By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    20 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    18 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    18 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    19 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    7 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય
AuthorNaresh Shah

ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય

Khaskhabar Editor
Last updated: 2023/01/30 at 6:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ગાંધી ગોડસે: એક યુધ્ધ ફિલ્મ જો અને તો પર આધારિત છે પણ હકીક્ત છે એ છે કે આવું પણ બની શક્યું હોત

30 જાન્યુઆરીનો ગાંધી નિર્વાણ દિન આજે છે ત્યારે એક કલ્પના કરી જોવા જેવી છે કે 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ કરેલાં ગોળીબાર પછી પણ ગાંધીજી જીવી ગયા હોત તો શું થાત ? અત્યારે એક મોટો વર્ગ એવું માને છે કે મહાત્મા ગાંધી વર્તમાન સમયમાં આઉટડેટેડ સાબિત થયા હોત પણ ધારી લો કે, નથુરામ ગોડસેના ફાયરિંગ પછી પણ જીવતાં રહી શક્યા હોત તો શું એ સમયમાં ગાંધીજી પોતાની વિચારધારા કે ફિલ્સૂફી અને આદર્શ મુજબ જીવી શક્યા હોત ?
સત્યની જેમ કેટલીક કલ્પના પણ અકળાવનારી જ સાબિત થતી હોય છે અને આવી કલ્પના દિલ્હીમાં રહેતાં 7પ વર્ષના સાહિત્યકાર-પ્રોફેસર અસગર વજાહત (જીસે લૌહાર નહીં દેખ્યા – જેવું ઉમદા નાટક પણ તેમણે જ આપ્યું છે ) એક દશકા અગાઉ કરી હતી. એકદમ ઈન્ટરેસ્ટિંગ વાત છે આ. 30 જાન્યુઆરી, 1948 ના દિવસે બિરલા હાઉસમાં પ્રાર્થના સભામાં જઈ રહેલાં ગાંધીજીને પ્રથમ પ્રણામ ર્ક્યા બાદ નથુરામ ગોડસે પોતાની પિસ્તોલમાંથી ત્રણ ગોળી ધરબી દે છે પણ… એ જીવલેણ હુમલા પછી સાજા થઈ ગયેલા ગાંધીજી પહેલું કામ શું કરે છે ? સ્વાભાવિક છે કે એ પોતાની હત્યાનો ગુનો કબુલી ચૂકેલાં હત્યારા નથુરામ ગોડસેને મળવા જેલમાં જાય.
હિન્દુઓના દુશ્મન અને મુસ્લિમોના તરફદાર એવા ગાંધીજીને પોતાની બેરેકમાં જોઈને નથુરામ ગોડસે છળી મરે છે કારણકે તેની નજરમાં તો ગાંધીજી ભારતભૂમિ પરનો બોજ છે. અખંડ ભારતના ભાગલા કરાવનારા, પાકિસ્તાનને અનસન ઉપવાસ કરીને બાવન કરોડ રૂપિયા અપાવનારા, મંદિરોમાં કુરાનની આયાત ગવડાવનારા અને (હિન્દુઓ કરતાં વધુ) મુસ્લિમોના હિતરક્ષ્ાક મોહનદાસ કરમચંદ ગાંધી સામે એ પોતાનો આક્રોશ ઠાલવે છે.
જેલમાં નથુરામ ગોડસેને મળ્યાં પછી ગાંધીજી પોતાના ગ્રામ સ્વરાજયના આદર્શ વિચારને અમલમાં મૂકે છે અને એ દરમિયાન તેઓ ભારતના કાયદા-બંધારણની બદલે (ગ્રામ સ્વરાજયની કલ્પનાને) વધુ પ્રાધાન્ય આપે છે. જેલમાં રહેલો નથુરામ ગોડસે (એ પત્રકાર હતો, એ તો તેમના વિરોધીઓને યાદ જ હશે) ગાંધીજીની આ મનમાની પર બેધડક લખતો રહે છે. કોર્ટમાં એવો ચૂકાદો આવે છે કે કાયદાભંગ બદલ ગાંધીજીને એરેસ્ટ કરવા જોઈએ.
પકડાયેલાં ગાંધીજીના આગ્રહ આગળ ઝૂકી જઈને કોંગે્રસ (નહેરુ વગેરે) ગાંધીજીની ઈચ્છા પ્રમાણે નથુરામ ગોડસે છે એ જ જેલમાં અને એ જ બેરેકમાં ગાંધીને રાખવામાં આવે છે. અને પછી…
અહિંસાના પુજારી અને તેનો ખાતમો કરવા નીકળેલાં હિંસાનાં તરફદાર, જેલની બેરેકમાં એક્સાથે રહે ત્યારે જે શાબ્દિક તડાફડી થાય એ અત્યંત રોચક કલ્પનાનો વિષય છે પરંતુ ડોન્ટ વરી, એ કલ્પના કરવામાં ટૂંકા પડતા હો તો વેલનોન ડિરેકટર રાજકુમાર સંતોષીએ આ જ વિષય પર બનાવેલી ગાંધી-ગોડસે : એક યુધ્ધ ફિલ્મ જોઈ લેવાની રહે. અસગર વજાહત અને રાજકુમાર સંતોષીએ સાથે મળીને લખેલી આ ફિલ્મનો સૌથી

- Advertisement -

મોટો પ્લસ પોઈન્ટ ગાંધી-ગોડસેનો આમનો-સામનો અને ટકરાવ છે. જેલમાં ભગતસિંહ, સુભાષચં બોઝથી લઈને ઐતિહાસિક પાત્રોએ અન્યાયની બદીને ટાળવા માટે હિંસાનો આશરો લીધો હોવાનો નથુરામ ગોડસે હવાલો આપે છે ત્યારે ગાંધી-સમર્થક કેદી કહે છે : …. એવું જ હોય તો તે અંગે્રજોના અન્યાય વિરૂદ્ધ કેમ એક પથ્થર પણ નહોતો ફેંક્યો (અને ગાંધીજીની હત્યા કરવા તૈયાર થયો)
અહિંસાની તરફેણ કરતાં ગાંધીજી ખુદ બેરેકમાં નથુરામ ગોડસેને કહે છે : વિચારો સામેનું યુધ્ધ તો વિચારોથી લડવું જોઈએને… તું મને મારી નાખે તો કંઈ તેને અંત થોડો આવવાનો છે. મારા વિચાર તો જીવવાના જ છે.
અગત્યનો સવાલ એ છે કે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો ? આજે તો એક હિન્દુ (ગોડસે) એ બીજા અહિંસા-સમર્થક હિન્દુ (ગાંધીજી)ની હત્યા કરી-નું મહેણું આપણા માટે કાયમી બની ગયું છે પણ માની લો કે (અસગર વજાહતની કલ્પના મુજબ) ગોડસેના પ્રહારમાંથી ગાંધી બચી ગયા પછી શું ગાંધીજી કોઈ અન્યને ખટક્યાં હોત ખરાં ? શું તેમણે ગાંધી નામનો કાંટો કાઢવાનો પ્રયત્ન ર્ક્યો હોત ? અને હા, તો એ કોણ હોત ? ગાંધીજી જે રીતે કચડાયેલાં-દુ:ભાયેલા અને જાતિવાદથી રિબાયેલાં લોકોના મસીહા બનીને કામ કરતા હતા, એ જોતાં તો સ્વાભાવિક છે કે ઉચ્ચ તબકા અને વર્ગના લોકોને જ એ ખટક્યાં હોત અને ગાંધી ગોડસે : એક યુધ્ધ ફિલ્મમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે નથુરામના એટેક પછી ઉગરી ગયેલા ગાંધીજીનો શિકાર કોઈ બીજો હિન્દુ વર્ગ કે સમુદાય જ કરત બેશક, આ કલ્પના છે પણ એવી સચોટ છે કે ગાંધી-ગોડસે : એક યુધ્ધ ફિલ્મનો અંત જોઈને એકપણ જેન્યુઈન હિન્દુને એ અતાર્કિક નહીં જ લાગે.

ગાંધી-ગોડસે: એક યુધ્ધ વિશે
ફિલ્મની એ કમનસીબી રહી છે કે એ પઠાન ફિલ્મના પ્રચાર-માર્કેટીંગ અને સફળતાના વાવાઝોડામાં દબાઈ ગઈ પરંતુ તેમાં કામ નક્કર થયું છે. ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર આપણા ગુજરાતી અભિનેતા દિપક અંતાણીએ ભજવ્યું છે અને ગાંધીજીના બોખા હાસ્યના દૃશ્યમાં તેમણે ખરેખર કમાલ કરી છે. બેન કિંગ્સલે પછી હવે દિપક અંતાણીને ગાંધીજી તરીકે ઓળખવામાં આવશે. બેશક, અમુક દૃશ્યમાં ગાંધીજી જાણે ફિલ્મી હીરો હોય તેવા લાગે છે પણ એ નજરઅંદાઝ કરી શકાય તેવી વાત છે. નથુરામ ગોડસે તરીકે ચિન્મય માંડલેકર પણ પરફેકટ (અને ગાંધીજીથી) પ્રભાવહીન લાગે છે. ફિલ્મમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, પ્યારેલાલજી (એક દૃશ્યમાં), કસ્તુરબા ગાંધી, શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા ઐતિહાસિક પાત્રો પણ નોંધનીય છે.
વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ માટે જ કદાચ, એ. આર. રહેમાન આ ફિલ્મમાં સામેલ થયા છે અને એ વાજબી પણ છે. ફિલ્મમાં રાજકુમાર સંતોષીની પુત્રી તનીષા સંતોષી પણ છે. ગાંધી-ગોડસે : એક યુધ્ધ ખરેખર એક નોંધનીય અને પ્રશંસનીય પ્રયાસ છે એટલે તમારે જોયા વગર તો ચાલશે જ નહીં

ગોડસે @ ગાંધી ડોટ કોમ વિષે
નાટયકાર અસગર વજાહતે ર010માં આ નામથી લખેલાં નાટકને ટોમ ઓલ્ટરે યદિ નામથી ભજવેલું. ક્ધનડ ભાષામાં પણ એ બન્યું. ગુજરાતી ભાષામાં નિમેષ દેસાઈએ તે હું છું મોહનદાસ નામથી ભજવ્યું. હિન્દીમાં અરવિંદે ગોડે પણ છેલ્લાં દશ વરસથી આ જ નામથી નાટક ભજવી રહ્યા હતા પરંતુ ત્યારે કોઈ વિવાદ નહોતો થયો. રાજકુમાર સંતોષીએ એ જ નાટક પરથી ગાંધી-ગોડસે : એક યુધ્ધ નામે ફિલ્મ બનાવી તો થોડો ચચરાટ થયો છે પણ અસગર વજાહતે એ ફિલ્મ બારામાં આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે (નાટકની જેમ જ) ફિલ્મમાં પણ અમે કોઈને હીરો તરીકે દર્શાવવાનો પ્રયત્ન ર્ક્યો નથી
સચ્ચાઈ એ છે કે ગાંધી હત્યા પછી નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલી કેફિયત પરથી જ ગોડસેના વ્યક્તિત્વને ઉપસાવવાની કોશિશ થઈ છે અને અહીં ગાંધીજીની હઠ જેવી માન્યતાઓ પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

TAGGED: FILM, GANDHIGODSE, gandhiji, NATHURAMGODSE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના લાતી પ્લોટની હાલત નીંભર તંત્રના પાપે નર્કાગાર સમાન!
Next Article રેસકોર્સમાં કારના કાચ તોડી સોનાંની લૂંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?