By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    9 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    9 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    9 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    9 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    11 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    11 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ
AuthorBhavy Raval

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ

Khaskhabar Editor
Last updated: 2022/01/31 at 1:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા

– ભવ્ય રાવલ

આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 સુધી સ્વાતંત્રતાનું આંદોલન ચલાવનારા સ્વાતંત્રસેનાઓની જેમ આઝાદીની લડત માટે અખબાર ચલાવનારા પત્રકારોનો ક્યાંય ન્યાયપૂર્ણ રીતે ઉલ્લેખ આજ સુધી થયો નથી! કદાચ તેનું મુખ્ય કારણ આઝાદીના જંગ સાથે જોડાયેલાં પત્રકારત્વ વિશે ખાસ સંશોધન અને દસ્તાવેજોનો અભાવ છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે, કદાચ તેને જ ગુજરાતી પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાવી શકાય.

Contents
સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા– ભવ્ય રાવલ

અંગ્રેજો વિરુદ્ધ એક હથેળીમાં જીવ અને બીજી હથેળીમાં કલમ લઈને ભારતની આઝાદીના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા એ સમયના ગુજરાતી પત્રકારત્વનો ફાળો દેશને સ્વાતંત્રતા અપાવવામાં નાનો-સૂનો નથી. ગુલામીકાળમાં ગુજરાતી ભાષાના નાના-મોટા તમામ અખબારોએ દેશવિરોધીઓ વિરુદ્ધ સમચાર પ્રગટ કરી વાંચકોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરી હતી. સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વએ દેશ-દુનિયાને ચોક્કસ વિચારધારાને વરેલા રાષ્ટ્રવાદી પત્રકારત્વની પરિભાષા શીખવી હતી. ગુજરાતી પત્રકારત્વએ આઝાદીના લડતની મિશાલ દેશને આપી ગુલામીના અંધારામાં સ્વાતંત્રતાની મશાલ પ્રગટાવી હતી. સમાજ સુધારણાના પત્રકારત્વની પહેલ કરનાર ગુજરાતી પત્રો અને પત્રકારો સ્વાંતંત્રપ્રાતિની ઝુંબેશમાં પણ અગ્રેસર રહ્યા હતા.

- Advertisement -

મારા અભ્યાસ મુજબ 1822માં શરૂ થયેલી ગુજરાતી પત્રકારત્વની યાત્રા 2021 સુધીમાં ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભિક યુગ સમાજ સુધારણાનું પત્રકારત્વ, ગુજરાતી પત્રકારત્વનો એક સદી બાદનો સમયગાળો આઝાદી પહેલાનું એટલે કે સ્વાતંત્રપ્રાપ્તિ માટેનું પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વની દોઢ સદી પછી આઝાદી બાદનું આધુનિક પત્રકારત્વ. આમ તો હવે ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રાને બે ભાગમાં પણ વહેચી શકાય પરંતુ હાલ પૂરતું તેના ઉદ્દભવ અને સમાજ સુધારણા પત્રકારત્વ, આઝાદી સમયનું પત્રકારત્વ અને આઝાદી બાદથી લઈ આજ સુધીનું આધુનિક પત્રકારત્વ એમ ત્રણ ભાગમાં વહેચી શકાય. જો આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની વાત કરવામાં આવે તો ગુજરાતી પત્રકારત્વમાં સૌ પ્રથમ ઈચ્છારામ દેસાઈએ ગુજરાતી પત્ર દ્વારા આઝાદીનો વિચાર રજૂ કરેલો અને સુરતમાંથી સ્વતંત્રતા નામનું પત્ર બહાર પાડી આઝાદી મેળવવાની અને ગુલામી છોડવાની વાત પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. ઈચ્છારામ દેસાઈના ગુજરાતી તેમજ સ્વતંત્રતાથી લઈ ગાંધીજીના નવજીવન અને અમૃતલાલ શેઠનાં સૌરાષ્ટ્ર સુધી સ્વાધીનતાના શ્વાસ અપાવવામાં ગુજરાતી પત્રો, પત્રિકાઓ અને પત્રકારોનું પ્રદાન અમૂલ્ય છે.

ઓગણીસમી સદીના અંતમાં અમદાવાદથી પ્રજાબંધુ શરૂ થયેલું. વીસમી સદીની શરૂઆતમાં ગુજરાતી પંચ નામનું સાપ્તાહિક શરૂ થયેલું. પછી ગાંધીજીએ નવજીવન અને હરિજનબંધુ શરૂ કરેલું.

આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં દૈનિકો પ્રકાશિત થતા ન હતા. સમય પસાર થતા સ્વરાજ્ય નામનું દૈનિક અને પછી સંદેશ નામથી એક સાંધ્ય દૈનિક શરૂ થયું. અમદાવાદ સમાચાર પણ શરૂ થયું જે સંદેશમાં સમાયું. અમૃતલાલ શેઠે સાપ્તાહિક પત્ર સૌરાષ્ટ્ર શરૂ કર્યું. તેમણે જન્મભૂમિનો પણ પ્રારંભ કરેલો. કક્કલભાઈ કોઠારીએ અમદાવાદથી પ્રભાત અને જય સૌરાષ્ટ્ર દૈનિક શરૂ કર્યા. ઈન્દુલાલ યાજ્ઞિકે નવજીવન અને સત્ય નામનું માસિક શરૂ કર્યું. શામળદાસ ગાંધીએ જન્મભૂમિમાંથી છૂટા પડી મુંબઈમાં વંદે માતરમ શરૂ કર્યું. આ તમામ અખબારો-પત્રોની સંખ્યા બહુ જૂજ હતી, થોડા પ્રમાણમાં હતી છતાં તેની અસર બહુ ઘેરી હતી, પરિવર્તનશીલ અને પરિણામલક્ષી હતી. અને એટલે જ ભારતીય આઝાદીના ઈતિહાસમાં ગુજરાતી પત્રો-પત્રકારોના યોગદાનની પણ નોંધ લેવી જ પડે.
એકમાત્ર આઝાદી મેળવવાના હેતુસર રાષ્ટ્રપ્રેમ અને સામાજિક ચેતતાની જ્યોતસમું પ્રજાબંધુ શરૂ થયું ત્યારબાદ સમાચાર, પ્રભાકર, લોકવાણી, દૈનિક ગુજરાત, ઉગતું પ્રભાત, રાજહંસ, સ્વદેશ, ભારત, પ્રકાશ વગેરે જેવા નાનામોટા ગુજરાતી પત્રો શરૂ થયેલા. આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆત વીસમી સદીના પ્રવેશ સાથે થઈ. લંડન-પેરિસ-જિનિવાથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ, મેડમ કામા – વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના વન્દેમાતરમ્ અને મદન તલવાર, બંને પેરિસથી પ્રકાશિત થતાં. છગન ખેરાજ વર્મા સાનફ્રાંસિસ્કોમાંથી ગુજરાતી અખબાર ગદર પ્રકાશિત કરતા. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોંચાડવા વિદેશોમાં પણ ગુજરાતી અખબારો પ્રગટ થયા અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોચાડતા રહ્યા. એવા તો અનેક ગુજરાતી પત્રકારો છે જેણે અંગ્રેજો-રજવાડાઓના જોરજૂલમ અને ગુલામીમાંથી મુક્તિ મેળવવા કલમ-કાગળ ઉપાડી આઝાદી મેળવવાના પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું.

- Advertisement -

એડવોકેટ ઓફ ઈન્ડિયા તેમજ નવજીવન અને સત્યના આદ્યતંત્રી ઈન્દુલાલ યાજ્ઞિક, નવજીવનના પત્રકાર-લેખકો કાકાસાહેબ કાલેલકર, રામદાસ ગાંધી, મહાદેવ દેસાઈ, સ્વામીઆનંદ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઈ દેસાઈ સહિત રાણપુર-સૌરાષ્ટ્રથી સર્જાયેલી પત્રકારત્વની ક્રાંતિ સૌરાષ્ટ્ર પછી અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, જૂનાગઢ-મુક્તિ માટેની આરઝી હકૂમતના સરસેનાપતિ શામળદાસ ગાંધીનું વંદે માતરમ્, અડીખમ તંત્રી તરીકે જાણીતા રણછોડદાસ બોટવાળાના હિન્દુસ્તાન પત્રો વગેરે.. વગેરે.. નાનામોટા અને અલ્પકાલિન પ્રકાશનો અને પત્રકારોનો ફાળો પણ ભારતને આઝાદી અપાવવામાં રહ્યો છે. ગુજરાતી ભાષામાંથી ભારતના સ્વાતંત્રસંગ્રામને સક્રિય ટેકો આપતા ઘણા પત્રો બહાર પડતા હતા. માતૃભૂમિ અને વંદે માતરમ નખશીખ રાષ્ટ્રવાદી અખબાર હતા. વીસમી સદીના પ્રારંભમાં એવું કહેવાતું કે, દુનિયાના ખૂણેખૂણામાં ફેલાયેલા બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્યાસ્ત કદી થતો નથી પરંતુ આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વના ઉદયે બ્રિટીશ સામ્રાજ્યના સૂર્યાસ્તમાં અગ્ર ભાગ ભજવ્યો, બહાદુરીપૂર્વક સ્વાતંત્રતાનો શંખનાદ ફૂક્યો.
સ્વાતંત્રતા પ્રાપ્તિની ઝુંબેશમાં જોડાયેલા પત્રકારોને વેતનમાં બે રોટી અને ઠંડું પાણી તેમજ અંગ્રેજો વિરુદ્ધ સમાચાર લખવા માટે જેલની સજા નસીબ થતા હતા. અંધારી સૂમસામ કોઠડીઓની અંદર, રાતદિવસના ઉજાગરા કરીને, રાજદ્રોહની પરવા કર્યા વિના, એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં કલમ રાખી રાષ્ટ્રહિત માટે થતું આઝાદી મેળવવા માટેનું ગુજરાતી પત્રકારત્વ બ્રિટીશ શાસનના પાયા હચમચાવવાનું પ્રમુખ હથિયાર બની ગયું હતું. આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમી દેનારા, અંગ્રેજી શાસનના દમન ભોગ બનનારા, અનેક યાતનાઓ વેઠનારા સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા હતા, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા હતા. દેશભાવના ભરેલા, જાગૃતિ જગાવતા, રાષ્ટ્રહિતથી છલોછલ ઘણા પત્રો બંધ પડ્યા, ઘણા ચાલું રહ્યા. પત્રકારોએ જેલવાસ ભોગવવો પડ્યો, તડીપાર થવું પડ્યું. વેશપલટો કરી રહેવું પડ્યું. પરંતુ અંતે.. આખરે.. ગુજરાતી પત્રકારત્વના સિપાહીઓ ભારતની આઝાદીનો જનમત જગાવવામાં અને અને દેશની સ્વાતંત્રતાનો લોકમત મેળવવામાં સફળ સાબિત થયા હતા. આઝાદીના સમયના પત્રકારત્વને જ લક્ષમાં રાખી કવિ રામધારીસિંહ ’દિનકરે’ લખ્યું હશે કે, કલમ દેશ કી બડી શક્તિ હૈ, ભાવ જગાનેવાલી, દિલ મેં નહીં દિમાગો મેં ભી આગ લગાનેવાલી. અને અકબર ઈલાહાબાદી પણ લખ્યું છે કે, ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો તો અખબાર નિકાલો.

વધારો : 1 માર્ચ, 1878માં ગર્વનર લોર્ડ લીંટને વર્નાક્યુલર પ્રેસ એક્ટ અમલી બનાવ્યો હતો. જેના દ્વારા ભારતીય ભાષાના પત્રોને અંકુશમાં રાખી શકાય. આ કાયદા અનુસાર અખબારોમાં એવી કોઈપણ વાત પ્રકાશિત નહીં કરવાનો હુકમ હતો જેનાથી લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાય. વર્નાક્યુલર પ્રેસ એક્ટનો વિરોધ કરીને આઝાદી મેળવવા માટે શરૂ થયેલા પત્રકારત્વે મિશનરી જર્નાલિઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું. એક તરફ બ્રિટીશ રાજભક્તિથી રંગાયેલું અંગ્રેજી પત્રકારત્વ હતું તો બીજી તરફ સમાજસુધારા માટેનું હેતુલક્ષી પત્રકારત્વ હતું તો એ બંનેથી પર આઝાદી પૂર્વેનું સ્વાતંત્રતાના ધ્યેયને વળગેલું પત્રકારત્વ હતું, દેશહિતની વિચારધારાને વરેલું પત્રકારત્વ હતું. સ્વાતંત્રતા મેળવવા માટે ઝઝૂમતું રાષ્ટ્રવાદી પત્રકારત્વ હતું, ગુજરતી પત્રકારત્વ.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિગ બોસ 15ની ટ્રોફી થઈ તેજસ્વી પ્રકાશને નામ
Next Article આઝાદીના સિતેર વર્ષમાં માત્ર એકવીસ જ પરમવીર ચક્ર એનાયત થયા છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?