કોમેડિયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન નેટફ્લિક્સ પર 21 જૂનથી એ સ્ટ્રીમ થશે. આ ત્રીજી સીઝનમાં 6 વર્ષ બાદ નવજોતસિંહ સિધુનું શોમાં કમબેક થશે. નવજોતસિંહ સિધુએ પણ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને શોમાં પાછા ફરવાની વાતને ટેકો આપ્યો છે.
પુલવામા હુમલા પછી ઉભા થયેલા વિવાદને કારણે નવજોતસિંહ સિધુને 2019માં ધ કપિલ શર્મા શો” છોડવો પડ્યો હતો અને તેની જગ્યાએ અર્ચના પૂરણ સિંહની પસંદગી કરવામાં આવી હતી. જોકે અર્ચના હજી પણ એ શોનો ભાગ રહેશે. હકીકતમાં એ સમયે નવજોતસિંહ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની તાજપોશીમાં હાજરી આપવા ગયો હતો અને એ સમયે તત્કાલીન પાકિસ્તાની જનરલ બાજવાને ગળે લગાડતો તેનો ફોટો બહાર આવ્યો હતો.
- Advertisement -
એ પછી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલા પર નવજોતસિંહ સિધુએ અયોગ્ય કમેન્ટ કરી હતી જેની દેશભરમાં ટીકા થઈ હતી. આ વિવાદ પછી નવજોત સિંહ સિધુએ ધ કપિલ શર્મા શો” છોડવો પડયો હતો.