By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
TALK OF THE TOWN

‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:23 AM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   

  • આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   
  • જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂ
  • આલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?
  • કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂ
  • જામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપ
  • રાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

‘ખાસ-ખબર’ ટીમ દ્વારા રૈયારોડ પર આવેલી મનમંદિર અને જયઅંબે પાનહાઉસ તથા શાપરમાં આવેલી શિવશક્તિ અને ક્રિષ્ના ડિલક્ષ પાનની દુકાનોમાં વેંચવામાં આવતા ગેરકાયદે આયુર્વેદિક પીણાના નામે વેંચાતા દારૂનું સ્ટિંગ ઓપરેશન જોવા અહીં ક્લિક કરો 
https://www.youtube.com/watch?v=qOvelkcGc_A&t=1s 

Contents
રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂઆલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂજામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપરાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

ગુજરાતમાં નશાબંધીના આકરા અમલ માટે ગૃહવિભાગ કડક બન્યું છે તો નશો વધુ ખતરનાક અને સુરક્ષિત બન્યો છે! વાત વિચિત્ર છે, પરંતુ વાસ્તવિક છે. હાલ રાજ્યમાં કડક નશાબંધી છે, જો કે નશાના વેપારીઓ અને શોખીનો કોઈપણ રીતે નશાના વેંચાણ અને સેવનનો રસ્તો શોધી લેતા હોય છે. આજકાલ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા નફ્ફટો અને નશેડીઓ માટે આયુર્વેદિક સીરપ અમૃત સમાન પીણું બની ગયું છે. હાલ રાજકોટમાં પાનની દુકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ખાસ-ખબરે રાજકોટમાં આવેલા વિવિધ પાનના ગલ્લાનું સ્ટિંગ ઓપરેશન કરી 11થી 15% જેટલા આલ્કોહોલયુક્ત આયુર્વેદીક સીરપના ગેરકાયદે ખરીદ-વેંચાણનો પર્દાફાશ કર્યો છે.

- Advertisement -

ખાસ-ખબરની ટિમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહેલા નશાના આયુર્વેદિક’ કારોબાર અંગે ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ વિગત મુજબ રાજકોટમાં આવેલી વિવિધ પાનની દુકાનોમાં, ખાસ કરીને શાપર-વેરાવળ, મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી પાનની દુકાનોમાં જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા સહિત 18 જેટલી જુદીજુદી બ્રાન્ડ-નેમથી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચાય-પીવાય છે. આ કહેવાતી આયુર્વેદિક સીરપની બોટલ રૂ. 130થી 150, 180ના ભાવે વેચાય છે, જેની હોલસેલ કિંમત રૂ. 80 આસપાસ છે. આ આયુર્વેદિક સીરપ ગેરકાયદે પાનની દુકાનો પર વેંચાય છે એટલે તેનો ઉપયોગ પણ ગેરકાયદે થઈ રહ્યો છે. મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં આયુર્વેદિક પીણાનું ખરીદ-વેંચાણ ગેરકાનૂની છે છતાં પણ બેરોકટોક આયુર્વેદદિક સીરપના નામે દારૂની હેરફેર થઈ રહી છે. ખાસ-ખબરે જ્યારે પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપ અંગે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, રાજકોટની વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપનો જથ્થો રાજ માર્કેટિંગ નામની એજન્સી પૂરી પાડે છે. રાજ માર્કેટિંગ નામની એજન્સીના ગીરીરાજસિંહ સોઢા નામની વ્યક્તિ આયુર્વેદિક સીરપ પાનની દુકાનો સુધી પહોચાડે છે જેની પાસે આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. આ ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી નામની વ્યક્તિ પાસે પણ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રહેલી છે. નોંધનીય બાબત એ છે કે, આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટરો શું પાનની દુકાને આલ્કોહોલવાળી દવા અને પીણાં આપી શકે? અને આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય? નશાના આ કાળા કારોબારમાં ડ્રગ્સ અને ફૂડ વિભાગની સંડોવણી હોવાનું પણ માલૂમ પડી રહ્યું છે જેની ખાસ-ખબર દ્વારા તપાસ ચાલુ છે.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે કરતા થઈ ગયા છે. કારણ છે, વિવિધ બ્રાંડ અને નેમથી વેંચાતી-પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

- Advertisement -

આ સીરપમાં કેટલાં ટકા આલ્કોહોલ? કેટલો ભાવ?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 MLની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 MLની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતા વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂ.થી લઈ 150 રૂ., 180 રૂ. છે.

ગૃહમંત્રી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચનારા પર ધોંસ બોલાવે તે જરૂરી


ગુજરાતના યુવા અને યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાના કાળા કારોબાર પર સકંજો કસ્યો છે. વર્તમાન સરકારમાં નશાની હેરફેર કરનારાઓ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પોલીસ વિભાગે ડ્રગ્સનો વિક્રમજનક જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ રાજકોટમાં આયુર્વેદિક સીરપના નામે ખુલ્લેઆમ દારૂ વેંચતા-ખરીદતા વેપારીઓ પર ઘોંસ બોલાવવાની જરૂર છે. હકીકતમાં આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં કોઈ દવા નહીં પરંતુ આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં દવાની જગ્યાએ નર્યો દારૂ ભર્યો છે. દરરોજ પાનની દુકાનો પરથી આવી હજારો બોટલો વેંચાય, ખરીદાય અને પીવાય છે. અત્યંત હલકી કક્ષાના આ આયુર્વેદિક સીરપના સેવનથી એક બોટલ દારૂ પીધા જેટલો નશો થાય છે આ ઉપરાંત શરીર-સ્વાથ્ય માટે પણ કહેવાતું આયુર્વેદિક સીરપ હાનિકારક છે તેથી રાજ્યનું ગૃહવિભાગ તથા રાજકોટનું પોલીસતંત્ર ગેરકાયદે નશાયુક્ત પીણાના વેંચાણ સાથે સંકાળાયેલા તમામ પર ઘોંસ બોલાવે એ અત્યંત જરૂરી અને સમાજના હિતમાં છે.

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની કોકિલા…સરોજિની નાયડુ
Next Article ગાંધીજીના મુખેથી ‘રામ’બાણ શબ્દ સાંભળતા જ ઝીણાનું મોઢું બગડી ગયું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?