By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    41 minutes ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    22 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    24 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    54 minutes ago
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    22 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    22 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    22 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    32 minutes ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    22 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    45 minutes ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
ASTROLOGERAuthorRajesh Bhattખાસ-ખબર

ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:53 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે

વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે

- Advertisement -

વાસ્તુ લેખમાળાના આજના આ અંકની અંદર આપણે વાસ્તુશાસ્ત્રમાં સવિશેષ મહત્ત્વ ધરાવતાં ઈશાન ખૂણા વિશે માહિતી મેળવીશું.
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે. દેવતાઓની વાત કરીએ તો ભગવાન શિવ એટલે કે મહાદેવજીનો ઈશાન ખૂણા પર સવિશેષ પ્રભાવ રહેલો છે. આ ઉપરાંત જો ગ્રહોની વાત કરીએ તો દેવગુરૂ બૃહસ્પતિ એટલે કે ગુરૂ મહારાજ પણ ઈશાન ખૂણા ઉપર આધિપત્ય ધરાવે છે અને તેથી જ વાસ્તુની અંદર બધા જ ખૂણા અને દિશાઓની અંદર ઈશાન ખૂણાનું મહત્ત્વ ઘણું વધારે છે.
આ ખૂણાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાંથી આવતી શુભ ઊર્જાઓ અહીંથી આપની પ્રોપર્ટીમાં ફેલાય છે એટલે સારી ઊર્જાને પ્રદૂષિત અથવા તો નબળી કરી શકે તેવું કોઈપણ બાંધકામ જો અહીં હશે તો પૂરા ઘરની ઊર્જાની સાયકલ નબળી પડશે કે પ્રભાવિત થશે અને જો ઘરની અંદર ઈશાન ખૂણો વ્યવસ્થિત હોય તો સફળતા અને સુખાકારી માટે આપને ભરપૂર તકો પ્રદાન કરશે.
સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આપની રેસિડેન્સીયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ?
દેવતાઓની દિશા હોવાને કારણે ઈશાન ખૂણામાં મંદિર રાખવું સૌથી ઉત્તમ રહેશે.
ડીઝાઈનીંગ કરતી વખતે આજકાલ લોકો ભગવાન માટે એક અલગ રૂમ બનાવવાની ઈચ્છા રાખતાં હોય છે, જે ઘણી સારી બાબત છે. ઘણાં લોકો ઈશાન ખૂણામાં મંદિર બનાવ્યા બાદ મંદિરની ઉપર ઘરની અન્ય વસ્તુઓનું સ્ટોરેજ કરતાં હોય છે, જે યોગ્ય નથી.

મંદિરની ઉપર કોઈપણ પ્રકારનું વજન રાખવું નહીં. યાદ રાખશો, આપની મિલ્કતની અંદર ઈશાન ખૂણાની અંદર સૌથી ઓછું વજન હોવું જોઈએ.
ઈશાન ખૂણામાં પૂજા રૂમ કે પૂજા મંદિર બનાવી શકાય. ઘણાં લોકો એ ભૂલ કરતાં હોય છે કે પૂજા કરતી વખતે પોતાનું મુખ ઉત્તર દિશા તરફ અને ભગવાનનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તેવી રીતે મંદિરની ગોઠવણી કરતાં હોય છે જે યોગ્ય નથી. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશા તરફ રહે તે રીતે ભગવાનની મૂર્તિઓ કે ભગવાનના ચિત્રોની ગોઠવણી કરવી.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો યોગ, પ્રાણાયામ અને અધ્યાત્મ માર્ગમાં ધ્યાન માટે પણ ઘણી સાધનાઓ કરતાં હોય છે તેમના માટે પણ ઈશાન ખૂણો જ સૌથી શ્રેષ્ઠ રહેશે.
આપણે ભાગ્યે જ કોઈ એવું ઘર જોયું હશે કે જ્યાં તુલસીજી ન વાવ્યા હોય. આપણી સંસ્કૃતિમાં તો તુલસીજીનું મહત્ત્વ એટલું છે કે જો બહુ મોટી જગ્યા ન હોય તો લોકો નાનકડાં કુંડામાં પણ ઘરની અંદર એક તુલસીનો છોડ અચૂક રાખે છે. ઈશાન ખૂણો તુલસીનો છોડ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ ખૂણો છે.
હવે તો લોકો ફેકટરીની અંદર પણ ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરતાં હોય છે. આગળ કહ્યા મુજબ આ ખૂણામાં આપણે વજન ખૂબ જ ઓછું રાખવાનું છે, માટે ફેકટરીની અંદર જો ઈશાન ખૂણામાં ખુલ્લામાં મંદિર બનાવો તો ત્યાં વજન કે મંદિરની ઊંચાઈ ખૂબ વધી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખશો.
ઈશાન ખૂણાની અંદર બાળકોના ભણવા માટે સ્ટડી રૂમ બનાવી શકાય છે. બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે.
ઘણાં ઉગ્ર સ્વભાવના બાળકો પણ જો અહીં બેસીને ભણશે તો તે પણ સારી રીતે ભણી શકશે, કેમકે ઈશાન ખૂણામાં રહેલું જળતત્ત્વ તેમની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
જો ઈશાન ખૂણામાં બાળકોનું સ્ટડી ટેબલ રાખવાનું હોય તો બાળક પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભણી શકે તે રીતે ગોઠવવું, પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આપણે ઈશાન ખૂણામાં ભારે વજનવાળા ફર્નીચરની ગોઠવણી કરવાની નથી તેથી સ્ટડી ટેબલ ઈશાન ખૂણામાં પ્રમાણમાં હલકું વજન ધરાવતાં હોય તેવા પસંદ કરવા.
વાસ્તુ પ્રમાણે પ્રવેશદ્વાર અને આપનો લિવિંગરૂમ કે બેઠક રૂમ પૂર્વ દિશાથી લઈ ઈશાન અને ઉત્તર દિશા સુધી બનાવી શકાય. જો આપના ઘરની એન્ટ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો આપના બેઠક રૂમ માટે પૂર્વ, ઉત્તર કે ઈશાનનો ઝોન સૌથી યોગ્ય રહેશે. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે સોફા કે અન્ય ફર્નીચરની ગોઠવણી ઈશાન ખૂણામાં ન કરતાં તેને પ્રમાણમાં ખાલી રાખવી અને સોફા ને લિવિંગ રૂમની પશ્ર્ચિમ અને દક્ષિણા દિશા તરફ ગોઠવવા.
પૂર્વ, ઉત્તર અને ઈશાન ખૂણાના લિવિંગ રૂમમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે બધાં જ ફર્નીચરની અંદર ઓછા વજન ધરાવતાં ફર્નીચરને પસંદ કરવું. સાથે-સાથે આપના લિવિંગ રૂમમાંથી જો બાલ્કની બનાવવાની હોય તો તે પણ પૂર્વ બાજુના ઈશાન કે ઉત્તર બાજુના ઈશાનમાં બનાવી શકાય તો વધારે સારૂં રહેશે.
ઉપરાંત જો વિન્ડો કે બારીઓ મૂકવાની હોય તો તે પણ આ ખૂણામાં મૂકી શકાય છે.
કોમર્શિયલ ઓફિસમાં સ્ટાફને બેસવાની વાત કરીએ તો ઈશાન ખૂણાની અંદર આપની એકાઉન્ટ ટીમને બેસાડવી જોઈએ.
વાસ્તુ લેખમાળાના આજના પ્રકરણમાં આપણે ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ, કે જે આપણા જીવનની સુખાકારી માટે યોગ્ય છે તે વિશે ચર્ચા કરી. આવતાં અંકમાં વાસ્તુની અંદર ઈશાન ખૂણાની અંદર ક્યા પ્રકારના બાંધકામથી વાસ્તુદોષ ઉદ્ભવે છે અને આપણા જીવન પર તેની શું અસર થાય છે? તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે….

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

- Advertisement -

You Might Also Like

મેષ, કર્ક અને કુમ્ભ સહીત જાણો કઈ રાશિના જાતકો માટે એક મહિનો શનિદેવ લેશે અગ્નિપરીક્ષા

વાસ્તુ ટિપ્સ: પૈસા તાકતા નથી? જાણો પર્સમાં કઈ 5 વસ્તુ રાખવાથી ક્યારેય નહિ થાય તંગી!

મંગળનું મહા-પરિવર્તન: મેષ-સિંહ સહિત જાણો બીજી કઈ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય તથા અઢળક ધનલાભના પણ યોગ

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

સાપ્તાહિક રાશિફળમાં જાણો 20થી 26 એપ્રિલ 2026નું આ સપ્તાહનું રાશિફળ

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!
Next Article કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું!

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
મેષ, કર્ક અને કુમ્ભ સહીત જાણો કઈ રાશિના જાતકો માટે એક મહિનો શનિદેવ લેશે અગ્નિપરીક્ષા
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મેષ, કર્ક અને કુમ્ભ સહીત જાણો કઈ રાશિના જાતકો માટે એક મહિનો શનિદેવ લેશે અગ્નિપરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
ASTROLOGER

વાસ્તુ ટિપ્સ: પૈસા તાકતા નથી? જાણો પર્સમાં કઈ 5 વસ્તુ રાખવાથી ક્યારેય નહિ થાય તંગી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ASTROLOGER

મંગળનું મહા-પરિવર્તન: મેષ-સિંહ સહિત જાણો બીજી કઈ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય તથા અઢળક ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?