By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    35 minutes ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનીષ બન્યો મોઈન ખાન
    17 minutes ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 minutes ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    8 minutes ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદીનાં પદચિહ્નો પર ચાલીને વિજય રૂપાણી ગુજરાતનું શાસન ચલાવી રહ્યાં છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરેન્દ્ર મોદીનાં પદચિહ્નો પર ચાલીને વિજય રૂપાણી ગુજરાતનું શાસન ચલાવી રહ્યાં છે
ગુજરાતરાજકોટરાષ્ટ્રીયસૌરાષ્ટ્ર કચ્છ

નરેન્દ્ર મોદીનાં પદચિહ્નો પર ચાલીને વિજય રૂપાણી ગુજરાતનું શાસન ચલાવી રહ્યાં છે

Khaskhabar Editor
Last updated: 2021/06/21 at 4:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

CM રૂપાણીની ગત અઠવાડિયાની કામગીરી : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નાં મોદી મંત્રને સાર્થક કરતા નિર્ણયો-જાહેરાતો

અગરિયાઓ માટે મહત્વપૂર્ણ સહાયની જાહેરાત, વરિષ્ઠ સચિવોને સંભવિત ત્રીજી લહેરની જવાબદારી, સીમા દર્શનનું આગળ ધપતું કામ, નવલખી બંદર પર નવી જેટ્ટીને મંજૂરી સહિત અનેક કાર્યો…

1. અગરિયાઓને પ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય અપાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000ની સહાય આપવાનો રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે.

Contents
CM રૂપાણીની ગત અઠવાડિયાની કામગીરી : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નાં મોદી મંત્રને સાર્થક કરતા નિર્ણયો-જાહેરાતો અગરિયાઓ માટે મહત્વપૂર્ણ સહાયની જાહેરાત, વરિષ્ઠ સચિવોને સંભવિત ત્રીજી લહેરની જવાબદારી, સીમા દર્શનનું આગળ ધપતું કામ, નવલખી બંદર પર નવી જેટ્ટીને મંજૂરી સહિત અનેક કાર્યો…

2. રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના આગોતરા આયોજનથી કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઈમ મોનિટરિંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સરકારના વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

- Advertisement -

3. ઝીરો પોઈન્ટ ખાતે સીમાદર્શન અંતર્ગત રૂ. 125 કરોડનાં અંદાજિત ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠામાં આવેલા છેવાડાનાં વિસ્તાર નડાબેટ ખાતે સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમનાં હાથ ધરાઈ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સમા સીમાદર્શનનો આ પ્રોજેક્ટ અંદાજિત 125 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી 15 ઓગસ્ટ-ર021 પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઈઝમાં હાથ ધરાઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ કામોમાં ફેઈઝ-1નાં કામો જે અંદાજે રૂ. 23 કરોડનાં ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ફેઈઝ-2નાં કુલ 32 કરોડનાં ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

4. નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નવલખી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખી સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે. આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને ઈછણ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં 100 મીટર લંબાઈ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઈઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ. 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.

5. સબસિડીવાળા યુરિયા ખાતર કરતાં 10% ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ ઉપલબ્ધ કરાવાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નક્કી કર્યું છે કે, ખેડૂતોના હિતમાં તેમની ભૂમિ-જમીનનું સંતુલન જળવાઈ રહે અને સબસિડીવાળા યુરિયા કરતાં પણ 10% ઓછા ભાવે નેનો યુરિયા-લિકિવિડ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈફકો-કલોલ યુનિટ દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર-લિકિવિડના જથ્થાને આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઈફકો ક્લોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા વિશ્વમાં સૌપ્રથમ નેનો યુરિયા-લિકિવિડ વિકસાવવાની નવતર પહેલ કરી છે.

- Advertisement -

6. ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્ર દરિયા કિનારાના ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લાખો નાગરિકો અને ગામોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી આ યોજના મંજૂર કરી છે. આ યોજનાના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 23 ગામોની અંદાજે 2110 હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રૂપ બનશે. આ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે ગીર-સોમનાથ જીલ્લામાં રૂ. 101.99 કરોડના ખર્ચે આદ્રી બંધારાથી મૂળ દ્રારકા બંધારા સુધીમાં સ્પ્રેડિંગ કેનાલ 40.50 કીમીમાં બનાવવામાં આવશે. ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઈવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા 81 જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે.

7. 21 જૂન 2021થી 18થી 44ની વયનાં લોકો માટે વોકઈન વૅક્સિનેશન
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અભૂતપૂર્વ નિર્ણય લીધો છે કે, ગુજરાતમાં 18થી 44ની વયજૂથનાં લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યનાં વેક્સિનેશન સેન્ટર પરથી વોકઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ જખજ દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારનું પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને જખજ મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. આ સાથે જ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોકઈન રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરનાં બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનનાં ડોઝની ઉપલબ્ધતાનાં આધારે વેક્સિનેશન કરવામાં આવશે.

8. 21મી જૂનથી રાજ્યવ્યાપી કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂન સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન ઉત્સવમાં ભાગ લેશે.

You Might Also Like

મનીષ બન્યો મોઈન ખાન

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે “મેયર ડેશબોર્ડ”નો શુભારંભ કરાયો.
Next Article ગોંડલ નગરપાલિકા દ્વારા સુરેશ્વર પાર્ક ખાતે ચાર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
મનીષ બન્યો મોઈન ખાન
યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મનીષ બન્યો મોઈન ખાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ગુજરાત

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?