આજના સમયમાં લોકોનું જીવન વધુ વ્યસ્ત રહે છે જેના કારણે તેઓ તેમના શરીર પર ધ્યાન આપી શકતા નથી. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત આહારને લીધે વ્યક્તિને ઘણા રોગો થાય છે. તમને મોટાભાગના ઘરમાં ડાયાબીટીસની સમસ્યા જોવા મળે છે. મોટાભાગના લોકો માને છે કે ડાયાબિટીઝ વધારે ખાંડ ખાવાથી થાય છે. તેથી તમે સાંભળ્યું જ હશે કે લોકો કહે છે કે વધારે પડતા મીઠાશ ન ખાઓ,પરંતુ આ સાચું નથી.કેમ કે સુગરયુક્ત ખાવાથી ડાયાબીટીસ થતી નથી.
જે લોકોને સામાન્ય બ્લડ શુગર હોય છે તે મીઠાઇ ખાઈ શકે છે મીઠાઈ અને ડાયાબીટીસના વચ્ચે કોઈ જોડાણ નથી. ઘણા ડાયાબિટીસ દર્દીઓ છે જેઓ મીઠાઇ નથી ખાતા અને કેટલાક એવા પણ છે જેમને મીઠું જ નથી ગમતું પણ ડાયાબીટીસ હોય છે. ખરેખર,ડાયાબીટીસનું મુખ્ય કારણ ઇન્સ્યુલિનનો અભાવ છે.ડાયાબીટીસના દર્દીઓ ડોકટરની સલાહથી મીઠાઇ ખાઈ શકે છે.
- Advertisement -
ડાયાબીટીસના બે પ્રકાર છે,પ્રકાર A અને પ્રકાર B,જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇન્સ્યુલિન ઉત્પાદિત કોષોને નષ્ટ કરે છે, ત્યારે તેને ટાઇપ A ડાયાબીટીસ કહેવામાં આવે છે.જ્યારે શરીર ઇન્સ્યુલિન પેદા કરવામાં અસમર્થ હોય છે તો તેને ટાઇપ B ડાયાબીટીસતરીકે ઓળખાય છે પરંતુ આ બંને સ્થિતિનો સ્વીટ ફૂડ સાથે કોઈ સંબંધ નથી આજે અમે તમને આ લેખ દ્વારા ડાયાબીટીસનું મુખ્ય કારણ શું છે તે વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ચાલો જાણીએ ડાયાબીટીસની સમસ્યાનું કારણ
જે લોકોને પૂરતી ઊંઘ આવતી નથી તેમને ડાયાબીટીસ થવાની સંભાવના વધારે હોય છે ઘણીવાર ઓછી ઊંઘ લેવી સામાન્ય બાબત છે, પરંતુ જો તમે સતત સૂઈ શકતા નથી, તો તમારે સાવધ રહેવાની જરૂર છે કારણ કે આવા લોકો જલ્દીથી ડાયાબીટીસની બિમારીથી પીડાય છે.
જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તે ડાયાબીટીસનું કારણ બની શકે છે. જંક ફૂડ અથવા ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી શરીરનું વજન વધતું હોય છે, જેના કારણે જો તમે આ વસ્તુઓનું સેવન કરો તો તમને ઘણી બીમારીઓ થવાની શરૂઆત થાય છે. તમારા શરીરના વજનના નિયંત્રણ સાથે પણ તમે ડાયાબીટીસની સમસ્યાથી બચી શકો છો.
- Advertisement -
નિષ્ણાતો માને છે કે વધુ તાણમાં રહેલ વ્યક્તિનું સુગર લેવલ વધે છે. જો કોઈ વ્યક્તિ તાણ અથવા હતાશા જેવી પરિસ્થિતિમાં સતત ઘેરાયેલો રહે છે, તો તેને ડાયાબીટીસ થવાની સંભાવના વધારે હોય છે.
જે લોકો આખો દિવસ તેમની ઑફિસમાં ખુરશી પર બેસીને પોતાનું કામ કરે છે અને કસરત નથી કરતા, તેમની ડાયાબીટીસ થવાની સંભાવના 80% સુધી વધી જાય છે.