ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 557 રનનો લક્ષ્યાંક આપતાં ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરીને હતી. બાદમાં રોહિતે કહ્યું ‘અમારી પાસે કોઈપણ પિચ પર રમવાની અને જીતવાની તાકાત છે.’
રવિવારે રાજકોટની પીચ પર ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ 434 રનની જીત નોંધાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ટીમ કોઈપણ પીચ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઇંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો લક્ષ્યાંક આપતાં ઇંગ્લેન્ડને માત્ર 122 રનમાં ઓલઆઉટ કરીને પાંચ મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી. મેચ બાદ રોહિતે કહ્યું કે, અમે આ પહેલા પણ આવી પિચો પર ઘણી મેચ જીતી ચુક્યા છીએ. ટર્નિંગ પિચો, જ્યાં બોલ ટર્ન થાય છે, તે અમારી તાકાત રહે છે. આ અમને સંતુલન આપે છે.
- Advertisement -
MOMENT WHEN INDIA REGISTERED THEIR BIGGEST EVER WIN IN TEST CRICKET. 🇮🇳
– Captain Rohit Sharma creates history !!! 🫡 pic.twitter.com/Dse6fZ5pXl
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024
- Advertisement -
અમે આ પહેલા ઘણી મેચ જીતી ચુક્યા છીએ
હિટમેને કહ્યું કે, “અમે ઘણા વર્ષોથી પરિણામો આપ્યા છે અને અમે ભવિષ્યમાં પરિણામ આપવાનું ચાલુ રાખીશું, પરંતુ અમે અમુક બાબતોને નિયંત્રિત કરી શકતા નથી જેમ કે અમે ચર્ચા કરતા નથી કે અમને ‘રેન્ક ટર્નર’ પિચ જોઈએ છે કે નહીં. અમે મેચના બે દિવસ પહેલા સ્થળ પર આવીએ છીએ અને આપ્મ પણ અમે બે દિવસમાં શું કરી લઈશું? ક્યુરેટર્સ પીચો નક્કી કરે છે અને તૈયાર કરે છે.”
જાડેજા પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે
પ્રથમ દાવમાં સદી ફટકારનાર અને 41 રનમાં પાંચ વિકેટ લેવાનો સ્પેલ બોલનાર રવીન્દ્ર જાડેજા અંગે રોહિતે કહ્યું કે, ‘અમે જોયું છે કે તે પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. સાથે જ આ તેનું હોમ ટાઉન છે એટલે તે પરિસ્થિતિને સારી રીતે સમજી શક્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ભારતમાં અને વિદેશમાં અમારા માટે કેટલાક મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે અને બેટિંગમાં તેના આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને, અમે તેને પ્રથમ દાવમાં પણ ઉપર મોકલ્યો હતો.
Rohit Sharma said, "The curators make the pitch. We have the strength to play on any wicket and win on it. When we won the Test in South Africa at Cape Town, everyone knew what kind of wicket it was". pic.twitter.com/jxrGybIEV3
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024
સરફરાઝ રન માટે ભૂખ્યો છે
સરફરાઝ ખાન વિશે વાત કરતા હિટમેને કહ્યું કે ‘તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણો અનુભવ મેળવ્યો છે જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેના ડેબ્યૂ પહેલા તેની સાથે કોઈપણ પ્રકારની યોજના અંગે ચર્ચા કરવાની જરૂર નહોતી. મેં સરફરાઝને આટલી બેટિંગ કરતા જોયો નથી. પરંતુ તેણે મુંબઈ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. તે રન માટે ભૂખ્યો છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તે સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, તેથી તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ‘