ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લામાં આગામી તા. 26 થી 28 જૂનના રોજ યોજાનાર ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તા.26 થી 28 જૂન દરમિયાન તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ યોજાનાર છે. શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા. કલેકટરે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી સંબંધિત અધિકારીઓને મહોત્સવને સફળ બનાવવા અને સુચારું સંકલન કરવા, તેમજ શાળા પ્રવેશોત્સવ પહેલા શાળાઓની સાફ સફાઈ, વીજળી, પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત શાળાઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને શાળાઓ પ્લાસ્ટિક મુક્ત બને એ દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રવેશોત્સવ માટે કુલ 71 રૂટ નકકી કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં અંદાજે બાલવાટિકામાં કુલ 8069, ધોરણ – 1 માં 9072, ધોરણ -9 માં 9867, ધોરણ – 11 માં 12738 એમ મળીને 39000 જેટલા બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાશે.
જૂનાગઢ જિલ્લામાં 26 જૂનથી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
