ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા જેના લીધે ગિરનાર પરિક્રમા રૂટ પર અને ભવનાથ તળેટી સહીત વિસ્તારોમાં ખુબ મોટી માત્રામાં કચરો એકત્ર થતા વન વિભાગ અને રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકીના જવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા મા શ્રદ્ધાંલુઓ દ્વારા ગિરનાર અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષક જૂનાગઢ વન વિભાગની સૂચના તથા માર્ગદર્શન મુજબ રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ )ના તાલીમાર્થી તથા વન વિભાગ ના સ્ટાફ દ્વારા સંકલનથી ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડી વિસ્તારમાં પ્લાસ્ટિક, કચરો સફાઈની કામગીરી કરી ગિરનાર જંગલ વિસ્તાર માંથી અંદાજિત 1.5 ટન જેટલાં કચરાનો નિકાલ કરેલ હતો.
વન વિભાગ અને ચોકીના પોલીસ તાલીમાર્થીઓએ પરિક્રમા રૂટ પર 1.5 ટન કચરાનો નિકાલ કર્યો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/જૂનાગઢ-વન-વિભાગ-અને-ચોકીના-પોલીસ-તાલીમર્થો-દ્વારા-પરિક્રમા-રૂટ-પર-1.5-ટન-કચરાની-નિકાલ-કર્યો--860x645.jpg)