By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    22 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    22 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    22 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    22 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિચરણદાસ મહારાજ હરિ શરણે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરિચરણદાસ મહારાજ હરિ શરણે
રાજકોટ

હરિચરણદાસ મહારાજ હરિ શરણે

Khaskhabar Editor
Last updated: 2022/03/28 at 5:27 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
ભૂખ્યાને ભોજન અને દ્રષ્ટિહિનને દ્રષ્ટિ આપનાર તથા અનેક સેવા કાર્યોની જ્યોત પ્રસરાવનાર ગોંડલના રામજી મંદિર ખાતે વહેલી સવારે 4.30 કલાકે હરિચરણદાસજી મહારાજએ આંખો મીંચી 
  • પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું

ગોંડલ શ્રી રામજી મંદિરના પૂ. હરિચરણદાસજી મહારાજ આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં અગિયારસના પવિત્ર દિવસે બ્રહ્મલીન થતાં ઘેરો શોક છવાય ગયો છે. ગોંડલ ખાતે શ્રી રામજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટયા છે. આજે સવારથી બપોર સુધી ભાવિકો પૂ. હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન ગોંડલ ખાતે કરી શકશે. ત્યારબાદ રાજકોટ સદ્દગુરૂ સેવા આશ્રમ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે. કાલે મંગળવારે સવારે 7 થી 9 દરમિયાન નર્મદા નદીના કિનારે ગોરા ખાતે પૂ. હરિચરણદાસજી મહારાજની શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવશે. બાપુના દેવલોકગમનથી હજારો ભકતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગુરૂભાઈઓ સહિત તેમના ભકતો દર્શન માટે ઉમટ્યાં છે. પૂ. હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. જયાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુરૂ માનતા હતા.

Contents
ભૂખ્યાને ભોજન અને દ્રષ્ટિહિનને દ્રષ્ટિ આપનાર તથા અનેક સેવા કાર્યોની જ્યોત પ્રસરાવનાર ગોંડલના રામજી મંદિર ખાતે વહેલી સવારે 4.30 કલાકે હરિચરણદાસજી મહારાજએ આંખો મીંચી કાશીમાં ‘હરિ’ના શરણે જઈને હરિચરણદાસ બન્યા1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ર્ચય કર્યો‘અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ’

1954માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન શરૂ કર્યું
બાપુનું મૂળનામ હરિશ્ર્ચંદ્ર મિસરાજ હતું. ઈ.સ. 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યારબાદ 1954માં ગુરૂદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લા 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરૂજી સદગુરૂ દેવ રણછોડદાસજી મહારાજના સાનિધ્યમાં સરિયૂ નદીના કિનારે ભજન કરતા હતા.

- Advertisement -

કાશીમાં ‘હરિ’ના શરણે જઈને હરિચરણદાસ બન્યા

ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ આજે વહેલી સવારે શ્રીજી ચરણ પામ્યા છે. હરિચરણદાસજીની ઉંમર 2 વર્ષની હતી ત્યારે તેમના માતા પરલોકવાસી થયા. આ સમયે તેમનું લાલન-પાલન તેમના પિતામહ દામોદર મિશ્ર દ્વારા થતું રહ્યું અને ભક્તિના બીજ વવાતા ગયા. પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. સાથે ગરીબી અવસ્થાની સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો. અનેક સંધર્ષોનો સામનો કરતાં કરતાં અધ્યયન પણ વધતું ગયું. આમ એક પછી એક કરતાં 1949ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ચાલ્યો. પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં પંડિત આનંદ મિશ્રને તથા માતા ચંતિકાને ત્યાં થયો હતો, જન્મ સમયે તેમને હરિશ્ર્ચંદ્ર મિસરાજ નામ અપાયું હતું અને આગળ જતાં તેઓ હરિચરણદાસજી નામથી ઓળખાયા.

  • 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ર્ચય કર્યો
  • ‘અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ’

કાશી પહોંચીને અસીઘાટ પાસે એક સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન અને ભજન કરવા લાગ્યા. આવા દિવસોમાં એક વખત કાશી વિયાનાથ મંદિરમાં ભગવાન શિવજીનો જાપ-પૂજા કરતા હતા તે વખતે હૃદય-ભાવ જગતમાં આવે બન્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનોમન પ્રાર્થના શરૂ થઈ કે હે પ્રભુ ! મને રસ્તો બતાવો. હું તમારી માયા સૃષ્ટિમાં અટવાઇ રહ્યો છે. આ આતનાદ પૂરો થયો કે પ્રભુ શિવજી પાસેથી આદેશની અનુભૂતિ થઇ. બધું છોડીને ભગવત શરણ કરો. બધું ઠીક થઇ જશે. અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર’ લઇને ગંગાજીના કિનારે નીકળી ગયા. અનેક સંકટો વચ્ચે ગંગાના કિનારે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.

ગોંડલ આવી રામમંદિરની ગાદી સંભાળ્યા બાદ ભારતના ખ્યાતનામ ડૉક્ટરોના કેમ્પોનું આયોજન

- Advertisement -

હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ, સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથી, પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠના ઓપરેશન તદ્દન ફ્રી કરી દેવામાં આવે છે. સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે, સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ, મચ્છરદાની આપવામાં આવે છે. બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઇ છે. આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. તેમજ આંખનાં 50 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આશીર્વાદ આપતાં હરિચરણદાસ બાપુ

ગોંડલમાં રામમંદિરનાં ઉદ્દઘાટન સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાએ હરિચરણદાસ બાપુને પોતાનાં ગુરૂ માન્યા હતા.

આ પણ વાંચો: દેશમાં IAS અધિકારીઓની 22% ઘટ!! 
https://khaskhabarrajkot.com/2022/03/28/22-drop-in-ias-officers-in-the-country/ 

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પોલીસ આપને દ્વાર’ રાજકોટ પોલીસની નવતર પહેલ: P.I. જે. વી. ધોળા
Next Article રાજીપો: આજી-1 ડેમમાં 700 MCFT પાણીનો જથ્થો ઠલવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?