By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    18 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    19 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    18 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    19 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
ASTROLOGERAuthorRajesh Bhattખાસ-ખબર

ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:53 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે

વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે

- Advertisement -

વાસ્તુ લેખમાળાના આજના આ અંકની અંદર આપણે વાસ્તુશાસ્ત્રમાં સવિશેષ મહત્ત્વ ધરાવતાં ઈશાન ખૂણા વિશે માહિતી મેળવીશું.
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે. દેવતાઓની વાત કરીએ તો ભગવાન શિવ એટલે કે મહાદેવજીનો ઈશાન ખૂણા પર સવિશેષ પ્રભાવ રહેલો છે. આ ઉપરાંત જો ગ્રહોની વાત કરીએ તો દેવગુરૂ બૃહસ્પતિ એટલે કે ગુરૂ મહારાજ પણ ઈશાન ખૂણા ઉપર આધિપત્ય ધરાવે છે અને તેથી જ વાસ્તુની અંદર બધા જ ખૂણા અને દિશાઓની અંદર ઈશાન ખૂણાનું મહત્ત્વ ઘણું વધારે છે.
આ ખૂણાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાંથી આવતી શુભ ઊર્જાઓ અહીંથી આપની પ્રોપર્ટીમાં ફેલાય છે એટલે સારી ઊર્જાને પ્રદૂષિત અથવા તો નબળી કરી શકે તેવું કોઈપણ બાંધકામ જો અહીં હશે તો પૂરા ઘરની ઊર્જાની સાયકલ નબળી પડશે કે પ્રભાવિત થશે અને જો ઘરની અંદર ઈશાન ખૂણો વ્યવસ્થિત હોય તો સફળતા અને સુખાકારી માટે આપને ભરપૂર તકો પ્રદાન કરશે.
સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આપની રેસિડેન્સીયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ?
દેવતાઓની દિશા હોવાને કારણે ઈશાન ખૂણામાં મંદિર રાખવું સૌથી ઉત્તમ રહેશે.
ડીઝાઈનીંગ કરતી વખતે આજકાલ લોકો ભગવાન માટે એક અલગ રૂમ બનાવવાની ઈચ્છા રાખતાં હોય છે, જે ઘણી સારી બાબત છે. ઘણાં લોકો ઈશાન ખૂણામાં મંદિર બનાવ્યા બાદ મંદિરની ઉપર ઘરની અન્ય વસ્તુઓનું સ્ટોરેજ કરતાં હોય છે, જે યોગ્ય નથી.

મંદિરની ઉપર કોઈપણ પ્રકારનું વજન રાખવું નહીં. યાદ રાખશો, આપની મિલ્કતની અંદર ઈશાન ખૂણાની અંદર સૌથી ઓછું વજન હોવું જોઈએ.
ઈશાન ખૂણામાં પૂજા રૂમ કે પૂજા મંદિર બનાવી શકાય. ઘણાં લોકો એ ભૂલ કરતાં હોય છે કે પૂજા કરતી વખતે પોતાનું મુખ ઉત્તર દિશા તરફ અને ભગવાનનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તેવી રીતે મંદિરની ગોઠવણી કરતાં હોય છે જે યોગ્ય નથી. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશા તરફ રહે તે રીતે ભગવાનની મૂર્તિઓ કે ભગવાનના ચિત્રોની ગોઠવણી કરવી.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો યોગ, પ્રાણાયામ અને અધ્યાત્મ માર્ગમાં ધ્યાન માટે પણ ઘણી સાધનાઓ કરતાં હોય છે તેમના માટે પણ ઈશાન ખૂણો જ સૌથી શ્રેષ્ઠ રહેશે.
આપણે ભાગ્યે જ કોઈ એવું ઘર જોયું હશે કે જ્યાં તુલસીજી ન વાવ્યા હોય. આપણી સંસ્કૃતિમાં તો તુલસીજીનું મહત્ત્વ એટલું છે કે જો બહુ મોટી જગ્યા ન હોય તો લોકો નાનકડાં કુંડામાં પણ ઘરની અંદર એક તુલસીનો છોડ અચૂક રાખે છે. ઈશાન ખૂણો તુલસીનો છોડ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ ખૂણો છે.
હવે તો લોકો ફેકટરીની અંદર પણ ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરતાં હોય છે. આગળ કહ્યા મુજબ આ ખૂણામાં આપણે વજન ખૂબ જ ઓછું રાખવાનું છે, માટે ફેકટરીની અંદર જો ઈશાન ખૂણામાં ખુલ્લામાં મંદિર બનાવો તો ત્યાં વજન કે મંદિરની ઊંચાઈ ખૂબ વધી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખશો.
ઈશાન ખૂણાની અંદર બાળકોના ભણવા માટે સ્ટડી રૂમ બનાવી શકાય છે. બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે.
ઘણાં ઉગ્ર સ્વભાવના બાળકો પણ જો અહીં બેસીને ભણશે તો તે પણ સારી રીતે ભણી શકશે, કેમકે ઈશાન ખૂણામાં રહેલું જળતત્ત્વ તેમની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
જો ઈશાન ખૂણામાં બાળકોનું સ્ટડી ટેબલ રાખવાનું હોય તો બાળક પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભણી શકે તે રીતે ગોઠવવું, પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આપણે ઈશાન ખૂણામાં ભારે વજનવાળા ફર્નીચરની ગોઠવણી કરવાની નથી તેથી સ્ટડી ટેબલ ઈશાન ખૂણામાં પ્રમાણમાં હલકું વજન ધરાવતાં હોય તેવા પસંદ કરવા.
વાસ્તુ પ્રમાણે પ્રવેશદ્વાર અને આપનો લિવિંગરૂમ કે બેઠક રૂમ પૂર્વ દિશાથી લઈ ઈશાન અને ઉત્તર દિશા સુધી બનાવી શકાય. જો આપના ઘરની એન્ટ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો આપના બેઠક રૂમ માટે પૂર્વ, ઉત્તર કે ઈશાનનો ઝોન સૌથી યોગ્ય રહેશે. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે સોફા કે અન્ય ફર્નીચરની ગોઠવણી ઈશાન ખૂણામાં ન કરતાં તેને પ્રમાણમાં ખાલી રાખવી અને સોફા ને લિવિંગ રૂમની પશ્ર્ચિમ અને દક્ષિણા દિશા તરફ ગોઠવવા.
પૂર્વ, ઉત્તર અને ઈશાન ખૂણાના લિવિંગ રૂમમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે બધાં જ ફર્નીચરની અંદર ઓછા વજન ધરાવતાં ફર્નીચરને પસંદ કરવું. સાથે-સાથે આપના લિવિંગ રૂમમાંથી જો બાલ્કની બનાવવાની હોય તો તે પણ પૂર્વ બાજુના ઈશાન કે ઉત્તર બાજુના ઈશાનમાં બનાવી શકાય તો વધારે સારૂં રહેશે.
ઉપરાંત જો વિન્ડો કે બારીઓ મૂકવાની હોય તો તે પણ આ ખૂણામાં મૂકી શકાય છે.
કોમર્શિયલ ઓફિસમાં સ્ટાફને બેસવાની વાત કરીએ તો ઈશાન ખૂણાની અંદર આપની એકાઉન્ટ ટીમને બેસાડવી જોઈએ.
વાસ્તુ લેખમાળાના આજના પ્રકરણમાં આપણે ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ, કે જે આપણા જીવનની સુખાકારી માટે યોગ્ય છે તે વિશે ચર્ચા કરી. આવતાં અંકમાં વાસ્તુની અંદર ઈશાન ખૂણાની અંદર ક્યા પ્રકારના બાંધકામથી વાસ્તુદોષ ઉદ્ભવે છે અને આપણા જીવન પર તેની શું અસર થાય છે? તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે….

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

- Advertisement -

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!
Next Article કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?