By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    17 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    17 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    17 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    18 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર
AuthorBhavy Raval

સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 2:31 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE
  • ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર

1863માં સુરતમાંથી દીનશા તાલિયારખાને સુરતમિત્ર નામનું પત્ર શરૂ કર્યું હતું. તેઓ જ તેના સૌપ્રથમ માલિક, તંત્રી અને પત્રકાર હતા. 1864માં સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર થઈ ગયું હતું. ગુજરાતમિત્ર શરૂ થયું ત્યારે તેનું નામ સુરતમિત્ર હતું. તેની શરૂઆત સુરતમાં 13 અથવા 15 સપ્ટેમ્બર, 1863ના રોજ દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પત્રકારે કરી હતી. સુરતમિત્રમાં તેના નામ મુજબ માત્ર સુરતના જ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. આ પત્રનું કાર્યક્ષેત્ર વિશાળ કરવાના હેતુસર 11 સપ્ટેમ્બર, 1864થી સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર કરવામાં આવ્યું હતું. ગુજરાતમિત્રમાં સુરત ઉપરાંત ઉત્તરગુજરાત, મુંબઈથી લઈ દેશ-વિદેશના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. શરૂશરૂમાં ગુજરાતમિત્ર દર રવિવારે પ્રગટ થતું સાપ્તાહિક પત્ર હતું. સુરતમિત્ર (1863)નું નામ ગુજરાતમિત્ર (1864) થઈ ગયા બાદ તેમાં ગુજરાત દર્પણ (1888) નામનું પત્ર ભળી જાય છે. હરિલાલ હર્ષદરાય ધ્રુવ અને જેકિસનદાસ લલ્લુભાઈએ 1 એપ્રિલ, 1888માં ગુજરાત દર્પણ નામનું સપ્તાહમાં બે વાર પ્રસિદ્ધ થતું પત્ર શરૂ કર્યું હતું જે શરૂ થયાનાં છ વર્ષ બાદ 19 ઓગષ્ટ, 1894ના રોજ ગુજરાતમિત્ર સાથે જોડાઈ ગયું હતું. સુરતમિત્રમાંથી ગુજરાતમિત્ર થવું, ગુજરાતમિત્રમાં ગુજરાત દર્પણનું વિલીનીકરણકરણ કરવું અને તેનું સાપ્તાહિકમાંથી દૈનિક બનવું, આ પત્રના 1863માં આરંભથી લઈ આજ સુધીની દોઢ સો વર્ષથી વધુની આખી યાત્રા સુરત તેમજ ગુજરાતી પત્રકારત્વને ગૌરવ અપાવનારી છે.

સુરતમિત્ર અને પછીથી નવા નામે ઓળખાતું ગુજરાતમિત્ર શરૂ કરનારા દીનશા તાલિયારખાન સુરતના મશહૂર અરદેશર કોટવાલના કુટુંબીજન હતા. એ સમયના અખબારોએ ન ફક્ત ગુજરાતમિત્ર પરંતુ તેના માલિક-તંત્રી દીનશા તાલિયારખાનની તટસ્થતા અને નીડરતાના ભરપૂર વખાણ કર્યા હતા. 1870માં દીનશા તાલિયારખાને નાદુરસ્ત તબિયતના કારણોસર ગુજરાતમિત્રના તંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું પણ હા, ગુજરાતમિત્ર સાથેનો તેમનો સંબંધ મરતેદમતક અકબંધ રહ્યો હતો. દીનશા તાલિયારખાન પાસેથી પંદર સજ્જનોની બનેલી એક કંપનીએ ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. ગુજરાતમિત્રના નવા તંત્રી કીકાભાઈ પ્રભુદાસ બન્યા હતા. કીકાભાઈના મિત્ર મંછારામે એ સમયે ગુજરાતમિત્રમાં ધકધકતી ભાષામાં લેખો લખી સુધરાઈના વેરા, મીઠાના વેરા, પરવાનાના વેરા વગેરે સામે ઝુંબેશ ઉપાડી હતી. અંગ્રેજ સરકારની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ ગુજરાતમિત્રમાં કરવામાં આવતો હતો. 1878માં સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા ત્યારે ગુજરાતમિત્રના લખાણોને તોફાનો થવા પાછળ જવાબદાર ગણતા અંગ્રેજ સરકારે ગુજરાતમિત્રના તંત્રી કીકાભાઈ અને લેખક મંછારામની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કેસ કર્યો હતો, જે સુરત રાયટ કેસ તરીકે જાણીતો થયો હતો. મુંબઈના વિખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોજશાહ મહેતાએ કીકાભાઈ અને મંછારામ વતી કેસ લડ્યો હતો. 29 સપ્ટેમ્બર, 1878માં ગુજરાતમિત્રના તંત્રી અને લેખકને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

- Advertisement -

બ્રિટીશ સરકાર પર કરેલી ટિકાટિપ્પણીઓ અંગ્રેજ પણ વાંચી શકે તે માટે ગુજરાતમિત્રમાં કેટલાંક સમાચારો અંગ્રેજીમાં છપાતા હતા. રજવાડાઓ વિશેની ખબરો નામજોગ ગુજરાતમિત્ર છાપતું હતું. 1872માં ગુજરાતમિત્રના ચારસો જેટલા ગ્રાહક હતા. વર્ષની શરૂઆતમાં ગુજરાતમિત્રનું લવાજમ ભરનારે 6 રૂપિયા તેમજ વર્ષાન્તે લવાજમ ભરનારે 10 રૂપિયા ચૂકવવાના રહેતા હતા. ગુજરાતમિત્ર શરૂ થયાના બેથી ત્રણ દસકમાં જાણીતું પત્ર બની ગયું હતું. સુરતના સર્વતોમુખી વિકાસમાં તે મહત્વનું યોગદાન ધરાવવા લાગ્યું હતું. મંછારામે ગુજરાતમિત્રનું આશરે ત્રેવીસ વર્ષ સંચાલન કરી તેને સ્થિર અને નિયમિત પ્રસિદ્ધ થતું પત્ર બનાવ્યું હતું. ગુજરાતમિત્રના માલિક 1893માં ફરી એકવાર બદલાઈ છે. કીકાભાઈ પાસેથી હોરમસજી ફરદૂનજી ડોક્ટરે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું, અને પછી તેમનું અવસાન થતા ગુજરાતમિત્રને તેના સેક્રેટરી હોરમસજી જમશેદજીએ 1894માં ખરીદી લીધું હતું. 1907માં તેમનું પણ અવસાન થતાં ફરી ગુજરાતમિત્રના સેક્રેટરી ચુનીલાલ શાહ અને શાવકશા હોરમસજી અસુખાંએ તેનું સંચાલન સંભાળ્યું હતું. આગળ જતા ગુજરાતમિત્રને રેશમવાળા પરિવારનો મજબૂત ટેકો મળ્યો, 1898માં ઉત્તમરામ ઉમેદરાય રેશમવાળા ગુજરાતમિત્રના ઉપતંત્રી તરીકે નિમાયા અને 1920માં તેમણે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. 1929માં ઉત્તમરામ રેશમવાળાનું અવસાન થયું અને તેમના મોટાપુત્ર ચંપકલાલ રેશમવાળા ગુજરાતમિત્રના તંત્રી બન્યા હતા.

ચંપકલાલને વાઘબારસના દિવસે ગુજરાતમિત્રને દૈનિક બનાવવાનો વિચાર આવ્યો, આ વિચારના મહજ ચાર દિવસ બાદ જ બેસતા વર્ષના દિવસે તેમણે ગુજરાતમિત્રનું સાપ્તાહિકમાંથી દૈનિકમાં રૂપાંતર કરી નાખ્યું. 19 નવેમ્બર 1936થી ગુજરાતમિત્ર દૈનિક તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું હતું. ગુજરાતમિત્ર દૈનિક બન્યાને એક વર્ષ પણ પૂરું થયું નહતું ત્યાં ચંપકલાલનું 1937માં અવસાન થતાં ગુજરાતમિત્રના તંત્રી અને માલિકી પદની જવાબદારી તેમના નાનાભાઈ પ્રવીણકાંત રેશમવાળા પર આવી ગઈ હતી. પ્રવીણકાંતની ઉંમર એ વખતે માત્ર વીસ વર્ષની જ હતી. પ્રવીણકાંત રેશમવાળાએ ગુજરાતમિત્રને ન માત્ર નિભાવ્યું જ પરંતુ વિકસાવ્યું પણ ખરું. ગુજરાતમિત્ર જ્યારથી સાપ્તાહિક હતું ત્યારથી તેની સાથે બટુકભાઈ દિક્ષિત જોડાયેલા હતા. બટુકભાઈ દિક્ષિતે પણ ગુજરાતમિત્રના વિકાસમાં પોતાના જીવનના પચાસ વર્ષ ન્યોછાવર કરી દીધા હતા. ઠાકોરભાઈ દેસાઈ, કંચનલાલ મામાવાળા, વલ્લભદાદ અક્કડ અને પ્રીતમલાલ મજુમદાર જેવા ભાષા અને સાહિત્યના જાણકાર પત્રકારોનો લાભ પણ ગુજરાતમિત્રને મળ્યો. 1983માં પ્રવીણકાંત રેશમવાળાનું અવસાન થયું, 46 વર્ષ સુધી તેઓ ગુજરાતમિત્રના તંત્રી રહ્યા હતા. આગળ જતા ભરત રેશમવાળા, ભગવતીકુમાર શર્મા વગેરે એકથી એક ચઢીયાતા તંત્રી, સહાયક તંત્રી અને પત્રકારનો સાથ ગુજરાતમિત્રને સાંપડતો ગયો. ગુજરાતી ભાષાના સાહિત્યકારોથી લઈ લેખકો પણ ગુજરાતમિત્રમાં જોડાતા ગયા. સુરતથી લઈ હરકોઈ શહેરના વાંચકોએ ગુજરાતમિત્રના પત્રકારત્વને વધાવ્યું અને વખાણ્યું. સ્થાપનાકાળથી લઈ વર્તમાનકાળ સુધીમાં આ પત્ર અને તેની સાથે સંકળાયેલા સૌકોઈ અનેક ઉતાર-ચઢાવ વચ્ચે પણ પ્રજાહિતમાં પત્રકારત્વનો ધર્મ ચૂક્યા નથી. અને એટલે જ દીનશા તાલિયારખાને સ્થાપેલા અને રેશમવાળા પરિવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર સુરતના હયાત પત્રોમાં સૌથી જૂનાં પત્ર તરીકે ટકી રહ્યું છે, ગુજરાતમિત્ર.

વધારો : 1862માં ખેડાવર્તમાન અને 1863માં ગુજરાતમિત્ર શરૂ થતાં ગુજરાતમાં ગુજરાતી પત્રકારત્વના મંડાણ થયા હતા. આ અગાઉ 1822માં મુંબઈમાંથી મુંબઈ સમાચાર શરૂ થઈ ચૂક્યું હતું પણ તળ ગુજરાતનું આજ સુધીનું સૌથી જૂનું પત્ર ગુજરાતમિત્ર કહી શકાય. 1871-72ના મુંબઈ ઈલાકાના સરકારી અહેવાલ અનુસાર એ વર્ષમાં ગુજરાતી પત્રોની સંખ્યા 26 હતી. આજે એ 26 પત્રોમાંથી હજુ પણ પ્રગટ થતા પત્રોમાં પ્રથમ નંબરે મુંબઈ સમાચાર બાદ બીજા નંબરે ગુજરાતમિત્ર આવે છે. દેશી રજવાડાઓમાં આવેલી પ્રજાની પીડાને પોકાર આપનાર સુરત કે ગુજરાત જ નહીં, સમગ્ર પશ્ચિમ ભારતનું પ્રથમ પત્ર ગુજરાતમિત્ર હતું. મીઠાવેરાનો દેશભરમાં પહેલોવહેલો વિરોધ કરનાર પત્ર પણ ગુજરાતમિત્ર જ હતું. દક્ષિણ ગુજરાતને અલગ યુનિવર્સિટી અપાવવાથી લઈ સુરત સુધરાઈનું મહાનગરપાલિકામાં પરિવર્તન કરાવવા સુધી અને સુરતના બંદર તથા ઉદ્યોગનો વિકાસ કરાવવાથી લઈ પત્રકારત્વની સંસ્થા શરૂ થાય તે માટેના પ્રથમ પ્રયાસ ગુજરાતમિત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

TAGGED: JOURNALISM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષા મંડલ : ગંદા હૈ પર ધંધા હૈ યે
Next Article ધ્યેય પ્રત્યેના સમર્પણનું સુખદ પરિણામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?