By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    3 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    6 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર
AuthorBhavy Raval

સુરતનું પત્ર : ગુજરાતમિત્ર, સુરતમિત્ર, તળગુજરાતનું સૌથી જૂનું પત્ર : ગુજરાતમિત્ર

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 2:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE
  • ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર

1863માં સુરતમાંથી દીનશા તાલિયારખાને સુરતમિત્ર નામનું પત્ર શરૂ કર્યું હતું. તેઓ જ તેના સૌપ્રથમ માલિક, તંત્રી અને પત્રકાર હતા. 1864માં સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર થઈ ગયું હતું. ગુજરાતમિત્ર શરૂ થયું ત્યારે તેનું નામ સુરતમિત્ર હતું. તેની શરૂઆત સુરતમાં 13 અથવા 15 સપ્ટેમ્બર, 1863ના રોજ દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પત્રકારે કરી હતી. સુરતમિત્રમાં તેના નામ મુજબ માત્ર સુરતના જ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. આ પત્રનું કાર્યક્ષેત્ર વિશાળ કરવાના હેતુસર 11 સપ્ટેમ્બર, 1864થી સુરતમિત્રનું નામ બદલાઈને ગુજરાતમિત્ર કરવામાં આવ્યું હતું. ગુજરાતમિત્રમાં સુરત ઉપરાંત ઉત્તરગુજરાત, મુંબઈથી લઈ દેશ-વિદેશના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. શરૂશરૂમાં ગુજરાતમિત્ર દર રવિવારે પ્રગટ થતું સાપ્તાહિક પત્ર હતું. સુરતમિત્ર (1863)નું નામ ગુજરાતમિત્ર (1864) થઈ ગયા બાદ તેમાં ગુજરાત દર્પણ (1888) નામનું પત્ર ભળી જાય છે. હરિલાલ હર્ષદરાય ધ્રુવ અને જેકિસનદાસ લલ્લુભાઈએ 1 એપ્રિલ, 1888માં ગુજરાત દર્પણ નામનું સપ્તાહમાં બે વાર પ્રસિદ્ધ થતું પત્ર શરૂ કર્યું હતું જે શરૂ થયાનાં છ વર્ષ બાદ 19 ઓગષ્ટ, 1894ના રોજ ગુજરાતમિત્ર સાથે જોડાઈ ગયું હતું. સુરતમિત્રમાંથી ગુજરાતમિત્ર થવું, ગુજરાતમિત્રમાં ગુજરાત દર્પણનું વિલીનીકરણકરણ કરવું અને તેનું સાપ્તાહિકમાંથી દૈનિક બનવું, આ પત્રના 1863માં આરંભથી લઈ આજ સુધીની દોઢ સો વર્ષથી વધુની આખી યાત્રા સુરત તેમજ ગુજરાતી પત્રકારત્વને ગૌરવ અપાવનારી છે.

સુરતમિત્ર અને પછીથી નવા નામે ઓળખાતું ગુજરાતમિત્ર શરૂ કરનારા દીનશા તાલિયારખાન સુરતના મશહૂર અરદેશર કોટવાલના કુટુંબીજન હતા. એ સમયના અખબારોએ ન ફક્ત ગુજરાતમિત્ર પરંતુ તેના માલિક-તંત્રી દીનશા તાલિયારખાનની તટસ્થતા અને નીડરતાના ભરપૂર વખાણ કર્યા હતા. 1870માં દીનશા તાલિયારખાને નાદુરસ્ત તબિયતના કારણોસર ગુજરાતમિત્રના તંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું પણ હા, ગુજરાતમિત્ર સાથેનો તેમનો સંબંધ મરતેદમતક અકબંધ રહ્યો હતો. દીનશા તાલિયારખાન પાસેથી પંદર સજ્જનોની બનેલી એક કંપનીએ ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. ગુજરાતમિત્રના નવા તંત્રી કીકાભાઈ પ્રભુદાસ બન્યા હતા. કીકાભાઈના મિત્ર મંછારામે એ સમયે ગુજરાતમિત્રમાં ધકધકતી ભાષામાં લેખો લખી સુધરાઈના વેરા, મીઠાના વેરા, પરવાનાના વેરા વગેરે સામે ઝુંબેશ ઉપાડી હતી. અંગ્રેજ સરકારની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ ગુજરાતમિત્રમાં કરવામાં આવતો હતો. 1878માં સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા ત્યારે ગુજરાતમિત્રના લખાણોને તોફાનો થવા પાછળ જવાબદાર ગણતા અંગ્રેજ સરકારે ગુજરાતમિત્રના તંત્રી કીકાભાઈ અને લેખક મંછારામની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કેસ કર્યો હતો, જે સુરત રાયટ કેસ તરીકે જાણીતો થયો હતો. મુંબઈના વિખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોજશાહ મહેતાએ કીકાભાઈ અને મંછારામ વતી કેસ લડ્યો હતો. 29 સપ્ટેમ્બર, 1878માં ગુજરાતમિત્રના તંત્રી અને લેખકને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

- Advertisement -

બ્રિટીશ સરકાર પર કરેલી ટિકાટિપ્પણીઓ અંગ્રેજ પણ વાંચી શકે તે માટે ગુજરાતમિત્રમાં કેટલાંક સમાચારો અંગ્રેજીમાં છપાતા હતા. રજવાડાઓ વિશેની ખબરો નામજોગ ગુજરાતમિત્ર છાપતું હતું. 1872માં ગુજરાતમિત્રના ચારસો જેટલા ગ્રાહક હતા. વર્ષની શરૂઆતમાં ગુજરાતમિત્રનું લવાજમ ભરનારે 6 રૂપિયા તેમજ વર્ષાન્તે લવાજમ ભરનારે 10 રૂપિયા ચૂકવવાના રહેતા હતા. ગુજરાતમિત્ર શરૂ થયાના બેથી ત્રણ દસકમાં જાણીતું પત્ર બની ગયું હતું. સુરતના સર્વતોમુખી વિકાસમાં તે મહત્વનું યોગદાન ધરાવવા લાગ્યું હતું. મંછારામે ગુજરાતમિત્રનું આશરે ત્રેવીસ વર્ષ સંચાલન કરી તેને સ્થિર અને નિયમિત પ્રસિદ્ધ થતું પત્ર બનાવ્યું હતું. ગુજરાતમિત્રના માલિક 1893માં ફરી એકવાર બદલાઈ છે. કીકાભાઈ પાસેથી હોરમસજી ફરદૂનજી ડોક્ટરે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું, અને પછી તેમનું અવસાન થતા ગુજરાતમિત્રને તેના સેક્રેટરી હોરમસજી જમશેદજીએ 1894માં ખરીદી લીધું હતું. 1907માં તેમનું પણ અવસાન થતાં ફરી ગુજરાતમિત્રના સેક્રેટરી ચુનીલાલ શાહ અને શાવકશા હોરમસજી અસુખાંએ તેનું સંચાલન સંભાળ્યું હતું. આગળ જતા ગુજરાતમિત્રને રેશમવાળા પરિવારનો મજબૂત ટેકો મળ્યો, 1898માં ઉત્તમરામ ઉમેદરાય રેશમવાળા ગુજરાતમિત્રના ઉપતંત્રી તરીકે નિમાયા અને 1920માં તેમણે ગુજરાતમિત્ર ખરીદી લીધું હતું. 1929માં ઉત્તમરામ રેશમવાળાનું અવસાન થયું અને તેમના મોટાપુત્ર ચંપકલાલ રેશમવાળા ગુજરાતમિત્રના તંત્રી બન્યા હતા.

ચંપકલાલને વાઘબારસના દિવસે ગુજરાતમિત્રને દૈનિક બનાવવાનો વિચાર આવ્યો, આ વિચારના મહજ ચાર દિવસ બાદ જ બેસતા વર્ષના દિવસે તેમણે ગુજરાતમિત્રનું સાપ્તાહિકમાંથી દૈનિકમાં રૂપાંતર કરી નાખ્યું. 19 નવેમ્બર 1936થી ગુજરાતમિત્ર દૈનિક તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું હતું. ગુજરાતમિત્ર દૈનિક બન્યાને એક વર્ષ પણ પૂરું થયું નહતું ત્યાં ચંપકલાલનું 1937માં અવસાન થતાં ગુજરાતમિત્રના તંત્રી અને માલિકી પદની જવાબદારી તેમના નાનાભાઈ પ્રવીણકાંત રેશમવાળા પર આવી ગઈ હતી. પ્રવીણકાંતની ઉંમર એ વખતે માત્ર વીસ વર્ષની જ હતી. પ્રવીણકાંત રેશમવાળાએ ગુજરાતમિત્રને ન માત્ર નિભાવ્યું જ પરંતુ વિકસાવ્યું પણ ખરું. ગુજરાતમિત્ર જ્યારથી સાપ્તાહિક હતું ત્યારથી તેની સાથે બટુકભાઈ દિક્ષિત જોડાયેલા હતા. બટુકભાઈ દિક્ષિતે પણ ગુજરાતમિત્રના વિકાસમાં પોતાના જીવનના પચાસ વર્ષ ન્યોછાવર કરી દીધા હતા. ઠાકોરભાઈ દેસાઈ, કંચનલાલ મામાવાળા, વલ્લભદાદ અક્કડ અને પ્રીતમલાલ મજુમદાર જેવા ભાષા અને સાહિત્યના જાણકાર પત્રકારોનો લાભ પણ ગુજરાતમિત્રને મળ્યો. 1983માં પ્રવીણકાંત રેશમવાળાનું અવસાન થયું, 46 વર્ષ સુધી તેઓ ગુજરાતમિત્રના તંત્રી રહ્યા હતા. આગળ જતા ભરત રેશમવાળા, ભગવતીકુમાર શર્મા વગેરે એકથી એક ચઢીયાતા તંત્રી, સહાયક તંત્રી અને પત્રકારનો સાથ ગુજરાતમિત્રને સાંપડતો ગયો. ગુજરાતી ભાષાના સાહિત્યકારોથી લઈ લેખકો પણ ગુજરાતમિત્રમાં જોડાતા ગયા. સુરતથી લઈ હરકોઈ શહેરના વાંચકોએ ગુજરાતમિત્રના પત્રકારત્વને વધાવ્યું અને વખાણ્યું. સ્થાપનાકાળથી લઈ વર્તમાનકાળ સુધીમાં આ પત્ર અને તેની સાથે સંકળાયેલા સૌકોઈ અનેક ઉતાર-ચઢાવ વચ્ચે પણ પ્રજાહિતમાં પત્રકારત્વનો ધર્મ ચૂક્યા નથી. અને એટલે જ દીનશા તાલિયારખાને સ્થાપેલા અને રેશમવાળા પરિવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર સુરતના હયાત પત્રોમાં સૌથી જૂનાં પત્ર તરીકે ટકી રહ્યું છે, ગુજરાતમિત્ર.

વધારો : 1862માં ખેડાવર્તમાન અને 1863માં ગુજરાતમિત્ર શરૂ થતાં ગુજરાતમાં ગુજરાતી પત્રકારત્વના મંડાણ થયા હતા. આ અગાઉ 1822માં મુંબઈમાંથી મુંબઈ સમાચાર શરૂ થઈ ચૂક્યું હતું પણ તળ ગુજરાતનું આજ સુધીનું સૌથી જૂનું પત્ર ગુજરાતમિત્ર કહી શકાય. 1871-72ના મુંબઈ ઈલાકાના સરકારી અહેવાલ અનુસાર એ વર્ષમાં ગુજરાતી પત્રોની સંખ્યા 26 હતી. આજે એ 26 પત્રોમાંથી હજુ પણ પ્રગટ થતા પત્રોમાં પ્રથમ નંબરે મુંબઈ સમાચાર બાદ બીજા નંબરે ગુજરાતમિત્ર આવે છે. દેશી રજવાડાઓમાં આવેલી પ્રજાની પીડાને પોકાર આપનાર સુરત કે ગુજરાત જ નહીં, સમગ્ર પશ્ચિમ ભારતનું પ્રથમ પત્ર ગુજરાતમિત્ર હતું. મીઠાવેરાનો દેશભરમાં પહેલોવહેલો વિરોધ કરનાર પત્ર પણ ગુજરાતમિત્ર જ હતું. દક્ષિણ ગુજરાતને અલગ યુનિવર્સિટી અપાવવાથી લઈ સુરત સુધરાઈનું મહાનગરપાલિકામાં પરિવર્તન કરાવવા સુધી અને સુરતના બંદર તથા ઉદ્યોગનો વિકાસ કરાવવાથી લઈ પત્રકારત્વની સંસ્થા શરૂ થાય તે માટેના પ્રથમ પ્રયાસ ગુજરાતમિત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: JOURNALISM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષા મંડલ : ગંદા હૈ પર ધંધા હૈ યે
Next Article ધ્યેય પ્રત્યેના સમર્પણનું સુખદ પરિણામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?