By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    17 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    17 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    17 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    17 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
AuthorShailesh Sagpariya

ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે

Khaskhabar Editor
Last updated: 2022/12/10 at 5:31 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

શ્રીમદ્ ભગવદ્ ગીતા હિંદુધર્મનો સર્વ સ્વીકાર્ય, સૌથી વધુ લોકપ્રિય ધર્મગ્રંથ છે. વેદવ્યાસજીનું આ સંકલન માત્ર 700 શ્લોકનું જ છે; પરંતુ વેદ – ઉપનિષદના સારરૂપ ભગવાનની પરાવાણી હોવાથી વિશ્વની મોટાભાગની ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે.
ગીતા ભલે ખિસ્સામાં સમાઈ જાય એટલો નાનો ગ્રંથ હોય; પરંતુ આ નાનકડા ગ્રંથ પર એટલું બધું લખાયું છે કે, એ બધું ભેગું કરીએ તો એક મોટી લાઇબ્રેરી થાય.
ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે. પરમાત્માએ આપેલા માનવદેહને સાર્થક કેમ કરવો, એની સરળ સમજૂતી ગીતામાં ભગવાને ખુદ આપી છે. ગીતાને ભગવાને માત્ર આધ્યાત્મિક ગ્રંથ જ નથી બનાવ્યો, પરંતુ વિશ્વનો સર્વોત્કૃષ્ટ મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ બનાવ્યો છે. માનવમનની વૃત્તિઓનું અદ્ભુત નિરુપણ ભગવાને આ ગ્રંથમાં કર્યું છે.
કોઇપણ માણસને રાજી કરવો હોય, તો એનું મન અને હૃદય જાણવું પડે. મન અને હૃદયમાં શું ચાલે છે, એ જાણીને એ મુજબ વર્તીએ; તો એ માણસ રાજી થાય. ગીતા ભગવાનનું મન અને હૃદય છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો ગીતાને જાણવી, સમજવી અને અનુસરવી પડે.
ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાનને કેવો ભક્ત પ્રિય છે ? કેવા સ્વભાવનો માણસ પ્રભુને ગમે છે ? એની વાતો ભગવાને કરી છે. આજે ધ્યાનથી 12મો અધ્યાય વાંચજો ભગવાને પોતાને પ્રિય હોય એવા માણસના જે જે લક્ષણોની વાત કરી છે એવા વધુમાં વધુ લક્ષણો તમને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળશે. મતલબ એ થયો કે આવા મનોદિવ્યાંગ લોકો ભગવાનની સૌથી નજીક હોય છે.
ગીતા જયંતીની સાથે સાથે આજે યોગાનુયોગ વિશ્વ વિકલાંગતા(દિવ્યાંગતા) દિવસ છે ત્યારે આપ સૌને એટલું જ કહેવું છે કે આપના પરિવારમાં કે આપની આસપાસ કોઈ મનોદિવ્યાંગ માણસ હોય તો સમજજો કે તમે ભગવાનના સૌથી પ્રિય માણસની નજીક છો.
જેમને ત્યાં મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય એ માતા-પિતા સૌથી વધુ ભાગ્યશાળી હોવા છતાં કદાચ સૌથી વધુ દુ:ખી પણ હોય છે કારણકે એમને સતત ચિંતા હોય છે કે એમની ગેરહાજરીમાં એમના બાળકનું શું થશે ? આજે ગીતા જયંતીના દિવસે મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને મુંઝવતા આ સવાલનો જવાબ આપી શકે એવી અનોખી સંસ્થાની વાત કરવી છે.
આજથી લગભગ 32 વર્ષ પહેલાં જૂનાગઢના રહેવાશી શ્રી ધીરુભાઈ પટેલ પણ એમના મનોદિવ્યાંગ દીકરા માટે એક એવી સંસ્થા શોધતા હતા જે માત્ર એના દીકરાને સાચવે એટલું જ નહિ પણ દીકરો માતા-પિતાની ગેરહાજરીમાં પોતાનું કામ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે. ઘણી સંસ્થાઓની મુલાકાત બાદ ધીરુભાઈ પટેલને સમજાયું કે હું જેવી અપેક્ષા રાખું છું એવી સંસ્થા મળવી મુશ્કેલ છે. મારા જેવી જ મુશ્કેલી બીજા ઘણા વાલીઓને હશે. આ બધા વાલીઓની સમસ્યા દૂર કરવા માટે હું પોતે જ મારા સપનાં મુજબની એક સંસ્થા ઊભી કરું. આ વિચારમાંથી જૂનાગઢમાં શ્રી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટની સ્થાપના થઈ.
જૂનાગઢના વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી આ સંસ્થા આજે ન કેવળ જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ બની ગઈ છે. આ સંસ્થામાં ભગવાનને પ્રિય છે એવા 125 મનોદિવ્યાંગ દીકરાઓને રહેવાની વ્યવસ્થા છે અને 125 દીકરા-દીકરીઓ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી રોજ આ સંસ્થામાં જીવનના પાઠ ભણવા આવે છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકો માટે ખાસ જૂનાગઢ રહેવા આવી ગયા છે અને આસપાસ મકાન રાખીને રહે છે.
આ બાળકોને સંસ્થામાં સામાન્ય શિક્ષણ તો આપવામાં આવે જ છે પરંતુ વિવિધ પ્રકારની 6થી વધુ તાલીમ અને થેરાપી દ્વારા એના જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાલીમ પામેલા 60 શિક્ષકો અને સહયોગીઓના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આ બાળકો પોતાનું કામ જાતે કરી શકે એ માટે એમને સક્ષમ બનાવી એમના માતા-પિતાની ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ દરમ્યાન તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને આ ઉજવણીમાં નાચતા, ગાતા, વગાડતા બાળકોને જુઓ એટલે તમને સાક્ષાત પરમાત્માના દર્શન થયા. આ અનુભૂતિ મે કરેલી છે એટલે કહું છું કે એકવખત મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળવાની અનુભૂતિ કરવા જેવી છે.
સુરતના બિલ્ડર, ખૂબ સારા વાંચક-વિચારક અને મારા વડીલ મિત્ર રાજુભાઈ કોશિયા (શ્રી આર.કે.પટેલ) છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાનું અદભૂત સંચાલન કરી રહ્યા છે. ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાને પોતાને પ્રિય માણસના કહેલા લક્ષણો અને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળતા લક્ષણોની સરખામણી કરનાર શ્રી આર.કે.પટેલ જ છે. મનોદિવ્યાંગ બાળકને સૌથી સારી રીતે સમજવા માટે મારા મત પ્રમાણે બે બાબત હોવી જરૂરી છે. 1. તમારા ઘરે મનો દિવ્યાંગ બાળક હોવું જોઈએ અને 2. તમને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. શ્રી આર.કે.પટેલમાં આ બંને બાબતનો સુભગ સમન્વય થયો છે અને એટલે આ માણસ નિસ્વાર્થ ભાવે છેલ્લા 5 વર્ષથી મનોદિવ્યાંગોની દિલથી સેવા કરી રહ્યો છે.
આજે ગીતાજીના પ્રાગટયદિન પર ગીતાજીને અને ગીતા ગાનારા યોગેશ્વરને તો વંદન કરીએ જ પરંતુ પ્રભુના પ્રિય મનોદિવ્યાંગ બાળકો, એમના માતા-પિતા અને આવા બાળકોની સંભાળ લેનાર સૌ લોકોને પણ વંદન કરીને સાચા અર્થમાં ગીતા જયંતીનો ઉત્સવ ઉજવીએ.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલા: ઇર્ષા બડી ઝહરીલી
Next Article આધ્યાત્મિક વિચારો સ્વીકારવામાં મનુષ્યનાં ચાર પ્રકાર હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?