By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    10 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    8 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    9 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    9 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    10 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    9 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 day ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    10 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 day ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 day ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
TALK OF THE TOWN

‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:23 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   

  • આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   
  • જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂ
  • આલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?
  • કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂ
  • જામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપ
  • રાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

‘ખાસ-ખબર’ ટીમ દ્વારા રૈયારોડ પર આવેલી મનમંદિર અને જયઅંબે પાનહાઉસ તથા શાપરમાં આવેલી શિવશક્તિ અને ક્રિષ્ના ડિલક્ષ પાનની દુકાનોમાં વેંચવામાં આવતા ગેરકાયદે આયુર્વેદિક પીણાના નામે વેંચાતા દારૂનું સ્ટિંગ ઓપરેશન જોવા અહીં ક્લિક કરો 
https://www.youtube.com/watch?v=qOvelkcGc_A&t=1s 

Contents
રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂઆલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂજામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપરાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

ગુજરાતમાં નશાબંધીના આકરા અમલ માટે ગૃહવિભાગ કડક બન્યું છે તો નશો વધુ ખતરનાક અને સુરક્ષિત બન્યો છે! વાત વિચિત્ર છે, પરંતુ વાસ્તવિક છે. હાલ રાજ્યમાં કડક નશાબંધી છે, જો કે નશાના વેપારીઓ અને શોખીનો કોઈપણ રીતે નશાના વેંચાણ અને સેવનનો રસ્તો શોધી લેતા હોય છે. આજકાલ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા નફ્ફટો અને નશેડીઓ માટે આયુર્વેદિક સીરપ અમૃત સમાન પીણું બની ગયું છે. હાલ રાજકોટમાં પાનની દુકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ખાસ-ખબરે રાજકોટમાં આવેલા વિવિધ પાનના ગલ્લાનું સ્ટિંગ ઓપરેશન કરી 11થી 15% જેટલા આલ્કોહોલયુક્ત આયુર્વેદીક સીરપના ગેરકાયદે ખરીદ-વેંચાણનો પર્દાફાશ કર્યો છે.

- Advertisement -

ખાસ-ખબરની ટિમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહેલા નશાના આયુર્વેદિક’ કારોબાર અંગે ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ વિગત મુજબ રાજકોટમાં આવેલી વિવિધ પાનની દુકાનોમાં, ખાસ કરીને શાપર-વેરાવળ, મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી પાનની દુકાનોમાં જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા સહિત 18 જેટલી જુદીજુદી બ્રાન્ડ-નેમથી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચાય-પીવાય છે. આ કહેવાતી આયુર્વેદિક સીરપની બોટલ રૂ. 130થી 150, 180ના ભાવે વેચાય છે, જેની હોલસેલ કિંમત રૂ. 80 આસપાસ છે. આ આયુર્વેદિક સીરપ ગેરકાયદે પાનની દુકાનો પર વેંચાય છે એટલે તેનો ઉપયોગ પણ ગેરકાયદે થઈ રહ્યો છે. મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં આયુર્વેદિક પીણાનું ખરીદ-વેંચાણ ગેરકાનૂની છે છતાં પણ બેરોકટોક આયુર્વેદદિક સીરપના નામે દારૂની હેરફેર થઈ રહી છે. ખાસ-ખબરે જ્યારે પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપ અંગે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, રાજકોટની વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપનો જથ્થો રાજ માર્કેટિંગ નામની એજન્સી પૂરી પાડે છે. રાજ માર્કેટિંગ નામની એજન્સીના ગીરીરાજસિંહ સોઢા નામની વ્યક્તિ આયુર્વેદિક સીરપ પાનની દુકાનો સુધી પહોચાડે છે જેની પાસે આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. આ ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી નામની વ્યક્તિ પાસે પણ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રહેલી છે. નોંધનીય બાબત એ છે કે, આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટરો શું પાનની દુકાને આલ્કોહોલવાળી દવા અને પીણાં આપી શકે? અને આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય? નશાના આ કાળા કારોબારમાં ડ્રગ્સ અને ફૂડ વિભાગની સંડોવણી હોવાનું પણ માલૂમ પડી રહ્યું છે જેની ખાસ-ખબર દ્વારા તપાસ ચાલુ છે.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે કરતા થઈ ગયા છે. કારણ છે, વિવિધ બ્રાંડ અને નેમથી વેંચાતી-પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

- Advertisement -

આ સીરપમાં કેટલાં ટકા આલ્કોહોલ? કેટલો ભાવ?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 MLની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 MLની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતા વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂ.થી લઈ 150 રૂ., 180 રૂ. છે.

ગૃહમંત્રી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચનારા પર ધોંસ બોલાવે તે જરૂરી


ગુજરાતના યુવા અને યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાના કાળા કારોબાર પર સકંજો કસ્યો છે. વર્તમાન સરકારમાં નશાની હેરફેર કરનારાઓ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પોલીસ વિભાગે ડ્રગ્સનો વિક્રમજનક જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ રાજકોટમાં આયુર્વેદિક સીરપના નામે ખુલ્લેઆમ દારૂ વેંચતા-ખરીદતા વેપારીઓ પર ઘોંસ બોલાવવાની જરૂર છે. હકીકતમાં આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં કોઈ દવા નહીં પરંતુ આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં દવાની જગ્યાએ નર્યો દારૂ ભર્યો છે. દરરોજ પાનની દુકાનો પરથી આવી હજારો બોટલો વેંચાય, ખરીદાય અને પીવાય છે. અત્યંત હલકી કક્ષાના આ આયુર્વેદિક સીરપના સેવનથી એક બોટલ દારૂ પીધા જેટલો નશો થાય છે આ ઉપરાંત શરીર-સ્વાથ્ય માટે પણ કહેવાતું આયુર્વેદિક સીરપ હાનિકારક છે તેથી રાજ્યનું ગૃહવિભાગ તથા રાજકોટનું પોલીસતંત્ર ગેરકાયદે નશાયુક્ત પીણાના વેંચાણ સાથે સંકાળાયેલા તમામ પર ઘોંસ બોલાવે એ અત્યંત જરૂરી અને સમાજના હિતમાં છે.

You Might Also Like

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ

અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની કોકિલા…સરોજિની નાયડુ
Next Article ગાંધીજીના મુખેથી ‘રામ’બાણ શબ્દ સાંભળતા જ ઝીણાનું મોઢું બગડી ગયું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNગુજરાત

અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?