By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    14 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    11 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    12 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    12 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    12 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    14 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર
TALK OF THE TOWN

‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:23 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   

  • આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   
  • જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂ
  • આલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?
  • કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂ
  • જામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપ
  • રાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

‘ખાસ-ખબર’ ટીમ દ્વારા રૈયારોડ પર આવેલી મનમંદિર અને જયઅંબે પાનહાઉસ તથા શાપરમાં આવેલી શિવશક્તિ અને ક્રિષ્ના ડિલક્ષ પાનની દુકાનોમાં વેંચવામાં આવતા ગેરકાયદે આયુર્વેદિક પીણાના નામે વેંચાતા દારૂનું સ્ટિંગ ઓપરેશન જોવા અહીં ક્લિક કરો 
https://www.youtube.com/watch?v=qOvelkcGc_A&t=1s 

Contents
રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!   આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ   જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂઆલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂજામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપરાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!

ગુજરાતમાં નશાબંધીના આકરા અમલ માટે ગૃહવિભાગ કડક બન્યું છે તો નશો વધુ ખતરનાક અને સુરક્ષિત બન્યો છે! વાત વિચિત્ર છે, પરંતુ વાસ્તવિક છે. હાલ રાજ્યમાં કડક નશાબંધી છે, જો કે નશાના વેપારીઓ અને શોખીનો કોઈપણ રીતે નશાના વેંચાણ અને સેવનનો રસ્તો શોધી લેતા હોય છે. આજકાલ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા નફ્ફટો અને નશેડીઓ માટે આયુર્વેદિક સીરપ અમૃત સમાન પીણું બની ગયું છે. હાલ રાજકોટમાં પાનની દુકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ખાસ-ખબરે રાજકોટમાં આવેલા વિવિધ પાનના ગલ્લાનું સ્ટિંગ ઓપરેશન કરી 11થી 15% જેટલા આલ્કોહોલયુક્ત આયુર્વેદીક સીરપના ગેરકાયદે ખરીદ-વેંચાણનો પર્દાફાશ કર્યો છે.

- Advertisement -

ખાસ-ખબરની ટિમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહેલા નશાના આયુર્વેદિક’ કારોબાર અંગે ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ વિગત મુજબ રાજકોટમાં આવેલી વિવિધ પાનની દુકાનોમાં, ખાસ કરીને શાપર-વેરાવળ, મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી પાનની દુકાનોમાં જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા સહિત 18 જેટલી જુદીજુદી બ્રાન્ડ-નેમથી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચાય-પીવાય છે. આ કહેવાતી આયુર્વેદિક સીરપની બોટલ રૂ. 130થી 150, 180ના ભાવે વેચાય છે, જેની હોલસેલ કિંમત રૂ. 80 આસપાસ છે. આ આયુર્વેદિક સીરપ ગેરકાયદે પાનની દુકાનો પર વેંચાય છે એટલે તેનો ઉપયોગ પણ ગેરકાયદે થઈ રહ્યો છે. મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં આયુર્વેદિક પીણાનું ખરીદ-વેંચાણ ગેરકાનૂની છે છતાં પણ બેરોકટોક આયુર્વેદદિક સીરપના નામે દારૂની હેરફેર થઈ રહી છે. ખાસ-ખબરે જ્યારે પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપ અંગે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, રાજકોટની વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપનો જથ્થો રાજ માર્કેટિંગ નામની એજન્સી પૂરી પાડે છે. રાજ માર્કેટિંગ નામની એજન્સીના ગીરીરાજસિંહ સોઢા નામની વ્યક્તિ આયુર્વેદિક સીરપ પાનની દુકાનો સુધી પહોચાડે છે જેની પાસે આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. આ ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી નામની વ્યક્તિ પાસે પણ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રહેલી છે. નોંધનીય બાબત એ છે કે, આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટરો શું પાનની દુકાને આલ્કોહોલવાળી દવા અને પીણાં આપી શકે? અને આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય? નશાના આ કાળા કારોબારમાં ડ્રગ્સ અને ફૂડ વિભાગની સંડોવણી હોવાનું પણ માલૂમ પડી રહ્યું છે જેની ખાસ-ખબર દ્વારા તપાસ ચાલુ છે.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે કરતા થઈ ગયા છે. કારણ છે, વિવિધ બ્રાંડ અને નેમથી વેંચાતી-પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

- Advertisement -

આ સીરપમાં કેટલાં ટકા આલ્કોહોલ? કેટલો ભાવ?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 MLની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 MLની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતા વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂ.થી લઈ 150 રૂ., 180 રૂ. છે.

ગૃહમંત્રી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચનારા પર ધોંસ બોલાવે તે જરૂરી


ગુજરાતના યુવા અને યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાના કાળા કારોબાર પર સકંજો કસ્યો છે. વર્તમાન સરકારમાં નશાની હેરફેર કરનારાઓ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પોલીસ વિભાગે ડ્રગ્સનો વિક્રમજનક જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ રાજકોટમાં આયુર્વેદિક સીરપના નામે ખુલ્લેઆમ દારૂ વેંચતા-ખરીદતા વેપારીઓ પર ઘોંસ બોલાવવાની જરૂર છે. હકીકતમાં આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં કોઈ દવા નહીં પરંતુ આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં દવાની જગ્યાએ નર્યો દારૂ ભર્યો છે. દરરોજ પાનની દુકાનો પરથી આવી હજારો બોટલો વેંચાય, ખરીદાય અને પીવાય છે. અત્યંત હલકી કક્ષાના આ આયુર્વેદિક સીરપના સેવનથી એક બોટલ દારૂ પીધા જેટલો નશો થાય છે આ ઉપરાંત શરીર-સ્વાથ્ય માટે પણ કહેવાતું આયુર્વેદિક સીરપ હાનિકારક છે તેથી રાજ્યનું ગૃહવિભાગ તથા રાજકોટનું પોલીસતંત્ર ગેરકાયદે નશાયુક્ત પીણાના વેંચાણ સાથે સંકાળાયેલા તમામ પર ઘોંસ બોલાવે એ અત્યંત જરૂરી અને સમાજના હિતમાં છે.

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની કોકિલા…સરોજિની નાયડુ
Next Article ગાંધીજીના મુખેથી ‘રામ’બાણ શબ્દ સાંભળતા જ ઝીણાનું મોઢું બગડી ગયું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?