રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે PM અને CMને પત્ર લખી માંગ કરાઈ
આજે કોરોનાનાં ‘ઝીરો’ કેસ : શહેરમાં 51% અને જિલ્લામાં 37% લોકોએ બંને ડોઝ લીધા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને સાવ તળિયે આવી ગઈ છે. આજે શહેર કોરોના મુક્ત બન્યું છે. બપોર સુધીમાં રાજકોટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ પત્ર લખી માસ્ક અને માંગણી કરતા લખ્યું હતું કે, દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત્ છે ત્યારે માસ્ક પહેરવાથી નાગરિકોને મુક્તિ આપી અને માસ્ક અંગેના દંડની જોગવાઈ રદ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.
- Advertisement -
સરેરાશ રાજકોટ શહેરમાં 51% અને જિલ્લામા 37% ફુલ્લી વેક્સીનેટેડ થયા છે. હાલ સુધીમાં શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 16,51,429 ડોઝ તેમજ જિલ્લામાં 1432959 ડોઝ સાથે કુલ ડોઝ 30,84,388 અપાયા હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળે છે.