લગભગ બે મહિના સુધીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુકાય તેવી શક્યતા
વડાપ્રધાન મોદી કરી શકે છે ઉદ્ધાટન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં હીરાસર ખાતે PM મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી પૂર્ણતાનાં આરે છે અને આગામી 14થી 16 જૂન ફલાઇટનું ટેસ્ટીંગ કરવામાં આવનાર છે.
આગામી બે મહિનામાં પ્રધાનમંત્રીનાં હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી શક્યતા છે. ત્યારે આગામી દોઢથી બે મહિનામાં રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળશે તે નિશ્ર્ચિત છે. હાલ એરપોર્ટમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ એરપોર્ટ ઓથોરિટીની અંતિમ મંજૂરી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીનાં જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટમાં છેલ્લે બાઉન્ડરી વોલનો પ્રશ્ન હતો જેનું કામ પૂર્ણ થયું છે. એકાદ સપ્તાહમાં ઉૠઈઅની મંજૂરી માટે એપ્લાય કરવામાં આવશે. આગામી તા. 14થી 16 જૂને ફ્લાઈટનું ટેસ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. જેમાં નવા લગાવેલા ઇકવિપમેન્ટનું કેલીબ્રેશન થશે. આ એરપોર્ટની કામગીરી પૂર્ણતાનાં આરે છે અને આશા છે કે, દોઢ-બે મહિનામાં એરપોર્ટ શરૂ થઈ જશે. હાલ આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી
રહ્યો છે.