વ્યક્તિત્વ વિકાસને વરેલી સંસ્થા જેસીઆઈ, રાજકોટ ધ્વારા સમાજમાં વિવિધ રૂપે યોગદાન આપનારા અગ્રણીઓનું સન્માન કરવામાં આવે છે ત્યારે જેસીઆઈ, રાજકોટના ફાઉન્ડર પ્રેસીડેન્ટ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર અનિશાબેન મચ્છર અને જેસી પ્રિતીબેન પટેલ ઘ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત પ્રમુખ કિરણબેન માકડીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી અદકેરૂ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


