઠગાઈ રે,
હવે કોઈ મંદિર ન જાશો બાઈ
કાચી ઉંમરની કામિની બોલાવી,
આપે પ્રસાદ મીઠાઈ;
પૈસા દેખતાં પ્રેમે બોલાવે,
નહીં તો કરે અદેખાઈ,
ધન-જોબન પરનારીનું લૂંટે,
જુઓ ગુરૂની ભલાઈ રે…
– કરસનદાસ મૂળજી

પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે

પુસ્તકનું નામ: મહારાજ
લેખક: સૌરભ શાહ
રાજકોટમાં પ્રાપ્તિસ્થળ: રાજેશ બુક સ્ટોર, લોધાવાડ ચોક, રાજકોટ.

You Might Also Like

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

EB-5 કે L-1વિઝા

શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?

નવી દૃષ્ટિ આપનાર માર્ગદર્શક

TAGGED: Maharaj, masterpiece, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક, વહેલી સવારથી જ RTO પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ
Next Article રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ પ્રકરણમાં સીટનો ફાઈનલ રિપોર્ટ 20મીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

11.87 લાખનો દારૂ લઈને આવતી રાજસ્થાની બેલડી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલમાંથી મુક્તિની માંગ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટના પૂતળાં દહન
સુરભી ડાન્સ એકેડેમી દ્વારા 6 જૂલાઈએ ‘સ્કીલકારી- ધ ટેલેન્ટ શૉ’નું આયોજન
લોધીકાના દેવડામાં કારખાનામાંથી 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
44 કરોડના ખર્ચે સ્માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી 3.9 કિમીનો નવો રોડ બનશે
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EB-5 કે L-1વિઝા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?