By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનનું જૂઠાણું PIB ફેક્ટ ચેકમાં ઉજાગર થયું
    3 hours ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    3 hours ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    3 hours ago
    કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
    7 hours ago
    ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
    2 hours ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    3 hours ago
    પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ
    3 hours ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    3 hours ago
    ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    7 hours ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    1 day ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    1 day ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 day ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 day ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે
ASTROLOGERAuthorRajesh Bhattખાસ-ખબર

ઈશાન ખૂણામાં કઈ વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ન ઉદ્દભવે

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે

વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે

- Advertisement -

વાસ્તુ લેખમાળાના આજના આ અંકની અંદર આપણે વાસ્તુશાસ્ત્રમાં સવિશેષ મહત્ત્વ ધરાવતાં ઈશાન ખૂણા વિશે માહિતી મેળવીશું.
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે. દેવતાઓની વાત કરીએ તો ભગવાન શિવ એટલે કે મહાદેવજીનો ઈશાન ખૂણા પર સવિશેષ પ્રભાવ રહેલો છે. આ ઉપરાંત જો ગ્રહોની વાત કરીએ તો દેવગુરૂ બૃહસ્પતિ એટલે કે ગુરૂ મહારાજ પણ ઈશાન ખૂણા ઉપર આધિપત્ય ધરાવે છે અને તેથી જ વાસ્તુની અંદર બધા જ ખૂણા અને દિશાઓની અંદર ઈશાન ખૂણાનું મહત્ત્વ ઘણું વધારે છે.
આ ખૂણાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાંથી આવતી શુભ ઊર્જાઓ અહીંથી આપની પ્રોપર્ટીમાં ફેલાય છે એટલે સારી ઊર્જાને પ્રદૂષિત અથવા તો નબળી કરી શકે તેવું કોઈપણ બાંધકામ જો અહીં હશે તો પૂરા ઘરની ઊર્જાની સાયકલ નબળી પડશે કે પ્રભાવિત થશે અને જો ઘરની અંદર ઈશાન ખૂણો વ્યવસ્થિત હોય તો સફળતા અને સુખાકારી માટે આપને ભરપૂર તકો પ્રદાન કરશે.
સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આપની રેસિડેન્સીયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ?
દેવતાઓની દિશા હોવાને કારણે ઈશાન ખૂણામાં મંદિર રાખવું સૌથી ઉત્તમ રહેશે.
ડીઝાઈનીંગ કરતી વખતે આજકાલ લોકો ભગવાન માટે એક અલગ રૂમ બનાવવાની ઈચ્છા રાખતાં હોય છે, જે ઘણી સારી બાબત છે. ઘણાં લોકો ઈશાન ખૂણામાં મંદિર બનાવ્યા બાદ મંદિરની ઉપર ઘરની અન્ય વસ્તુઓનું સ્ટોરેજ કરતાં હોય છે, જે યોગ્ય નથી.

મંદિરની ઉપર કોઈપણ પ્રકારનું વજન રાખવું નહીં. યાદ રાખશો, આપની મિલ્કતની અંદર ઈશાન ખૂણાની અંદર સૌથી ઓછું વજન હોવું જોઈએ.
ઈશાન ખૂણામાં પૂજા રૂમ કે પૂજા મંદિર બનાવી શકાય. ઘણાં લોકો એ ભૂલ કરતાં હોય છે કે પૂજા કરતી વખતે પોતાનું મુખ ઉત્તર દિશા તરફ અને ભગવાનનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તેવી રીતે મંદિરની ગોઠવણી કરતાં હોય છે જે યોગ્ય નથી. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશા તરફ રહે તે રીતે ભગવાનની મૂર્તિઓ કે ભગવાનના ચિત્રોની ગોઠવણી કરવી.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો યોગ, પ્રાણાયામ અને અધ્યાત્મ માર્ગમાં ધ્યાન માટે પણ ઘણી સાધનાઓ કરતાં હોય છે તેમના માટે પણ ઈશાન ખૂણો જ સૌથી શ્રેષ્ઠ રહેશે.
આપણે ભાગ્યે જ કોઈ એવું ઘર જોયું હશે કે જ્યાં તુલસીજી ન વાવ્યા હોય. આપણી સંસ્કૃતિમાં તો તુલસીજીનું મહત્ત્વ એટલું છે કે જો બહુ મોટી જગ્યા ન હોય તો લોકો નાનકડાં કુંડામાં પણ ઘરની અંદર એક તુલસીનો છોડ અચૂક રાખે છે. ઈશાન ખૂણો તુલસીનો છોડ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ ખૂણો છે.
હવે તો લોકો ફેકટરીની અંદર પણ ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરતાં હોય છે. આગળ કહ્યા મુજબ આ ખૂણામાં આપણે વજન ખૂબ જ ઓછું રાખવાનું છે, માટે ફેકટરીની અંદર જો ઈશાન ખૂણામાં ખુલ્લામાં મંદિર બનાવો તો ત્યાં વજન કે મંદિરની ઊંચાઈ ખૂબ વધી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખશો.
ઈશાન ખૂણાની અંદર બાળકોના ભણવા માટે સ્ટડી રૂમ બનાવી શકાય છે. બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે.
ઘણાં ઉગ્ર સ્વભાવના બાળકો પણ જો અહીં બેસીને ભણશે તો તે પણ સારી રીતે ભણી શકશે, કેમકે ઈશાન ખૂણામાં રહેલું જળતત્ત્વ તેમની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
જો ઈશાન ખૂણામાં બાળકોનું સ્ટડી ટેબલ રાખવાનું હોય તો બાળક પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભણી શકે તે રીતે ગોઠવવું, પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આપણે ઈશાન ખૂણામાં ભારે વજનવાળા ફર્નીચરની ગોઠવણી કરવાની નથી તેથી સ્ટડી ટેબલ ઈશાન ખૂણામાં પ્રમાણમાં હલકું વજન ધરાવતાં હોય તેવા પસંદ કરવા.
વાસ્તુ પ્રમાણે પ્રવેશદ્વાર અને આપનો લિવિંગરૂમ કે બેઠક રૂમ પૂર્વ દિશાથી લઈ ઈશાન અને ઉત્તર દિશા સુધી બનાવી શકાય. જો આપના ઘરની એન્ટ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો આપના બેઠક રૂમ માટે પૂર્વ, ઉત્તર કે ઈશાનનો ઝોન સૌથી યોગ્ય રહેશે. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે સોફા કે અન્ય ફર્નીચરની ગોઠવણી ઈશાન ખૂણામાં ન કરતાં તેને પ્રમાણમાં ખાલી રાખવી અને સોફા ને લિવિંગ રૂમની પશ્ર્ચિમ અને દક્ષિણા દિશા તરફ ગોઠવવા.
પૂર્વ, ઉત્તર અને ઈશાન ખૂણાના લિવિંગ રૂમમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે બધાં જ ફર્નીચરની અંદર ઓછા વજન ધરાવતાં ફર્નીચરને પસંદ કરવું. સાથે-સાથે આપના લિવિંગ રૂમમાંથી જો બાલ્કની બનાવવાની હોય તો તે પણ પૂર્વ બાજુના ઈશાન કે ઉત્તર બાજુના ઈશાનમાં બનાવી શકાય તો વધારે સારૂં રહેશે.
ઉપરાંત જો વિન્ડો કે બારીઓ મૂકવાની હોય તો તે પણ આ ખૂણામાં મૂકી શકાય છે.
કોમર્શિયલ ઓફિસમાં સ્ટાફને બેસવાની વાત કરીએ તો ઈશાન ખૂણાની અંદર આપની એકાઉન્ટ ટીમને બેસાડવી જોઈએ.
વાસ્તુ લેખમાળાના આજના પ્રકરણમાં આપણે ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ, કે જે આપણા જીવનની સુખાકારી માટે યોગ્ય છે તે વિશે ચર્ચા કરી. આવતાં અંકમાં વાસ્તુની અંદર ઈશાન ખૂણાની અંદર ક્યા પ્રકારના બાંધકામથી વાસ્તુદોષ ઉદ્ભવે છે અને આપણા જીવન પર તેની શું અસર થાય છે? તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે….

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

- Advertisement -

You Might Also Like

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી

પહેલગામ હુમલો સ્પષ્ટપણે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી

ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો

જીઓ પોલિટિક્સના બદલાતા પ્રવાહોએ ભારતને વેઇટ એન્ડ વૉચ પર રાખ્યું છે?

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!
Next Article કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કેમ્પસમાં ભંગાર બનેલા વાહનો કોની રાહ જોઈ રહ્યા છે ? યોગ્ય નિકાલ જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ડુમિયાણી ટોલનાકા પર સંચાલકો ગેરકાયદે વધુ વેરા ઉઘરાવતા હોવાનો આક્ષેપ
સૌરાષ્ટ્ર-કચ્છ સૌરઊર્જા ઉત્પાદનમાં ગુજરાતમાં મોખરે
સાયલાના ગોસળ ગામના પાટિયાં નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ચોટીલા તાલુકાના સણોસરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે
જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

પહેલગામ હુમલો સ્પષ્ટપણે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?