By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    2 days ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    2 days ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    3 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર
    12 hours ago
    ‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’
    12 hours ago
    વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ
    12 hours ago
    પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ
    13 hours ago
    ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા: ઙખ બનવાના દાવેદાર
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિજય હઝારે ટ્રોફી: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રણ ચેઝ અને સ્કોર 574
    15 hours ago
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    2 days ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    3 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 week ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    3 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 month ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 month ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?
Author

ગંગાવતરણ – વાયકા કે વાસ્તવિકતા?

Khaskhabar Editor
Last updated: 2022/09/15 at 4:49 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

કથા એવી છે, કે ભગીરથ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. અને એ વખતે એ પરમશક્તિશાલિનીને શિવજીએ પોતાની જટામાં બાંધીને પછી હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી.
આપણી અનેક પૌરાણિક કથાઓ, માન્યતાઓ, યમ-નિયમોને આજના આધુનિક યુગમાં હવે વૈજ્ઞાનિક આધાર સાંપડયા છે. વૈજ્ઞાનિક પ્રમાણો ન મળ્યાં ત્યાં સુધી આપણે આપણા અતિબુદ્ધિશાળી, અતિબળવાન પૂર્વજોનાં પરાક્રમોને અલૌકિક દેવોનાં અતિમનસ પરાક્રમો જ માન્યાં છે.
અને એટલે જ,‘એ આપણું કામ નહીં’વાળી નિરાશામાં આપણે આપણી સંસ્કૃતિનો વારસો પણ જાળવી શક્યા નથી. આગળ જવાની તો વાત જ એક બાજુ રહી.
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને, અયોધ્યાપતિ ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવ્યાની કથા કહી છે. રામાયણમાં ગંગાવતારની જે કથા મળે છે તેના પરથી સ્પષ્ટ છે કે આ મહાન કાર્ય કોઇ એક વ્યક્તિ કે પેઢીનું નથી. રાજા સગર પછી અંશુમાન અને એ પછી એનો પુત્ર દિલીપ પણ આમાં કાર્યરત રહ્યા અને ચોથી પેઢીમાં દિલીપના પુત્ર ભગીરથને, શંકરની મદદ પ્રાપ્ત થયા પછી સફ્ળતા મળી.
અઢારમી શતાબ્દિની મધ્યમાં બ્ર્ાિટિશ સર્વેક્ષણકર્તાઓ ગંગાવતરણ સંબંધી ભગીરથના આ પૌરાણીક આખ્યાનથી ખૂબ પ્રભાવીત થયા હતા.
સન 1763 થી 1782 સુધી મી રૈનેલ બંગાળના સર્વેયર જનરલ હતા. આ પૌરાણીક કથા પરથી તેમણે એવી ધારણા કરી, કે પહેલાં ગંગા ક્યારેક કાશ્મીર-લડાખનું સિંચન કરતી હશે. તેમની ધારણા હતી કે તિબેટની ભૂમીને સિંચ્યા પછી ગંગા એક પ્રાકૃતિક સુરંગ દ્વારા હિમાલયને પાર કરે છે. તેમણે એક જગ્યાએ લખ્યું પણ છે,‘આ મહાન નદી એક પહાડની શૃંખલામાં થઇને પોતાનો માર્ગ બનાવે છે, અને પછી પહાડના મૂળને જ વિંધીને એક ભુગર્ભ નહેર દ્વારા વિશાળ સરોવરમાં પહોંચે છે.’
રૈનેેલ જેને ભૂમિગત સુરંગ કહે છે, એ વાસ્તવમાં ગંગોત્રીના અંતે આવેલું બરફ્નું ગોમુખ છે, જયાંથી ભાગીરથી વહે છે.
સ્વર્ગમાંથી ગંગાનું શંકરના શિર્ષ પર અવતરણ થયાનું જે વર્ણન મળે છે, તે એક રૂપક હોવાનો નિષ્કર્ષ નીકળે છે. ખરેખર તો ઇસવીસનનીયે શતાબ્દિઓ પહેલાં આર્યોએ હિમાલય જેવા પર્વતનું સર્વેક્ષણ કર્યું હતું અને તેમને એ ખ્યાલ આવ્યો હતો કે ગંગા જેવી સમર્થ નદીનું મૂળ હિમાલયની પેલે પાર તિબેટની સીમામાં છે. ગંગાવતારણની જે કથા પ્રચલીત છે તે, તથા ગંગાના મૂળની ભૌગોલીક સ્થિતિ જોતાં લાગે છે કે ભગીરથ દ્વારા ગંગાને ધરતી પર લાવવાની આ કથા હિમાલયની પેલે પાર આવેલ પઠાર ક્ષેત્રથી ભારત સુધી ગંગાને લાવવાના પ્રયાસનું પૌરાણીક રૂપ છે. જે કંઈ આધુનિક ભૌગોલીક સર્વેક્ષણો થયા છે, એ પરથી પણ આ જ નિષ્કર્ષ મળે છે. અને જો આ નિષ્કર્ષ સત્ય હોય, તો નિ:સંદેહ, ફ્ક્ત ભારતના ઇતિહાસમાં જ નહીં, પણ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં ભગીરથનું આ કાર્ય ઇજનેરીવિદ્યાનું મહાન દષ્ટાંત છે.
પહેલાં એવી ધારણા પ્રચલિત હતી કે ગંગા ઝરણાના રૂપમાં નીકળી હશે. આ બાબતે તથ્ય શોધી કાઢવા માટે બંગાળ સરકારે સન 1807માં કેપ્ટન રૈયર અને વેબને હરદ્વારથી ગંગોત્રી સુધી ગંગાના સર્વેક્ષણનું કાર્ય સોંપ્યું. તેમને, ગંગા કોઇ ભૂમીગત માર્ગેથી નીકળે છે કે પછી પ્રપાતના (ધોધના) રૂપમાં નીકળે છે તે જાણવા માટે નિમવામાં આવ્યા હતા. જો એ પ્રપાતના રૂપમાં નીકળતી હોય, તો એ પ્રપાતનું માપ જાણવાનો તેમજ તે સ્થળના ચોક્કસ અક્ષાંસ-રેખાંશ જાણવાનો પણ આદેશ અપાયો હતો.
બંને કેપ્ટનોએ ગંગાની બંને મુખ્યધારા, અલકનંદા તથા ભાગીરથીના માર્ગનું અનુસરણ કર્યું અને એ નદીઓની ઊંડી ખીણોમાં થઇને યાત્રા કરી. નદીનું મૂળ જયારે તેમને હિમાલયની પેલે પાર હોવાનું તારણ મળ્યું, ત્યારે તેઓ એકદમ અસમંજસમાં પડી ગયા, પણ આ તથ્ય પર આગળ તપાસ ન કરતા તેમણે એવો રીર્પોર્ટ આપી દીધો, કે હિમાલયની દક્ષીણ તરફ્ તેમને ગંગાનું મૂળ મળી ગયું છે.
કેપ્ટન હર્બર્ટ પોતાના સમયમાં હિમાલય સંબધે અધિકૃત વિદ્વાન મનાતા હતા. સૌ પહેલા સન 1817માં તેમણે એવું કહ્યું કે અલકનંદા અને ભાગીરથી, બંનેના મૂળ તિબેટમાં છે, અને એ બંને નદી ઊંડી ખીણોમાં થઇને વહેતી-વહેતી હિમાલયની આ પાર આવે છે. આધુનિક સર્વેક્ષણકર્તાઓ પણ આ વાતનું સમર્થન કરે છે, કે ગંગાનો માર્ગ સંપૂર્ણપણે પ્રાકૃતિક નથી, અને તેના નિર્માણમાં માણસજાતનો પણ હાથ છે. પુરાણોમાં વર્ણવેલી આ વાત આધુનિક સર્વેક્ષણકાર્યથી સિદ્ધ થાય છે.
કથા કહે છે, કે શંકરે ગંગાને હિમાલયના શિખર પર બિંદુસાર તળાવમાં મુક્ત કરી હતી. હવે હકિકતમાં બિંદુસારમાંથી સાત નદીઓ નીકળે છે, જેમાંથી ત્રણ નદીઓ (હલદ્રુ, પવામી અને નલિની) પૂર્વ તરફ્ જાય છે. અન્ય ત્રણ સુચક્ષુ, સીતા અને સિંધૂ નદીઓ પશ્ચિમ તરફ્ જાય છે, અને સાતમી નદી, જેણે ભગીરથની પાછળ ચાલીને ભાગીરથી નામ ધારણ કર્યાનું કહેવાય છે, તે રસ્તામાં એક જળાશયમાંથી થઇને બીજા જળાશયમાં જતી-જતી મેદાનમાં પહોંચતાં સુધી એજ રીતે વહેતી રહે છે. તેના માર્ગમાં એવા કેટલાય જળાશયો છે, જે ચારે તરફ્થી પર્વતોથી ઘેરાયેલા છે. આ કાર્ય માનવીય હોવાની ધારણા આ હકીકતો પરથી કરી શકાય છે.
ઉપરાંત અલકનંદા તથા ભાગીરથીને જળ પહોંચાડનાર નદીઓનું જે વિવરણ સર્વેક્ષણકાર્ય કરનારાઓએ આપ્યું છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે, આ નદીઓને હીમાલયને પેલે પારથી ભારત સુધી પહોંચાડવામાં માણસજાતનો કેટલો હાથ છે.
અલકનંદાને કેટલીયે સહાયક નદીઓ છે, જેમાં ધોળી અને વિષ્ણુગંગા મુખ્ય છે, જે હિમાલયની પેલે પારથી નીકળે છે. ધોળીનું મૂળ જસ્કર પર્વતશૃંખલાઓમાં અને વિષ્ણુગંગાનું મૂળ કામેત પર્વતશૃંખલાઓમાં છે. બંને નદીઓ જોષીમઠ (6000 ફ્ૂટ)ની નજીક મળે છે, અને ત્યાંથી જ વિશાળ પર્વતશૃંખલાઓમાં થઇને વહેવાનું શરૂ કરે છે.
કેપ્ટન હર્બર્ટે એક જગ્યાએ નોંધ્યું છે,‘ધોળીના કિનારે પત્થરોના જે ઢગલા પડયા છે, તેને જોઇને જ યાત્રી આશ્ચર્યચકિત થઇ જાય છે, અને એવું સ્વિકારવા માંડે છે, કે આ કામ પાણીની અતિતીવ્ર્ા ધારાનું છે. પરંતુ અહીં પૂરથી આવેલી માટી એટલાં બધાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, નદી દ્વારા એટલો કાંપ ઘસડાયાની વાત જ ખોટી સાબીત થાય છે -આ નદીઓની ધારાઓ કેટલીય જગ્યાએ નક્કર શીલાઓ પરથી વહે છે. એમાં ક્યાંક-ક્યાંક એટલું ઓછું ઊંડાણ છે, કે જેને જોતાં જ લાગે કે ક્યારેક આ ખીણો નક્કર શીલાઓથી ભરી હશે… -ધોળીનો રસ્તો બનાવવા માટે જે નક્કર શીલાઓ કાપવી પડી છે, એ કાર્યમાં ભગીરથના માણસોને ખૂબજ શ્રમ પડયો હશે -ભાગીરથી કેદારનાથના શીખર પાછળ, ગંગોત્રીથી 13000 ફ્ુટની ઉંચાઇ પર આવેલા ગોમુખ નામના સ્થળેથી નીકળે છે. ગંગોત્રીનું મંદીર, જેમાં ગંગા અને ભાગીરથીની મૂર્તિઓ છે, એ મંદીર ગોમુખથી 18 માઇલ દૂર ભાગીરથી નદીના જમણા કિનારા પર આવેલ છે, અને પશ્ચિમ તરફ્થી આવતી જાહ્નવી, ગંગોત્રી મંદીરથી પણ સાત માઇલ જેટલે દૂર ભાગીરથીને મળે છે. આ બંને નદીઓનું પાણી શ્રીકાંત અને બુંદેરપુંચ શિખરોની વચ્ચે હિમાલયને કાપે છે. ભાગીરથીની આ ખીણ મધ્ય હિમાલયની એક અદભૂત ચીજ છે, અને એ એટલી તો સુંદર છે કે વિશ્વામાં કોઇ ખીણ તેની તોલે ન આવે! ’
પોતાના ઉદ્ગમ સ્થાન બિંદુસારથી હરદ્વાર સુધીના રસ્તે ગંગાના માર્ગમાં કેટલાંય જળાશયો આવેલાં છે. આ જળાશયોમાં સ્થળે-સ્થળે પાણીના નિકાસની પણ વ્યવસ્થા છે.
સંપુર્ણ માર્ગને જુદા-જુદા ભાગોમાં વહેંચી નદીના પ્રવાહને બદલવાનો આ પ્રયાસ જ બતાવે છે, કે પહેલાના ઇજનેરો કેટલા બુદ્ધિમાન હતા, પોતાના કામમાં કેટલા નિપુણ હતા. આજે પણ, આપણે ઊંચાઇ પરથી નદીના પ્રવાહ તરફ્ નજર નાખીએ, તો ખ્યાલ આવશે કે, આપણા ઇજનેરો નદીના પ્રવાહોને નાથવાનું કાર્ય એ રીતે કરે છીએ કે જેથી નદી પોતાની સાથેની માટી (કાંપ) ત્યાં જ છોડી જાય. એ માટે યોગ્ય સ્થાનો પર ઝરણા બનાવવા કે બંધ બાંધવામાં આવે છે. એમ લાગે છે કે, નક્કી આર્ય ઇજનેરો આ સિદ્ધાંતોથી પણ સુપરિચિત હતા, અને ભગીરથે તો ગંગાની ધારા બદલવામાં આ સિદ્ધાંતને કાર્યરૂપ પણ આપ્યું છે.
પ્રાચીન ઇજનેરોને, કદાચ આશંકા હશે પણ ખરી, કે મેદાનમાં પહોંચીને ગંગાનો પ્રવાહ અટકી જશે. એવું થયું પણ છે. એ માટે એમણે તળેટી ફ્રી ઊંડી કરવી પડી હતી.
ગંગાનો માર્ગ બદલવાનું કાર્ય ચાર પેઢીએ પૂર્ણ થયું. આ યોજના કેટલી વિશાળ હશે, અને એને પૂરી કરવામાં કેટલી શિલાઓ કાપવી પડી હશે અથવા કેટલી માટી ખોદાણી હશે, એ બધા પ્રશ્નો પર વિચાર કરવા બેસીએ તો આ યંત્રયુગમાં પણ આપણું મગજ બહેર મારી જાય.
આમ છતાં આપણે એટલો નિષ્કર્ષ કાઢી શકીએ, કે ભગીરથ નામના અતિબુદ્ધિશાળી અને શક્તિશાળી રાજા, જેની ચાર પેઢીના પૂર્વજો આ કાર્યમાં નિપૂણતા ધરાવતા હતા તેણે, કદાચ અન્ય કોઇ રાજા (પુરાણોના સંદર્ભે શંકર?)ની મદદથી, ચોથી પેઢીએ તદ્દન અશક્ય લાગતું આ કાર્ય પૂરૂં કર્યું, અને તેના પરથી આવાં અશક્ય લાગતાં કાર્યો માટે‘ભગીરથ કાર્ય’ એવો શબ્દ વપરાવા લાગ્યો.
નિ:શંક, ભગીરથ માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ઇજનેર હતો.

(સંકલિત) – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણ
આ લેખ 2008માં કુમારમાં છપાયેલો.

- Advertisement -

You Might Also Like

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

TAGGED: Gangavatran, Myth, Reality
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સ્પોર્ટસ એક્ટિવેશન કેમ્પનો શુભારંભ
Next Article મોરબીમાં સતત પાંચમા દિવસે મેઘકહેર યથાવત : 30 કલાકમાં 53 મીમી વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલા-સાસણ રોડ પર ખુલ્લી ગટરમાં 10 વર્ષનો બાળક પડી ગયો: જીવના જોખમે લોકોએ બચાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સોમનાથના શરણમાં અનંત અંબાણી: મહાદેવના દર્શન કરી રૂપિયા 5 કરોડનું દાન અર્પણ કર્યું
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ ગદા પ્રદર્શન કરી ‘સાંસદ ખેલ મહોત્સવ’ના ફિનાલેને ખુલ્લો મૂક્યો
ઊના ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારી હોવાના આક્ષેપ કરનાર કેદીનું મોત નિપજ્યું
પવિત્ર તીર્થ દામોદર કુંડ ‘ઉપેક્ષા’નો શિકાર: શિવરાત્રી મેળા પૂર્વે તંત્ર સફાઈ માટે દોડ્યું
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને હટાવી ઉઉઘને ચાર્જ આપ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?