By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    1 day ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    1 day ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    1 day ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    1 day ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    1 day ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જરૂરી છે માણસનું માણસ થવું !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જરૂરી છે માણસનું માણસ થવું !
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor
Last updated: 2025/11/15 at 5:15 PM
Khaskhabar Editor 5 months ago
Share
8 Min Read
SHARE

રેખા પટેલ – ડેલાવર (USA)

વિતી ચુકેલો સમય પાછો મળતો નથી, આજે જે પળ છે, એ જ સાચી છે. કાલે શું થશે એની કોઈને આગોતરી જાણ નથી, આજે નથી મળ્યું તે કાલે મળશે કે નહિ કે પછી જે છે તે હાથમાં રહેશે કે નહિ તેની કોઈ ખાતરી નથી છતાં સહુ જીવનને દુ:ખ, ગુસ્સો કે અફસોસમાં વેડફીએ છીએ

- Advertisement -

જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. ભલેને ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ આમાં તેના હથિયાર હેઠા પડવાના હકીકત છે. વ્યક્તિના ગયા પછી તેની કડવી કે મીઠી યાદો સિવાય અંતમાં કશુજ બાકી નથી રહેતું. તો પછી કોઈને નડ્યા વિના, દુ:ખ આપ્યા વિના, માણસ બનીને જીવી લેવું જોઈએ. માણસ બનવું એટલે જન્મ લેવો જે શારીરિક સ્થિતિ છે, પરંતુ માણસ થવું એ આંતરિક ગુણોનો ઉછેર છે.

સાવ સીધી લાગતી વાતમાં ખુબ ઊંડાણ છે. માણસ એટલે સંવેદનાઓથી સર્જાએલ વ્યક્તિત્વ. જે બીજા લોકોના સુખ દુ:ખ, લાગણીઓને સંવેદનાઓને સમજી શકે તેને યોગ્ય ન્યાય આપી શકે એ માણસ. વિતી ચુકેલો સમય પાછો મળતો નથી. આજે જે પળ છે, એ જ સાચી છે. કાલે શું થશે એની કોઈને આગોતરી જાણ નથી. આજે નથી મળ્યું તે કાલે મળશે કે નહિ કે પછી જે છે તે હાથમાં રહેશે કે નહિ તેની કોઈ ખાતરી નથી છતાં સહુ જીવનને દુ:ખ, ગુસ્સો કે અફસોસમાં વેડફીએ છીએ. જીવન હવે અલગ રીતે જોવાનું મન થાય છે. કોઈને નડ્યા વિના જીવવું, કોઈને દુ:ખ ન પહોંચાડવું, અને દરેકને કંઈક મીઠું, કંઇક સ્મરણિય આપી જવું. એજ સાચું જીવન અને એજ જીવવું છે.
ક્યારેક જીવન આપણને એવી ચોટ આપે છે કે શબ્દો અટકી જાય છે અને મૌન બોલે છે. નજીકની મિત્ર, માત્ર પચાસ વર્ષની ઉંમરે કેન્સર સામેની લડાઈ હારી ગઈ. તે ક્ષણે મનમાં

અનેક વિચારો ઉઠ્યા –
આ જીવન કેટલું નાજુક છે. એકવાર નંદવાઈ જાય તો ના જોડાય કે ફરી દેખાય. સુખ દુ:ખ, સાચવ્યું સંગ્રહેલું બધુજ એવુંને એવુજ રહી જાય છે. એક સ્વીચ દબાવી અને ખેલ ખલાસ. અંતિમ યાત્રામાં એકઠાં થયેલા શોક વ્યક્ત કરતા બધાજ થોડા સમયમાં પોતપોતાના રૂટીનમાં પાછાં વળી જાય છે. આ બધું સહુ કોઈ સમજે છે છતાં કોઈ પણ આનાથી બચી શકે તેમ નથી.
જીવન લાબું કે ટૂંકું હોય એ કરતા કેમ જીવ્યા એ મહત્વનું છે. એ સમય જીવવા મળ્યો તેનો કેવું ઉપયોગ થતો એ મહત્વનું છે. આમ પણ બહુ ઓછો સમય મળે છે જીવનને સમજવા માટે અને સમજ્યા પછી સાચા અર્થમાં જીવવા માટે.
જીવન કેટલું નાજુક છે –
ક્યારે ખરી પડે, ક્યારે શાંત થઈ જાય, એની કોઈને ખબર નથી.
આપણે બધા એ માન્યતામાં જીવીએ છીએ કે કાલે સમય મળશે,
પણ નિરાંતની કાલ આવે જ નહીં તો? કેટલું અધૂરું બાકી રહી જશે.
દરેક પળ અમૂલ્ય છે, દરેકનું મળવું એક આશીર્વાદ છે.
ક્યારેક પ્રેમ કે આભાર વ્યક્ત કરવામાં, માફી માંગવામાં મોડું કરી દઈએ છીએ.
એવો સમય મળે જ નહી તો? રાહ જોવામાં કેટલું મધુરું બાકી રહી જશે.
જાણ્યા અજાણ્યા તરફથી પ્રેમ લાગણી મળી રહ્યા છે, એજ જીવનનું સાચું ધન છે.
એમને સમજવા, સાથે જીવવામાં અને પ્રેમ વ્યક્ત કરવામાં સાચું સુખ રહેલું છે.
લાગણી હોય તો જણાવી દેવી, તક ચૂકી જવાથી સુખ ખરું બાકી રહી જશે.
વ્યક્તિની હયાતીમાં મારું તારું કરવામાં કે ઈર્ષામાં તેની સામે સાચા વખાણ કે મીઠી વાતો થતી નથી. પરંતુ તેના ગયા પછી ગુમાવ્યાનું દુ:ખ કે વખાણ કોઈ કામના નથી. પ્રેમ કે માન હોત તો હું પદ છોડી બસ કહી દેવું જોઈએ. મુક એવા પશુ, પક્ષીઓ પણ આંખો અને વર્તન દ્વારા આભાર વ્યક્ત કરે છે. ત્યારે આપણે તો બધી રીતે સક્ષમ છીએ. માણસનું માણસ બનવું અહીજ વર્તાય છે.

- Advertisement -

પ્રેમ, આભાર, માફી માંગવામાં મોડું ન કરો; તક ચૂકી જવાથી સુખ અધૂરું રહેશે

હયાતીમાં વખાણ ન કરવા અને ગયા પછી પસ્તાવો: ‘મારું -તારું’ છોડો…

કમનશીબી કે માણસો ઘટતાં જાય છે. આજુબાજુ નજર નાખતા મૃતપ્રાય માણસોના ઠેરઠેર ઢેર પડેલા જોવા મળે છે. અડધી પડતી મૃતપ્રાય અવસ્થા ઘરાવતી માણસ જાતે ફરી નવજીવન પામવા માટે હૃદયમાં બીજાઓ માટે સહાનુભુતિને જન્મ આપવો પડે, લાગણીઓ અને પ્રેમ દ્વારા તેનું પોષણ કરવું પડે. બીજાની પીડા કે ખુશીને મહેસુસ કરવી પડે છે. જોકે હવે જરૂરીયાત અને લાભ વિના કોઈને માણસ થવામાં ખાસ રસ નથી.

હા! દરેકને માણસ થવું છે પરંતુ બીજા કરતા અલગ ઊંચા કદનો, જ્યાં તેને કોઈ પહોચી નાં શકે. તેને પદ, પૈસા, શક્તિ માન, પ્રભાવ બધુજ વધારે જોઈએ છે. અને સામે પ્રેમ, નમ્રતા, લાગણી, આદર બધું સાવ ઓછું આપવું છે… આ વલણ માણસને સમાજ, કુટુંબ અને પોતાની જાતથી દુર કરતો ગયો અને મોટા બનવાની ચાહમાં એકલો પડતો ગયો.
બાકી માણસનું માણસ થવું ખાસ અધરું નથી. દયાળુ અને પ્રેમાળ બનવાથી, હું અને તું ને ભેગા કરી આપણે બનાવાની પહેલ કરવાથી સહેલાઈથી હ્રદય જીતી શકાય છે. કોઈના દુ:ખમાં સાથ આપવો અને સુખમાં, ખુશીમાં દિલથી અભિનંદન આપવામાં માણસાઈ વ્યક્ત થાય છે.

માત્ર પાન કાર્ડ કે ઓળખપત્રથી માણસ તરીકેની ઓળખ નથી સાચવતી. મૃત્યુ બાદ થયેલા કર્મો અને પ્રેમ ઓળખને જીવંત રાખે છે.
માણસ માણસને જ એકલો પાડે છે. મદદ આપતા કતરાય અને મદદ માંગતા અચકાય છે. એકલો પડતાં મુંઝાય છે અને તુટતો જાય છે. આજ કારણોસર હવે ડીપ્રેશન જેવી ખતરનાક માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે. બાકી સહુથી સહેલી પ્રેમની વહેચણી માણસ કરી શકે તેમ છે. બોલી શકે છે, માગી શકે છે. વહેચી શકે છે. ટૂંકમાં વાણી વર્તન દ્વારા લાગણીઓની લ્હાણી કરી શકે છે.

માણસનું મન એટલે ઉગતી સવાર, આથમતો સુરજ અને મધરાતે ચમકતાં તારાઓ.
ખુશીમાં ખળખળ વહેતું ઝરણું, શાંત નદીનો ઠહેરાવ, ક્રોધે લાવાનો ગાળી નાખતો પ્રવાહ.
માણસનું મન એટલે ખીલતી સુગંધ, મઘમઘતું ચંદન વન, ગુસ્સામાં એ કાંટાળો થોળ.
ક્યારેક મખમલ જેવો કોમળ, તો બની મતલબી લાગણીઓને રહેંસી નાખતો હેવાન.
તો એજ માણસ સહ્ર્દાતા અપનાવી બને સંત મહાત્મા.
ઘણાં લોકો બહારથી અત્યંત શાંત, સંયમી અને સ્થિર લાગે છે. પરંતુ અંદર વિચાર, લાગણી, સ્મૃતિ, દુ:ખ, ડર, સ્વપ્ન, પસ્તાવો, પ્રેમ આવા હજારો તરંગો ઉછળતા હોય છે. પોતાને ઓળખવા માટે ક્યારેક એકાંત અને એકલતા જરૂરી છે. જ્યારે માણસ એકલો રહે છે, બહારની દુનિયાના અવાજો ધીમા પડે છે. તે સમયે જ મનનું આંતરિક જગત સ્પષ્ટ દેખાય છે. એકલતામાં માણસ પોતાના વિચારોને સાંભળી શકે છે, પોતાની ભાવનાઓને સ્વીકારી શકે છે, અને ક્યારેક પોતાના સાચા હું સાથે મુલાકાત થાય છે.
જે વ્યક્તિ ખૂબ શાંત લાગે છે, તે ઘણી વાર બહુ અનુભવી હોય છે.. એણે શબ્દોથી નહીં, પણ મૌનથી શીખ્યું હોય છે. પોતાને સમજવા માટે દેખાવથી નહિ, અનુભૂતિથી જોવું પડે જે ફક્ત એકલતામાં શક્ય બને છે. માણસને માણસ બનવા માટે, પોતાની સંતુલન સમજવા માટે, થોડું એકલું થવું જ પડે.
માણસ જન્મથી માણસ નથી બનતો.. એ માણસ બને છે પોતાની સમજ, અનુભવ અને સંવેદનાથી.
જ્યારે એ પોતાને ઓળખે છે, પોતાની અંદરની અંધાર અને પ્રકાશ બંનેને સ્વીકારતો શીખે છે,
ત્યારે એ ખરેખર માણસ બને છે – સજાગ, સંવેદનશીલ અને સમતોલ.

માણસ જન્મથી નહીં, પણ અનુભૂતિ અને સંવેદનાથી ‘માણસ’ બને છે

સમાજમાં ‘માણસ’ ઘટતા જાય છે: મોટા બનવાની ચાહમાં એકલવાયું જીવન

 

You Might Also Like

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

TAGGED: success
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!
Next Article બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

અમેરિકા હાર્યું! ખરેખર ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?