By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    20 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    22 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    23 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    23 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    20 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    20 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    20 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    20 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    20 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
AuthorShailesh Sagpariya

ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે

Khaskhabar Editor
Last updated: 2022/12/10 at 5:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

શ્રીમદ્ ભગવદ્ ગીતા હિંદુધર્મનો સર્વ સ્વીકાર્ય, સૌથી વધુ લોકપ્રિય ધર્મગ્રંથ છે. વેદવ્યાસજીનું આ સંકલન માત્ર 700 શ્લોકનું જ છે; પરંતુ વેદ – ઉપનિષદના સારરૂપ ભગવાનની પરાવાણી હોવાથી વિશ્વની મોટાભાગની ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે.
ગીતા ભલે ખિસ્સામાં સમાઈ જાય એટલો નાનો ગ્રંથ હોય; પરંતુ આ નાનકડા ગ્રંથ પર એટલું બધું લખાયું છે કે, એ બધું ભેગું કરીએ તો એક મોટી લાઇબ્રેરી થાય.
ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે. પરમાત્માએ આપેલા માનવદેહને સાર્થક કેમ કરવો, એની સરળ સમજૂતી ગીતામાં ભગવાને ખુદ આપી છે. ગીતાને ભગવાને માત્ર આધ્યાત્મિક ગ્રંથ જ નથી બનાવ્યો, પરંતુ વિશ્વનો સર્વોત્કૃષ્ટ મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ બનાવ્યો છે. માનવમનની વૃત્તિઓનું અદ્ભુત નિરુપણ ભગવાને આ ગ્રંથમાં કર્યું છે.
કોઇપણ માણસને રાજી કરવો હોય, તો એનું મન અને હૃદય જાણવું પડે. મન અને હૃદયમાં શું ચાલે છે, એ જાણીને એ મુજબ વર્તીએ; તો એ માણસ રાજી થાય. ગીતા ભગવાનનું મન અને હૃદય છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો ગીતાને જાણવી, સમજવી અને અનુસરવી પડે.
ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાનને કેવો ભક્ત પ્રિય છે ? કેવા સ્વભાવનો માણસ પ્રભુને ગમે છે ? એની વાતો ભગવાને કરી છે. આજે ધ્યાનથી 12મો અધ્યાય વાંચજો ભગવાને પોતાને પ્રિય હોય એવા માણસના જે જે લક્ષણોની વાત કરી છે એવા વધુમાં વધુ લક્ષણો તમને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળશે. મતલબ એ થયો કે આવા મનોદિવ્યાંગ લોકો ભગવાનની સૌથી નજીક હોય છે.
ગીતા જયંતીની સાથે સાથે આજે યોગાનુયોગ વિશ્વ વિકલાંગતા(દિવ્યાંગતા) દિવસ છે ત્યારે આપ સૌને એટલું જ કહેવું છે કે આપના પરિવારમાં કે આપની આસપાસ કોઈ મનોદિવ્યાંગ માણસ હોય તો સમજજો કે તમે ભગવાનના સૌથી પ્રિય માણસની નજીક છો.
જેમને ત્યાં મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય એ માતા-પિતા સૌથી વધુ ભાગ્યશાળી હોવા છતાં કદાચ સૌથી વધુ દુ:ખી પણ હોય છે કારણકે એમને સતત ચિંતા હોય છે કે એમની ગેરહાજરીમાં એમના બાળકનું શું થશે ? આજે ગીતા જયંતીના દિવસે મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને મુંઝવતા આ સવાલનો જવાબ આપી શકે એવી અનોખી સંસ્થાની વાત કરવી છે.
આજથી લગભગ 32 વર્ષ પહેલાં જૂનાગઢના રહેવાશી શ્રી ધીરુભાઈ પટેલ પણ એમના મનોદિવ્યાંગ દીકરા માટે એક એવી સંસ્થા શોધતા હતા જે માત્ર એના દીકરાને સાચવે એટલું જ નહિ પણ દીકરો માતા-પિતાની ગેરહાજરીમાં પોતાનું કામ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે. ઘણી સંસ્થાઓની મુલાકાત બાદ ધીરુભાઈ પટેલને સમજાયું કે હું જેવી અપેક્ષા રાખું છું એવી સંસ્થા મળવી મુશ્કેલ છે. મારા જેવી જ મુશ્કેલી બીજા ઘણા વાલીઓને હશે. આ બધા વાલીઓની સમસ્યા દૂર કરવા માટે હું પોતે જ મારા સપનાં મુજબની એક સંસ્થા ઊભી કરું. આ વિચારમાંથી જૂનાગઢમાં શ્રી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટની સ્થાપના થઈ.
જૂનાગઢના વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી આ સંસ્થા આજે ન કેવળ જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ બની ગઈ છે. આ સંસ્થામાં ભગવાનને પ્રિય છે એવા 125 મનોદિવ્યાંગ દીકરાઓને રહેવાની વ્યવસ્થા છે અને 125 દીકરા-દીકરીઓ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી રોજ આ સંસ્થામાં જીવનના પાઠ ભણવા આવે છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકો માટે ખાસ જૂનાગઢ રહેવા આવી ગયા છે અને આસપાસ મકાન રાખીને રહે છે.
આ બાળકોને સંસ્થામાં સામાન્ય શિક્ષણ તો આપવામાં આવે જ છે પરંતુ વિવિધ પ્રકારની 6થી વધુ તાલીમ અને થેરાપી દ્વારા એના જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાલીમ પામેલા 60 શિક્ષકો અને સહયોગીઓના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આ બાળકો પોતાનું કામ જાતે કરી શકે એ માટે એમને સક્ષમ બનાવી એમના માતા-પિતાની ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ દરમ્યાન તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને આ ઉજવણીમાં નાચતા, ગાતા, વગાડતા બાળકોને જુઓ એટલે તમને સાક્ષાત પરમાત્માના દર્શન થયા. આ અનુભૂતિ મે કરેલી છે એટલે કહું છું કે એકવખત મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળવાની અનુભૂતિ કરવા જેવી છે.
સુરતના બિલ્ડર, ખૂબ સારા વાંચક-વિચારક અને મારા વડીલ મિત્ર રાજુભાઈ કોશિયા (શ્રી આર.કે.પટેલ) છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાનું અદભૂત સંચાલન કરી રહ્યા છે. ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાને પોતાને પ્રિય માણસના કહેલા લક્ષણો અને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળતા લક્ષણોની સરખામણી કરનાર શ્રી આર.કે.પટેલ જ છે. મનોદિવ્યાંગ બાળકને સૌથી સારી રીતે સમજવા માટે મારા મત પ્રમાણે બે બાબત હોવી જરૂરી છે. 1. તમારા ઘરે મનો દિવ્યાંગ બાળક હોવું જોઈએ અને 2. તમને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. શ્રી આર.કે.પટેલમાં આ બંને બાબતનો સુભગ સમન્વય થયો છે અને એટલે આ માણસ નિસ્વાર્થ ભાવે છેલ્લા 5 વર્ષથી મનોદિવ્યાંગોની દિલથી સેવા કરી રહ્યો છે.
આજે ગીતાજીના પ્રાગટયદિન પર ગીતાજીને અને ગીતા ગાનારા યોગેશ્વરને તો વંદન કરીએ જ પરંતુ પ્રભુના પ્રિય મનોદિવ્યાંગ બાળકો, એમના માતા-પિતા અને આવા બાળકોની સંભાળ લેનાર સૌ લોકોને પણ વંદન કરીને સાચા અર્થમાં ગીતા જયંતીનો ઉત્સવ ઉજવીએ.

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલા: ઇર્ષા બડી ઝહરીલી
Next Article આધ્યાત્મિક વિચારો સ્વીકારવામાં મનુષ્યનાં ચાર પ્રકાર હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?