By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    14 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    14 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    2 days ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    2 days ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    11 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    11 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    11 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    14 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    7 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?
Author

ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?

Khaskhabar Editor
Last updated: 2022/09/15 at 4:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

કથા એવી છે, કે ભગીરથ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. અને એ વખતે એ પરમશક્તિશાલિનીને શિવજીએ પોતાની જટામાં બાંધીને પછી હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી.
આપણી અનેક પૌરાણિક કથાઓ, માન્યતાઓ, યમ-નિયમોને આજના આધુનિક યુગમાં હવે વૈજ્ઞાનિક આધાર સાંપડયા છે. વૈજ્ઞાનિક પ્રમાણો ન મળ્યાં ત્યાં સુધી આપણે આપણા અતિબુદ્ધિશાળી, અતિબળવાન પૂર્વજોનાં પરાક્રમોને અલૌકિક દેવોનાં અતિમનસ પરાક્રમો જ માન્યાં છે.
અને એટલે જ,‘એ આપણું કામ નહીં’વાળી નિરાશામાં આપણે આપણી સંસ્કૃતિનો વારસો પણ જાળવી શક્યા નથી. આગળ જવાની તો વાત જ એક બાજુ રહી.
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને, અયોધ્યાપતિ ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવ્યાની કથા કહી છે. રામાયણમાં ગંગાવતારની જે કથા મળે છે તેના પરથી સ્પષ્ટ છે કે આ મહાન કાર્ય કોઇ એક વ્યક્તિ કે પેઢીનું નથી. રાજા સગર પછી અંશુમાન અને એ પછી એનો પુત્ર દિલીપ પણ આમાં કાર્યરત રહ્યા અને ચોથી પેઢીમાં દિલીપના પુત્ર ભગીરથને, શંકરની મદદ પ્રાપ્ત થયા પછી સફ્ળતા મળી.
અઢારમી શતાબ્દિની મધ્યમાં બ્ર્ાિટિશ સર્વેક્ષણકર્તાઓ ગંગાવતરણ સંબંધી ભગીરથના આ પૌરાણીક આખ્યાનથી ખૂબ પ્રભાવીત થયા હતા.
સન 1763 થી 1782 સુધી મી રૈનેલ બંગાળના સર્વેયર જનરલ હતા. આ પૌરાણીક કથા પરથી તેમણે એવી ધારણા કરી, કે પહેલાં ગંગા ક્યારેક કાશ્મીર-લડાખનું સિંચન કરતી હશે. તેમની ધારણા હતી કે તિબેટની ભૂમીને સિંચ્યા પછી ગંગા એક પ્રાકૃતિક સુરંગ દ્વારા હિમાલયને પાર કરે છે. તેમણે એક જગ્યાએ લખ્યું પણ છે,‘આ મહાન નદી એક પહાડની શૃંખલામાં થઇને પોતાનો માર્ગ બનાવે છે, અને પછી પહાડના મૂળને જ વિંધીને એક ભુગર્ભ નહેર દ્વારા વિશાળ સરોવરમાં પહોંચે છે.’
રૈનેેલ જેને ભૂમિગત સુરંગ કહે છે, એ વાસ્તવમાં ગંગોત્રીના અંતે આવેલું બરફ્નું ગોમુખ છે, જયાંથી ભાગીરથી વહે છે.
સ્વર્ગમાંથી ગંગાનું શંકરના શિર્ષ પર અવતરણ થયાનું જે વર્ણન મળે છે, તે એક રૂપક હોવાનો નિષ્કર્ષ નીકળે છે. ખરેખર તો ઇસવીસનનીયે શતાબ્દિઓ પહેલાં આર્યોએ હિમાલય જેવા પર્વતનું સર્વેક્ષણ કર્યું હતું અને તેમને એ ખ્યાલ આવ્યો હતો કે ગંગા જેવી સમર્થ નદીનું મૂળ હિમાલયની પેલે પાર તિબેટની સીમામાં છે. ગંગાવતારણની જે કથા પ્રચલીત છે તે, તથા ગંગાના મૂળની ભૌગોલીક સ્થિતિ જોતાં લાગે છે કે ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવવાની આ કથા હિમાલયની પેલે પાર આવેલ પઠાર ક્ષેત્રથી ભારત સુધી ગંગાને લાવવાના પ્રયાસનું પૌરાણીક રૂપ છે. જે કંઈ આધુનિક ભૌગોલીક સર્વેક્ષણો થયા છે, એ પરથી પણ આ જ નિષ્કર્ષ મળે છે. અને જો આ નિષ્કર્ષ સત્ય હોય, તો નિ:સંદેહ, ફ્ક્ત ભારતના ઇતિહાસમાં જ નહીં, પણ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં ભગીરથનું આ કાર્ય ઇજનેરીવિદ્યાનું મહાન દષ્ટાંત છે.
પહેલાં એવી ધારણા પ્રચલિત હતી કે ગંગા ઝરણાના રૂપમાં નીકળી હશે. આ બાબતે તથ્ય શોધી કાઢવા માટે બંગાળ સરકારે સન 1807માં કેપ્ટન રૈયર અને વેબને હરદ્વારથી ગંગોત્રી સુધી ગંગાના સર્વેક્ષણનું કાર્ય સોંપ્યું. તેમને, ગંગા કોઇ ભૂમીગત માર્ગેથી નીકળે છે કે પછી પ્રપાતના (ધોધના) રૂપમાં નીકળે છે તે જાણવા માટે નિમવામાં આવ્યા હતા. જો એ પ્રપાતના રૂપમાં નીકળતી હોય, તો એ પ્રપાતનું માપ જાણવાનો તેમજ તે સ્થળના ચોક્કસ અક્ષાંસ-રેખાંશ જાણવાનો પણ આદેશ અપાયો હતો.
બંને કેપ્ટનોએ ગંગાની બંને મુખ્યધારા, અલકનંદા તથા ભાગીરથીના માર્ગનું અનુસરણ કર્યું અને એ નદીઓની ઊંડી ખીણોમાં થઇને યાત્રા કરી. નદીનું મૂળ જયારે તેમને હિમાલયની પેલે પાર હોવાનું તારણ મળ્યું, ત્યારે તેઓ એકદમ અસમંજસમાં પડી ગયા, પણ આ તથ્ય પર આગળ તપાસ ન કરતા તેમણે એવો રીર્પોર્ટ આપી દીધો, કે હિમાલયની દક્ષીણ તરફ્ તેમને ગંગાનું મૂળ મળી ગયું છે.
કેપ્ટન હર્બર્ટ પોતાના સમયમાં હિમાલય સંબધે અધિકૃત વિદ્વાન મનાતા હતા. સૌ પહેલા સન 1817માં તેમણે એવું કહ્યું કે અલકનંદા અને ભાગીરથી, બંનેના મૂળ તિબેટમાં છે, અને એ બંને નદી ઊંડી ખીણોમાં થઇને વહેતી-વહેતી હિમાલયની આ પાર આવે છે. આધુનિક સર્વેક્ષણકર્તાઓ પણ આ વાતનું સમર્થન કરે છે, કે ગંગાનો માર્ગ સંપૂર્ણપણે પ્રાકૃતિક નથી, અને તેના નિર્માણમાં માણસજાતનો પણ હાથ છે. પુરાણોમાં વર્ણવેલી આ વાત આધુનિક સર્વેક્ષણકાર્યથી સિદ્ધ થાય છે.
કથા કહે છે, કે શંકરે ગંગાને હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી હતી. હવે હકિકતમાં બિંદુસારમાંથી સાત નદીઓ નીકળે છે, જેમાંથી ત્રણ નદીઓ (હલદ્રુ, પવામી અને નલિની) પૂર્વ તરફ્ જાય છે. અન્ય ત્રણ સુચક્ષુ, સીતા અને સિંધૂ નદીઓ પશ્ચિમ તરફ્ જાય છે, અને સાતમી નદી, જેણે ભગીરથની પાછળ ચાલીને ભાગીરથી નામ ધારણ કર્યાનું કહેવાય છે, તે રસ્તામાં એક જળાશયમાંથી થઇને બીજા જળાશયમાં જતી-જતી મેદાનમાં પહોંચતાં સુધી એજ રીતે વહેતી રહે છે. તેના માર્ગમાં એવા કેટલાય જળાશયો છે, જે ચારે તરફ્થી પર્વતોથી ઘેરાયેલા છે. આ કાર્ય માનવીય હોવાની ધારણા આ હકીકતો પરથી કરી શકાય છે.
ઉપરાંત અલકનંદા તથા ભાગીરથીને જળ પહોંચાડનાર નદીઓનું જે વિવરણ સર્વેક્ષણકાર્ય કરનારાઓએ આપ્યું છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે, આ નદીઓને હીમાલયને પેલે પારથી ભારત સુધી પહોંચાડવામાં માણસજાતનો કેટલો હાથ છે.
અલકનંદાને કેટલીયે સહાયક નદીઓ છે, જેમાં ધોળી અને વિષ્ણુગંગા મુખ્ય છે, જે હિમાલયની પેલે પારથી નીકળે છે. ધોળીનું મૂળ જસ્કર પર્વતશૃંખલાઓમાં અને વિષ્ણુગંગાનું મૂળ કામેત પર્વતશૃંખલાઓમાં છે. બંને નદીઓ જોષીમઠ (6000 ફ્ૂટ)ની નજીક મળે છે, અને ત્યાંથી જ વિશાળ પર્વતશૃંખલાઓમાં થઇને વહેવાનું શરૂ કરે છે.
કેપ્ટન હર્બર્ટે એક જગ્યાએ નોંધ્યું છે,‘ધોળીના કિનારે પત્થરોના જે ઢગલા પડયા છે, તેને જોઇને જ યાત્રી આશ્ચર્યચકિત થઇ જાય છે, અને એવું સ્વિકારવા માંડે છે, કે આ કામ પાણીની અતિતીવ્ર્ા ધારાનું છે. પરંતુ અહીં પૂરથી આવેલી માટી એટલાં બધાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, નદી દ્વારા એટલો કાંપ ઘસડાયાની વાત જ ખોટી સાબીત થાય છે -આ નદીઓની ધારાઓ કેટલીય જગ્યાએ નક્કર શીલાઓ પરથી વહે છે. એમાં ક્યાંક-ક્યાંક એટલું ઓછું ઊંડાણ છે, કે જેને જોતાં જ લાગે કે ક્યારેક આ ખીણો નક્કર શીલાઓથી ભરી હશે… -ધોળીનો રસ્તો બનાવવા માટે જે નક્કર શીલાઓ કાપવી પડી છે, એ કાર્યમાં ભગીરથના માણસોને ખૂબજ શ્રમ પડયો હશે -ભાગીરથી કેદારનાથના શીખર પાછળ, ગંગોત્રીથી 13000 ફ્ુટની ઉંચાઇ પર આવેલા ગોમુખ નામના સ્થળેથી નીકળે છે. ગંગોત્રીનું મંદીર, જેમાં ગંગા અને ભાગીરથીની મૂર્તિઓ છે, એ મંદીર ગોમુખથી 18 માઇલ દૂર ભાગીરથી નદીના જમણા કિનારા પર આવેલ છે, અને પશ્ચિમ તરફ્થી આવતી જાહ્નવી, ગંગોત્રી મંદીરથી પણ સાત માઇલ જેટલે દૂર ભાગીરથીને મળે છે. આ બંને નદીઓનું પાણી શ્રીકાંત અને બુંદેરપુંચ શિખરોની વચ્ચે હિમાલયને કાપે છે. ભાગીરથીની આ ખીણ મધ્ય હિમાલયની એક અદભૂત ચીજ છે, અને એ એટલી તો સુંદર છે કે વિશ્વામાં કોઇ ખીણ તેની તોલે ન આવે! ’
પોતાના ઉદ્ગમ સ્થાન બિંદુસારથી હરદ્વાર સુધીના રસ્તે ગંગાના માર્ગમાં કેટલાંય જળાશયો આવેલાં છે. આ જળાશયોમાં સ્થળે-સ્થળે પાણીના નિકાસની પણ વ્યવસ્થા છે.
સંપુર્ણ માર્ગને જુદા-જુદા ભાગોમાં વહેંચી નદીના પ્રવાહને બદલવાનો આ પ્રયાસ જ બતાવે છે, કે પહેલાના ઇજનેરો કેટલા બુદ્ધિમાન હતા, પોતાના કામમાં કેટલા નિપુણ હતા. આજે પણ, આપણે ઊંચાઇ પરથી નદીના પ્રવાહ તરફ્ નજર નાખીએ, તો ખ્યાલ આવશે કે, આપણા ઇજનેરો નદીના પ્રવાહોને નાથવાનું કાર્ય એ રીતે કરે છીએ કે જેથી નદી પોતાની સાથેની માટી (કાંપ) ત્યાં જ છોડી જાય. એ માટે યોગ્ય સ્થાનો પર ઝરણા બનાવવા કે બંધ બાંધવામાં આવે છે. એમ લાગે છે કે, નક્કી આર્ય ઇજનેરો આ સિદ્ધાંતોથી પણ સુપરિચિત હતા, અને ભગીરથે તો ગંગાની ધારા બદલવામાં આ સિદ્ધાંતને કાર્યરૂપ પણ આપ્યું છે.
પ્રાચીન ઇજનેરોને, કદાચ આશંકા હશે પણ ખરી, કે મેદાનમાં પહોંચીને ગંગાનો પ્રવાહ અટકી જશે. એવું થયું પણ છે. એ માટે એમણે તળેટી ફ્રી ઊંડી કરવી પડી હતી.
ગંગાનો માર્ગ બદલવાનું કાર્ય ચાર પેઢીએ પૂર્ણ થયું. આ યોજના કેટલી વિશાળ હશે, અને એને પૂરી કરવામાં કેટલી શિલાઓ કાપવી પડી હશે અથવા કેટલી માટી ખોદાણી હશે, એ બધા પ્રશ્નો પર વિચાર કરવા બેસીએ તો આ યંત્રયુગમાં પણ આપણું મગજ બહેર મારી જાય.
આમ છતાં આપણે એટલો નિષ્કર્ષ કાઢી શકીએ, કે ભગીરથ નામના અતિબુદ્ધિશાળી અને શક્તિશાળી રાજા, જેની ચાર પેઢીના પૂર્વજો આ કાર્યમાં નિપૂણતા ધરાવતા હતા તેણે, કદાચ અન્ય કોઇ રાજા (પુરાણોના સંદર્ભે શંકર?)ની મદદથી, ચોથી પેઢીએ તદ્દન અશક્ય લાગતું આ કાર્ય પૂરૂં કર્યું, અને તેના પરથી આવાં અશક્ય લાગતાં કાર્યો માટે‘ભગીરથ કાર્ય’ એવો શબ્દ વપરાવા લાગ્યો.
નિ:શંક, ભગીરથ માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ઇજનેર હતો.

(સંકલિત) – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણ
આ લેખ 2008માં કુમારમાં છપાયેલો.

- Advertisement -

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

TAGGED: Gangavatran, Myth, Reality
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સ્પોર્ટસ એક્ટિવેશન કેમ્પનો શુભારંભ
Next Article મોરબીમાં સતત પાંચમા દિવસે મેઘકહેર યથાવત : 30 કલાકમાં 53 મીમી વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?