By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    12 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    12 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Author

આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:01 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

અછૂત સમસ્યાથી લઈને સાથીઓના નામે અંતિમ પત્ર: પુસ્તકમાં ક્રાંતિવીરના દુર્લભ લેખોનો સંગ્રહ

27 સપ્ટેમ્બર, 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયેલા લખાણે ઈશ્ર્વરના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા

- Advertisement -

ભગતસિંહની શહિદીને એક સદી પૂરી થવાની છે. ત્યારે તેમનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’ આજે પણ ખૂબ વંચાય છે. મારે આજે તેના વિશે વાત કરવી છે. સ્વતંત્રતા સેનાની બાબા રણધીરસિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા, જેમને એ જાણીને ખૂબ દુ:ખ થયું કે, ભગતસિંહને ઈશ્વર પર વિશ્વાસ નથી. તેઓ કોઈ રીતે ભગતસિંહની કાલકોઠરીમાં પહોંચવામાં સફળ થયા અને એમને ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, “પ્રસિદ્ધિથી તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તમે અહંકારી બની ગયા છો, જે એક કાળા પરદાની જેમ તમારા અને ઈશ્વરની વચ્ચે ઊભી છે. આ ટિપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો. આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને આ 27 સપ્ટેમ્બર, 1931એ લાહોરના અખબાર ’ધ પીપલ’માં પ્રકાશિત થયો. આલેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલ ઊભા કર્યા છે અને આ સંસારના નિર્માણ, મનુષ્યના જન્મ, મનુષ્યના મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે-સાથે સંસારમાં મનુષ્યની દીનતા, એનું શોષણ, દુનિયામાં વ્યાપ્ત અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું છે. આ લેખ ભગતસિંહના લેખનના સૌથી ચર્ચિત હિસ્સાઓમાં રહ્યો છે.
આમ આ ભગતસિંહે લખેલો એક નિબંધ માત્ર છે. પણ આ નિબંધ ખૂબ જ ચર્ચીત બન્યો હતો. ’હું નાસ્તિક કેમ છું’ નિબંધ એમણે લાહોર સેન્ટ્રલ જેલમાં કારાવાસ દરમિયાન 1930માં લખ્યો હતો. આ નિબંધ એમના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી કાર્યોમાંથી એક છે. આ પુસ્તકમાં ભગતસિંહે ઈશ્વરના અસ્તિત્વ પર તાર્કિક રૂપથી પ્રશ્ન ઉઠાવ્યા છે. તેઓ ધર્મ, અંધવિશ્વાસ અને સામાજિક કુરીતિઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ભગતસિંહનું માનવું હતું કે, ઈશ્વરનો વિચાર શોષણ અને અન્યાયને સાચા ઠેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ એક ન્યાયપૂર્ણ અને સમાન સમાજના નિર્માણ પર વિશ્વાસ કરતા હતા, જ્યાં ઈશ્વરની અવધારણાની કોઈ જરૂર ન હતી. એને સરળ અને સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યો છે, જે એને સામાન્ય જનતા માટે સુલભ બનાવે છે. ભગતસિંહે પોતાની વાતોને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરવા માટે તર્ક, ઉદાહરણો અને ઉપમાઓનો પ્રયોગ કર્યો છે. એમનું લેખન ભાવુક અને પ્રેરક છે, જે વાચકોને પ્રેરિત કરે છે.
આ પુસ્તકમાં આ લેખ ઉપરાંત દેશમાં અછૂત સમસ્યા, સાંપ્રદાયિક તોફાનો અને એનો ઇલાજ, ભગતસિંહનો સુખદેવને નામે લખાયેલ પત્ર, બોમ્બકાંડ પર સેશન કોર્ટમાં નિવેદન, વિધ્યાર્થીઓના નામે પત્ર, સંપાદક- મોર્ડન રિવ્યુના નામે પત્ર, પિતાજીના નામે પત્ર, નાના ભાઇ કુલતારના નામે અંતિમ પત્ર, શહાદતથી પહેલા સાથીઓના નામે અંતિમ પત્ર અને છેવટે કોમના નામે સંદેશ. આમ તેમના બધા જ મહત્વના નિબંધનો સંગ્રહ છે આ પુસ્તક. જે ભગતસિંહની સમગ્ર વિચારશૈલીને સમજવામાં વાચકોને મદદ કરશે. માત્ર 125 પાનામાં ભગતસિંહની ખૂબ જ મહત્વની માહિતી આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. ’હું નાસ્તિક કેમ છું?’ ભગતસિંહના સાહિત્યિક અને ક્રાંતિકારી વારસાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ એક એવું પુસ્તક છે, જે વાચકોને વિચારવા, પ્રશ્નો પર વિચાર કરવા અને એક સારા સમાજની રચના માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક દરેક યુવાને વાચવું જોઇએ.

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય
Next Article ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?