- શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને સક્ષમ બનાવ્યા, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ખરેખર સાર્થક થયો છે : મનસુખભાઈ ખાચરીયા
- નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢ નિશ્ચય સાથે દેશને નવી દિશા આપવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: જયેશભાઈ રાદડિયા
- ડીજીટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તેમજ યુવાનો મહિલાઓના ઉત્કર્ષની યોજનાઓ બનાવી સર્વાંગી સમાજનો વિકાસ કર્યો છે. : ચાવડા, રામાણી.તાજેતરમાં જ જેતપુર શહેર તેમજ તાલુકાની લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, જેતપુર શહેર ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ યુવા કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ જામકંડોરણા તાલુકાની લેઉવા પટેલ સમાજ, પડધરી તાલુકાની શિવશક્તિ હોટેલ ખાતે તથા રાજકોટ તાલુકાની રીવર સાઈડ સ્કુલ, ખોખડદડ ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી.
આ જેતપુર શહેર, જેતપુર તાલુકા, જામકંડોરણા તાલુકા, પડધરી તેમજ રાજકોટ તાલુકાની કારોબારી બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પૂર્વ ધારાસભ્ય ઓ ભાનુબેન બાબરિયા, બાવનજીભાઈ મેતલિયા, જીલ્લા ઉપપ્રમુખ ઓ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, ગોવિંદભાઈ રાણપરીયા, તળશીભાઈ તાલપરા, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, બિંદીયાબેન મકવાણા, જીલ્લા કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ, દૂધ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, મહામંત્રી ઓ બાબુભાઈ ખાચરીયા, ડી.કે.બલદાણીયા, જેતપુર તાલુકા પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, મહામંત્રી ઓ નરશીભાઈ સોજીત્રા, અશોકભાઈ ઉંધાડ, જામકંડોરણા તાલુકા પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ઓ ગૌતમભાઈ વ્યાસ, સુરેશભાઈ રાણપરીયા, રાજકોટ તાલુકા પ્રમુખ બાબુભાઈ નસીત, મહામંત્રી ઓ હિતેશભાઈ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ હેરમા, મહામંત્રી છગનભાઈ વાંસજાળીયા, મુકેશભાઈ તળપદા, જીલ્લા કિસાન મોરચા પ્રમુખ કમલેશભાઈ રોકડ, જીલ્લા અનુ.જાતી મોરચા મહામંત્રી લાલજીભાઈ આઠું, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી નવીનપરી ગૌસ્વામી, જીલ્લા પંચાયત સદસ્ય ઓ રાજેશભાઈ ચાવડા, સુમાબેન લુણાગરીયા, વિઠ્ઠલભાઈ બોદર, હિરેનભાઈ બાલધા, કરશનભાઈ સોરઠીયા, હઠીસિંહ જાડેજા, પરસોત્તમભાઈ સાવલિયા, મનોજભાઈ પેઢડીયા, રાજેશભાઈ બાંભવા, ગીરીશભાઈ પરમાર, પ્રતિપાલસિંહ જાડેજા, કરશનભાઈ સોરઠીયા સહીતના જીલ્લા તેમજ તાલુકાના કાર્યકર્તાઓ આ કારોબારીની બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેતપુર શહેર તેમજ તાલુકાની કારોબારી બેઠકમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે,આપણી પાસે પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબુત નેતાગીરી, કર્મશીલ કાર્યકરો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત અને સામુહિક કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચી છે. કોરોના અને તાઉ-તે વાવાઝોડાના પડકારો સામે પણ આપણે લોકોની વચ્ચે જઈ સેવા કરી છે એટલે જ તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આપણને પ્રજાએ સુશાસનની અપેક્ષા સાથે બહુમતી આપી છે. હવે ૨૦૨૨માં પણ કોઈપણ જાતી કે વર્ગના ભેદભાવ રાખ્યા વગર આપણે ૭મી વખત વિધાનસભામાં બહુમતી મેળવીને એક હાર્દ બનાવવાનો છે. રાજકોટ જીલ્લા ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
રાજ્યના યુવા કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ જેતપુર શહેર તેમજ તાલુકા અને જામકંડોરણાની તાલુકાની કારોબારીની બેઠકોમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં છેલ્લા ૭ વર્ષથી અને રાજ્યમાં ૨૦ વર્ષથી સુશાસન આપનાર ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં અને દેશમાં શાંતિનું વાતાવરણ ઉભુ કર્યું છે ત્યારે અનેક પડકારો વચ્ચે પણ આપણે વિદેશી રોકાણ વધારી શક્ય છીએ. તેમજ જણાવી રાજકોટ જીલ્લામાં કોરોનાકાળ દરમ્યાન ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલો, ઓક્સીજનની સપ્લાય, દવા વગેરેની વ્યવસ્થાના કારણે આજે લોકોની સહાનુભુતિ આપણી સાથે જોડાય છે.
જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા અને મનસુખભાઈ રામાણીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લાની તમામ વિધાનસભાની સીટ ઉપર ભાજપનો ભગવો લહેરવાનો છે, જેના માટે જેતપુર શહેર ભાજપના સૌ કોઈ હોદેદારો, કાર્યકર્તાઓ થકીજ આપણો જ્વલંત વિજય થવાનો છે, આથી આપણે સૌ એક થઇ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસગાથા ઉપર આપણે સૌએ કામ કરવાનું છે.
આ તમામ કારોબારી બેઠકોમાં શોક પ્રસ્તાવ તેમજ રાજકીય પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો અને કોરોનાના કાળમાં રાજકોટ જીલ્લા ભાજપ તથા મંડલના જે આગેવાનો તેમજ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ તમામની આત્માની શાંતિ અર્થે બે મિનીટનું મૌન આપી શ્રધ્ધાંજલિ અર્પી હતી.


