By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    4 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    4 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    5 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    5 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    2 days ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    2 days ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    2 days ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    2 days ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    2 days ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    2 days ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    5 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 week ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું
રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

Khaskhabar Editor
Last updated: 2025/07/23 at 5:20 PM
Khaskhabar Editor 10 months ago
Share
5 Min Read
SHARE

હેમુ ગઢવી હોલ ખાતે રાજ્ય-કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાજ વિકાસ કાર્યોમાં જોડાવવા અપીલ

ઉમિયાધામ સિદસરના માધ્યમથી ‘કર્મ’નું ભાથું બાંધવા પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાની ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે ઉમિયાધામ સિદસર હંમેશાં અગ્રેસર રહ્યું છે. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા યોજાયેલ 1985નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોય, 1999નો શતાબ્દી મહોત્સવ, 2012નો રજતજયંતી મહોત્સવ હોય કે ડીસેમ્બર 2024માં મા ઉમિયા પ્રાગટ્યની 125માં વર્ષની ઉજવણી નિમિત્તે સવા શતાબ્દી મહોત્સવ હોય, ઉમિયાધામ સિદસરનો કેન્દ્રવર્તી હેતુ સમાજના દરેક વર્ગને સાથે જોડી સમાજોત્કર્ષને સર્વાંગી વિકાસ તરફ દોરી જનારો રહ્યો છે.

પાટીદારોની આસ્થાના અવિચળ કેન્દ્ર સમા ઉમિયાધામ દ્વારા સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજની પ્રગતિ માટે અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવે છે. સમાજ વિકાસ કાર્યો માટે આર્થિક સહયોગ આપનાર દિલેર દાતાઓની સાથોસાથ તન-મન-ધનથી સેવા આપનાર પાયાના પથ્થર સમાન કર્મયોગીની ટીમ પાયાની જરૂરિયાત બની રહી છે ત્યારે સામાજિક પ્રગતિ અને વિકાસને વેગ આપવા માટે સમાજના સુશિક્ષિત, બુદ્ધિજીવી અને પ્રબુદ્ધ કર્મયોગી અધિકારી-કર્મચારીઓનું ‘કર્મયોગી’ સંમેલન ગત તા. 20 ને રવિવારે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયું હતું.

- Advertisement -

રાજકોટ ખાતે યોજાયેલ આ ‘કર્મયોગી’ સ્નેહમિલન સમારોહમાં રાજ્ય-કેન્દ્ર સરકારના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, તમામ બેંક, વીમા કંપની, કોર્પોરેટ કંપનીના પ્રવૃત્ત તથા નિવૃત્ત સમગ્ર સૌરાષ્ટ્રના વર્ગ-1, વર્ગ-2ના કર્મયોગી અધિકારીઓ તથા રાજકોટ શહેરમાં સેવા આપતાં તમામ વર્ગ-3ના કર્મયોગી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયાધામ સિદસર દ્વારા આયોજિત આ કર્મયોગી સંમેલનનો મુખ્ય હેતુ પરસ્પર પરિચય કેળવી ઉપયોગી થવું, સમાજના પરિવારોને મદદરૂપ બનવું, સમાજ વિકાસ કાર્યોમાં જોડાવું અને સમાજ વિકાસ થકી રાષ્ટ્ર વિકાસને વેગ આપવો, મનપસંદ પ્રવૃત્તિઓમાં જોડાવવાનો રહ્યો હતો. આ કર્મયોગી સંમેલનમાં વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય, જળસંચય, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, સ્કીલ ડેવલોપમેન્ટ, નોલેજ અપગ્રેડેશન, માથાદીઠ આવક વધારવી, હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ, યોગ-ધ્યાન શિબિર, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પોર્ટ્સ, તંદુરસ્ત જીવનશૈલી, સામાજિક સંવાદ, વૈદિક લાઈફ, સેલ્ફ ડીફેન્સ, ડિજિટલ લીટરસી, સાયબર સિક્યુરિટી જેવી વિવિધ પ્રવૃત્તિઓને કેમ્પ, કાર્યક્રમો, સંમેલનો યોજી વેગવંતી બનાવવાની દિશામાં વિચાર-વિમર્શ કરવામાં
આવ્યો હતો.

ઉમિયાધામ સિદસરના નવનિયુક્ત પ્રમુખ પાટીદાર ભામાશા મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે ‘વેડફવું, વાપરવું અને વાવવું’ એ પૈકી વાવવું સૌથી ઉત્તમ છે એમ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કર્મયોગી સાથે મળી કર્મનું ભાથું બાંધી સમાજસેવામાં જોડાવા અપીલ કરી હતી. ઉમિયાધામના ભૂતપૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે કળિયુગમાં સંઘશક્તિ જ બળવાન છે. સંગઠન હશે તો જ સમાજ વિકાસ થશે. આઝાદી પછી કડવા પાટીદાર સમાજનો વિકાસ વેગવંતો બન્યો છે. શિક્ષણ થકી પાટીદાર સમાજનો સર્વાંગી વિકાસ થયો છે. તેઓએ પાટીદાર કર્મવીરોને આર્થિક સહયોગની સાથોસાથ સમયદાન આપી શરીર ચાલે ત્યાં સુધી સમાજનું કાર્ય કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ કર્તવ્યનું પાલન કરવું એ જ કર્મ, એ જ સત્ય અને એ જ ધર્મ હોવાનું જણાવતાં તેમણે નવી પેઢીએ સમાજ વિકાસના સદ્કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. ઉમિયાધામ સિદસરના બી. એ. ઘોડાસરાએ જણાવ્યું હતું કે કર્મયોગીઓ સમાજનું બુદ્ધિધન છે અને યહુદીઓની માફક પાટીદાર સમાજે પણ છેલ્લા 4 દસકામાં કરેલી પ્રગતિ અભ્યાસને પાત્ર છે ત્યારે સામુહિક કોમ્યુનિટીના સાધનો થકી સમાજના સર્વાંગી વિકાસ તરફ હરણફાળ ભરવા અપીલ કરી હતી. જયેશભાઈ પટેલે ઉમિયાધામ સિદસરના માધ્યમથી થયેલા સામાજિક વિકાસ કાર્યો તેમજ સિદસર, રાજકોટ, સોમનાથ, દ્વારકા તેમજ અમદાવાદની વિવિધ સામાજિક, શૈક્ષણિક પ્રોજેકટોનો ચિતાર આપ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મયોગીઓ જયમીન કાવડીયાએ ઉમિયાધામની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને કર્મયોગી તરીકે સેવા આપવા તત્પરતા દાખવી હતી. રાજકોટના સાયબર ક્રાઈમના પી.આઈ. જયેશભાઈ કૈલાએ સાયબર ક્રાઈમ અંગે જાગૃત રહેવા અને સાવચેતી કેળવવાની માહિતી આપી હતી. તાલુકા પી.આઈ. ધવલભાઈ હરીપરાએ પોતાના મંતવ્યમાં ઘરમાં સાસુ-વહુ કે પતિ-પત્નીના ઝગડાને વખોડી કાઢ્યા હતા. ઘરમાં એકતા રહે, નાના-મોટા ઝગડા, છુટાછેડા, સામાજિક પ્રશ્ર્નો, લગ્નેતર સંબંધો જેવા દૂષણોને દૂર કરવા જણાવ્યું હતું. રશિમીબેન સાપરીયાએ બાળકોને કુપ્રવૃત્તિઓથી દૂર રાખી દેશની યુવા પેઢીને બચાવવા જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ અને ઉમિયાધામના ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા તથા આભારવિધિ સરોજબેન મારડીયાએ કરી હતી. સમગ્ર સંમેલનને સફળ બનાવવા નિવૃત્ત શિક્ષણાધિકારી બી. એસ. કૈલાની આગેવાની હેઠળ મિલન કાવડીયા, રોહન વામજા, વિનુભાઈ મણવર તથા નિવૃત્ત કર્મયોગી સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા
Next Article ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?