By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે
AuthorJagdish Acharya

અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 12:19 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

જગદીશ આચાર્ય 

વહેંચો વહેંચો અફવાઓ અનેજુઠાણા વહેંચો,ડર વહેંચો,મોકળું મેદાન છે, ઠપકારો તમતમારે

સોસીયલ મીડિયા પર હમણાં એક સર્વજ્ઞાતા દિવ્ય પુરુષની 20 મિનિટની ઓડિયો કલીપ અને બીજા એક મહાજ્ઞાની પુરુષની વિડીયો કલીપ ધડાધડ વાયરલ થઈ રહી છે. નવરી પ્રજા પાસે કાંઈ કામકાજ તો છે નહીં એટલે બધા આખેઆખી સાંભળે છે,આખેઆખી જોવે છે.અને તે પછી અન્યોના લાભાર્થે ઉત્સાહભેર શેર કરી દે છે. તેની ઉપર પાછી ચર્ચા પણ થાય છે,”જોયું?શુ ચાલી રહ્યું છે,કેવા કારસા છે,કેવું ષડયંત્ર છે?.આપણને અત્યાર સુધી શું ખબર હતી કે કોરોનાના નામે મૂળ તો આપણને એકહારે ગુજરાવી દેવાનો આ કાર્યક્રમ છે?સારું થયું ભાઈ, તમે આ વાયરલ કર્યું.નહિતર અમે તો સાવ અંધારામાં જ રહી જાત ને.અમને ગુજરી જતાં તમે બચાવી લીધા.લ્યો!ત્યારે હું ય મોકલી દઉં આગળ.આપણી ફરજ છે ને ભાઈ..”

- Advertisement -

આભાર વીરા આભાર.ભગવાન તમારું ભલું કરે.તમારા છોકરા છેયાને સલામત રાખે.તમારા જેવા ન હોત તો ધન્ય ધરણી દેશ ભારતનું થાત શુ?

હવે મૂળ વાત પર આવીએ. ઓડિયો ક્લિપમાં 20-20 મિનીટ સુધી જ્ઞાન વહેંચનાર તજજ્ઞ એકાદ આધ્યાત્મિક કે સામાજિક સંગઠનના માનવંતા સભ્ય હશે એવી છાપ ઉભી થાય છે.તેમના સામે છેડે અભૂતપૂર્વ સહનશક્તિ ધરાવતા સજ્જન એ સંગઠનના સર્વોચ્ચ વડા દીદી સાથે સીધા સંપર્કમાં હશે એવું લાગે છે.તજજ્ઞ ભાઈ આમ તો કાપડનો ધંધો કરે છે.પણ એ તો એમનું બહાર દેખાતું એક સૂક્ષ્મ રૂપ માત્ર છે. અસ્સલમાં તો તેઓ ઇતિહાસ,ભૂગોળ, અર્થશાસ્ત્ર, જીવ શાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, ગણિત, સાયકોલોજી, આંતરરાષ્ટ્રીય રાજકારણ વગેરેના પણ જબરદસ્ત નિષ્ણાંત છે.ઓલ ઇન વન.એટલું જ નહીંઆ મહાપુરૂષ અવવલ કક્ષાના જાસૂસ પણ છે.જેમ્સ બોન્ડ અને આપણા અજીત દોભાલ બોભાલ તો તેમની પાસે પાણી ભરે..છેલ્લા સો વર્ષ દરમિયાન અનેક દેશના પ્રમુખો,વડાપ્રધાનો અને અન્ય નેતાઓની થયેલી હત્યાઓ પાછળનો ભેદ આ ભાઈ પાસે છે.વિશ્વ યુધ્ધો શું કામ થયા હતા એના સાચા કારણો તેમને મોઢે છે.મનમોહન અને મોદી આપણા મતને કારણે નહીં પણ દૂર બેઠા બેઠા પોતાની આંગળીને ટેરવે દુનિયાને નચાવતા કેટલાક દુષ્ટ મુઠ્ઠીભર લોકોને કારણે ભારતના વડાપ્રધાન બન્યા છે એ રહસ્યની પણ આ દિવ્ય આત્મા પાસે સચોટ જાણકારી છે.તમનેતો ક્યાંથી ખબર હોય કે મોદી સરકાર પોલીસખાતાનું પણ નિજીકરણ કરી રહી છે.તમે તો ઠીક,ખુદ સરકારને પણ એ ખબર નથી. પણ એક પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગેનો પરિપત્ર પણ આ ભાઈને આપી દીધો છે. સહુથી મોટી વાત તો એ છે કે કોરોનાની વેકસીન કઇ રીતે બની, કઈ રીતે બનાવી શકાય અને એમાં કયો માલસામાન ઉપયોગમાં લેવાયો છે એ બધું પણ તેઓ જાણે છે.બધા રિપોર્ટ્સ એમના ખિસ્સામાં છે.

એ ઓડિયો કલીપ અને બીજી વિડીયો કલીપ બન્નેમાં એક સરખો સંદેશો છે કે,હે!ભારતવર્ષના નર નારીઓ,ભાઈ બહેનો,કોરોના જેવું કંઈ છે જ નહીં.આ તો ધતિંગ છે.કોરોનાના નામે આપણને પતાવી દેવાનું આ ષડયંત્ર છે.આ ષડયંત્રની શરૂઆત ક્યાંથી થઈ એનો ઇતિહાસ પણ આ બન્ને મહાનુભાવો ખૂબ ગંભીરતાથી આપતા જણાવે છે કે 40 વર્ષ પહેલાં ન્યુ વર્લ્ડ ઓર્ડર નામે એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી.સો દોઢસો લોકો તેમાં સંકળાયેલા છે.વિશ્વના અબજોપતિઓએ એક દિવસ એવું નક્કી કર્યું કે વિશ્વની વસ્તી બહુ વધી ગઈ છે.આપણે હરવા ફરવાની જગ્યા રહી નથી.તો આપણે એક કામ કરીએ કે અત્યારે 750 કરોડની વસ્તી છે તે ઘટાડીને 50 કરોડની કરી દઈએ.પછી તો એ લોકોએ કમર કસી.બધા વળગ્યા કામે.વસ્તી ઘટાડા ઓપરેશનને નામ આપ્યું “એજન્ડા 2021”.પણ સવાલ એ હતો કે 700 કરોડ લોકોને સાગમટે પૃથ્વી ઉપરથી વિદાય આપવી કઈ રીતે? પણ એમ મૂંઝાય એ બીજા.તો કહે કે વાયરસ ફેલાવો.મહામારી મહામારી કરો.મીડિયા તો વેચાઉ છે જ.એના મારફત ભય ફેલાવો.લોકોને કહો કે ખબરદાર!ઘરની બહાર નીકળ્યા છો તો ગુજરી જશો. આ ભયના નામે લોકડાઉન કરાવો. લોકડાઉન કરાવીને ધંધા રોજગાર બંધ કરાવી દયો.લોકોના અર્થતંત્ર ઉપર કબજો મેળવી લ્યો.લોકોને ગુલામ બનાવી દયો…અને અસ્સલ મુદ્દો તો હવે આવે છે.જરા દિલ પે હાથ રખના,ભાઈઓ ઔર બહનો ધડકને સમહાલના,ક્યાંક હાર્ટ એટેક ન આવી જાય.આ બંધુઓનું કહેવું એમ છે કે કોરોનાનો ભય ફેલાવ્યાં પછી સરકાર સમય પાકયે કોરોનાની વેકસીન શોધી કાઢશે.ભયભીત થયેલા પામર લોકો એ વેકસીન લેશે.અને એ વેકસીન એવી હશે કે તેની સાઈડ ઇફેક્ટસ ને કારણે બે વર્ષ પછી લોકો ટપોટપ ટપોટપ મરવા લાગશે.અને.. 700 માનવજીવોને પરલોકમાં મોકલી આપવાનો આ ટારગેટ પૂરો થયે દુનિયાની વસ્તી 50 કરોડની જ રહી જાશે.ભારતમાં માત્ર 5000 કરોડપતિઓ બચશે.એમની યાદી તૈયાર થઈ ગઈ છે અને આ ભાઈ પાસે આવી પણ ગઈ છે.(આપણે કોઈ એ યાદીમાં નથી એ સહેજ તમારી જાણ ખાતર.)

- Advertisement -

બોલો!આવા નમૂનાઓ છે એ દેશમાં.એક તરફ એમ કહે છે કે એક મહાષડ્યંત્રના ભાગ રૂપે દુનિયા આખીની સરકારોએ ઇરાદાપૂર્વક કોરોના ફેલાવી ખોટો ભય ઉભો કર્યો છે.અને બીજી તરફ આ ભાઈઓ પોતે જ કોરોનાની વેકસીન લેવાથી બે વર્ષ પછી ગુજરી જશો એવો ભય ફેલાવે છે.માસ્ક પહેરવાથી ન્યુમોનિયા થઈ જશે એવી ચેતવણી આપે છે.સોસીયલ ડિસ્ટનસની કાંઈ જરૂર જ નથી એવી શિખામણ આપે છે.કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઓછો છે એ વાત સાચી પણ એ જોખમી એટલા માટે છે કે એ ખૂબ ચેપી છે.વળી તેની કોઈ સ્પેસિફિક દવા નથી.કોઈને કોરોના થયો હોય અને તે કોરોન્ટાઇન ન થાય તો તે ઘરના બીજા સભ્યો અને તે ઉપરાંત બીજા અનેક લોકોને ચેપ લગાડે.એવું ન થાય એટલે લોકડાઉન કરવું પડ્યું.અનલોક થયા પછી કેસ વધે છે એનું આ જ કારણ છે.લોકડાઉન આપણાં ધંધા રોજગાર બંધ કરાવી આપણને ગરીબ ભૂખડ બનાવી દેવા માટે નહોતું.પણ આવી મૂર્ખાઈ ભરેલી ઓડિયો અને વીડિયો કલીપો બને છે અને એટલું જ નહીં દેશ આખામાં વાયરલ થાય છે.છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ મોબાઈલ ફોન એવો હશે જેમાં આ બે કલીપ ન ટપકી હોય.એ ક્લિપ્સ એટલા માટે આટલી બધી વાયરલ થઈ કારણકે સમાજનો એક વર્ગ આ બધું સાચું માની રહ્યો છે.આ ક્લિપમાં બોલનારાઓ કોણ છે,એમની હેસિયત કેટલી છે અને એ જે કહે છે એને સાચું શું કામ માની લેવું એવો વિચાર પણ કોઈને  નથી આવતો.ચિંતાની વાત એ છે કે વિચારવાનું ભૂલી ગયેલા લોકોની સંખ્યા નાની સુની નથી.નહીંતર આવી કલીપો આ હદે વાયરલ ન થાય.

મૂર્ખાઈની કોઈ હદ પણ હોય છે એવું માનવું એ પણ મૂર્ખાઈ છે.લોકોએ મગજને તાળા મારી દીધા છે.દેશમાં આવા બુદ્ધિના બળદિયાઓ હોય ત્યાં સુધી અફવાઓ અને જુઠાણા ફેલાવનારાઓના,અપપ્રચાર કરનારાઓના રાજ તપતા રહેશે. આવા અબુઘોને કારણે આજે આવા તત્વો અને લુચ્ચા રાજકારણીઓ મીડિયા અને સોસીયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના રોટલા શેકી રહ્યા છે.પોતાના એજન્ડા આપણી ઉપર લાદી રહ્યા છે અને લાખો લોકો ખૂબ આસાનીથી ગેરમાર્ગે દોરવાઈ જાય છે.વિચારવાનું ફરીથી ચાલુ કરી દેવું જોઈએ એવું વિચારવાનો સમય હવે પાકી ગયો છે એમ નથી લાગતું? 

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીક-એન્ડ વીલા અને રાજકોટ: લક્ઝરિયસ શાંતિની ખોજ!
Next Article રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?