રાજકોટની રજપૂત ક્ન્યા હેત્વી પરમાર હવે બન્યા સાધ્વી જિન સતવાશ્રીજી મહારાજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે સવારે 6.00 કલાકે યોગી સભા ગૃહ, અક્ષરમંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે હેત્વીબ્ોન પરમાર મંડપમાં પ્રવેશ કરી દીક્ષા વિધીનો કાર્યક્રમ આચાર્ય ભગવંત પ્રશાંતુમૂર્તિ તીર્થભદ્ર સુરેશ્વરી મહારાજ સાહેબ્ો કરાવેલ મુમુક્ષુ હેત્વીબ્ોન પરમારને અંતિમ વિજય તિલક કરવાનો શ્રી પ્રહલાદ પ્લોટ સંઘનાં ટ્રસ્ટીશ્રીઓ દ્વારા લાભ લીધેલ હતો. આ તકે યોગી સભા ગૃહ ખાતે વિશાળ સંખ્યામાં જૈન સમાજ અને રજપુત સમાજ આ દિવ્ય ક્ષણનાં સાક્ષી બનવા ઉપસ્થિત રહેલ હતો. આ ભવનિસ્તારિણી દીક્ષાનો મંગલ અવસરે શબ્દોનો વૈભવ પાથરશે સુરતનાં હાર્દિકભાઈ શાહ અને સ્વર પુરાવેલ હતે અમદાવાદનાં શનીભાઈ શાહ ખાસ પ્રસંગેને અનુરુપ પ્રસ્તુતી કરેલ. દિક્ષા બાદ રજપુત ક્નયા હેત્વીબ્ોન પરમાર હવે થી પ.પૂ.સાધ્વીજી જિન સત્વાશ્રીજી મહારાજ સાહેબ તરીકે નામકરણ કરવામાં આવેલ.
આ દિવ્ય દીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયનાં પૂ.ધીરજમુની મહારાજ સાહેબ, સંઘાણી સંપ્રદાયનાં પ.પૂ. પંથકમુની મહારાજ સાહેબ તેમજ શાસન ચંદ્રીકા હીરાબ્ાાઈ મહાસતીજીનાં સુશીષ્યા પૂ.જ્યોતિબાઈ મહાસતીજી તેમજ પ.પૂ.સ્મિતાબાઈ મહાસતીજીએ પાવનનિશ્રા પ્રદાન કરેલ હતી. 14 ઉ5કરણો તથા જીવદયાનો આ તકે ફાળો કરવામાં આવેલ હતો તમામ બોલી માતબર રકમ સાથે ગઈ હતી. ગુરુ મહારાજ સાહેબ જણાવેલ કે આ તો પરમાર પરિવાર અને રજપુત સમાજની વિશાળ હૃદયતાને લીધે આવો ભવ્યાતિ ભવ્ય સંયમ દિક્ષા અંગીકાર પ્રસંગ ઉજવાયેલ છે. તેમજ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનો પણ વિશેષ આભાર વ્યકત કરેલ હતો. રાજકોટનાં તમામ દેરાવાસી સંઘો અને ટ્રસ્ટીઓ દ્વારા તેમજ યુવક મંડળ દ્વારા પૂજય ગુરુ ભગવંત આચાર્ય શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ સાહેબને રાજકોટને ચાતુર્માસ માટે ખૂબ ભાવભરી વિનંતી કરેલ હતી. અને માતા પિતા પણ આવા ઉદાર હૃદય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આશિર્વાદ પાઠવેલ હતા. અંતમાં કરણપરા રજપુત પરિવારનાં વિમલભાઈ મનુભાઈ પરમાર દ્વારા પૂ. ગુરુદેવો અને પૂ. સાધ્વીજી ભગવંતો, શ્રી પ્રહલાદ પ્લોટ જૈન મુર્તિપૂજક સંઘનાં ટ્રસ્ટીશ્રીઓ, શ્રી પ્રહલાદ પ્લોટ યુવક મંડળ, પરમ હિત યુવક મંડળ સહિત બધાનો આભાર વ્યકત કરેલ હતો. ઉપરાંત પ્રેસ મીડીયા તેમજ ઈલેકટ્રોનિકસ મીડીયાનો આ તકે આભાર વ્યકત કરેલ છે.