By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    9 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!
AuthorParakh Bhattધર્મ

લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!

Khaskhabar Editor
Last updated: 2022/01/01 at 3:09 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

માનવામાં આવે છે કે સતીનાં આત્મવિલોપન બાદ તેમનાં દેહના ૫૧ ટુકડા ધરતીના અલગ-અલગ ભાગો પર પડ્યા, જ્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

આવી જ એક શક્તિપીઠ એટલે હિમાચલ પ્રદેશનું જ્વાળામુખી મંદિર! દેવી સતીની જીહ્વા અહીંયા પડી હતી, એવી માન્યતા છે. કાંગડાથી ૩૦ કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ‘નગરકોટ’ અથવા ‘જોતાવાલી માતા કા મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. તમામ શક્તિપીઠોમાં સૌથી વધુ મહત્વ ધરાવનાર જ્વાળામુખી મંદિરમાં કોઈ મૂર્તિની નહી, પરંતુ જ્યોતની પૂજા થાય છે. અહીં પૃથ્વીના નવ જુદા-જુદા સ્થાનમાંથી નીકળી રહેલી નવ જ્યોતિનું માહાત્મ્ય જગવિખ્યાત છે. ધરતીનાં ગર્ભમાંથી અખંડરૂપે વર્ષોથી પ્રગટી રહેલી જ્વાળાઓ આજસુધી ક્યારેય ઠંડી નથી પડી! મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજીદેવીનું પ્રતીક માનવામાં આવતી આ નવ જ્વાળાની ઉપર આખેઆખા મંદિરનું નિર્માણ થયું છે.

Contents
માનવામાં આવે છે કે સતીનાં આત્મવિલોપન બાદ તેમનાં દેહના ૫૧ ટુકડા ધરતીના અલગ-અલગ ભાગો પર પડ્યા, જ્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી.મૉડર્ન ધર્મ – પરખ ભટ્ટઅકબર અને ધ્યાનુભગતની કથા

જ્વાળામુખી મંદિર શોધી કાઢવાનો સમગ્ર શ્રેય પાંડવોને ફાળે જાય છે. આધુનિક સમયમાં રાજા ભૂમિચંદનાં હસ્તે મંદિરનું પ્રાથમિક નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૩૫માં મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદના સહિયારા પ્રયાસો વડે સમગ્ર બાંધકામને અંતિમ ઓપ અપાયો.

- Advertisement -

અકબર અને ધ્યાનુભગતની કથા

જે દિવસોમાં મુગલોએ ભારતભૂમિ પર શાસન જમાવ્યું હતું એ દિવસોની આ વાત છે! હિમાચલના નાદૌન ગામનો રહેવાસી અને માતાનો પરમ ભક્ત ધ્યાનુ ૧૦૦૦ શ્રધ્ધાળુઓ સાથે જ્વાળામુખી મંદિરનાં દર્શનાર્થે જઈ રહ્યો હતો. યાત્રિકોનો આવડો મોટો કાફિલો જોઈને મહારાજા અકબરનાં સૈનિકોએ ધ્યાનુભગતની પૂછતાછ કરી તેને રાજ-દરબારમાં પેશ કર્યો. બાદશાહ અકબરે ધ્યાનુભગતને પૂછ્યું કે આટલી સંખ્યામાં યાત્રાળુઓ કઈ જગ્યાએ પ્રસ્થાન કરી રહ્યા છે? બિચારા ગરીબ ધ્યાનુભગતે બાદશાહને બે હાથ જોડી પોતાની યાત્રાના પ્રયોજન વિશે સવિસ્તાર જણાવ્યું. અકબરે પહેલા ક્યારેય જ્વાલામાઈ (જ્વાલાદેવી)નું નામ નહોતું સાંભળ્યું, એટલે તેણે ધ્યાનુભગતને એમનો મહિમા પૂછ્યો. ભગતે કહ્યું કે જ્વાલામાઈ સંસારની પાલકમાતા છે. તેઓ સાચા હ્રદયથી કરવામાં આવેલી દરેક પ્રાર્થનાને સાંભળે છે. એમનો પ્રતાપ એટલો બધો છે કે એમના સ્થાન પર તેલ-બત્તી વગર રાત-દિવસ અખંડ જ્યોત પ્રગટે છે અને યાત્રાળુઓ પણ એમના જ દર્શને જઈ રહ્યા છે.

જ્વાળામુખી મંદિરની ગાથા સાંભળ્યા બાદ અકબરને કશું ગળે ન ઉતર્યુ, એટલે તેણે ધ્યાનુભગતની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. તેણે ભગતને કહ્યું કે અગર તેની ભક્તિમાં દમ છે તો જ્વાલામાઈ તેની ઈજ્જત સાચવી લેશે. આટલું કહ્યા બાદ બાદશાહનાં સૈનિકોએ ભગતનાં ઘોડાની ગરદન તલવારથી કાપી નાંખી! ધ્યાનુભગત ઘડીભર હેબતાઈ ગયો. બાદશાહે તેને ચુનૌતી આપી કે જો તારી માતામાં થોડી પણ સચ્ચાઈ હોય તો જા, જઈને તેને પ્રાર્થના કર કે આ ઘોડાને ફરી જીવિત કરી આપે! આમ ન થયું તો હું માની લઈશ કે તારી ભક્તિ જુઠ્ઠી છે અને તારી જ્વાલામાઈ પણ! ભગતને કોઈ ઉપાય ન જડતાં તેણે રાજા સમક્ષ એક મહિનાની મુદત માંગી. ઘોડાનાં ધડ અને માથાને સુરક્ષિત સ્થાન પર રાખી દઈ તેણે પોતાની યાત્રા આગળ વધારી. જ્વાલામાઈનાં દરબારમાં પહોંચી ધ્યાનુભગતે સ્નાન-પૂજન કર્યા બાદ આખી રાતનું જાગરણ કર્યુ. પ્રાતઃકાલની આરતી વેળા આંખોમાં ઝળઝળિયા સાથે તેણે બે હાથ જોડી માતાને પ્રાર્થના કરી, ‘હે મા! તમે તો અંતર્યામી છો. અકબર મારી ભક્તિની પરીક્ષા લઈ રહ્યો છે. મારી લાજ રાખી લે, માવડી! ઘોડાને જીવતદાન આપી મારી શ્રધ્ધાને સત્ય પૂરવાર કર.’

બીજી બાજુ, બાદશાહ અકબરનાં તબેલામાં સુરક્ષિત રાખેલા ઘોડાનું ધડ અને શિર જોડાઈ ગયા! થોડી ક્ષણો પહેલા મૃત-અવસ્થામાં પડેલો ઘોડો અચાનક હણહણવા માંડ્યો! બાદશાહ અકબર તો આ બધું જોઈને ચકિત થઈ ગયો. તાત્કાલિક પોતાની સેના સાથે તે જ્વાળામુખી મંદિર જવા રવાના થયો. ત્યાં પહોંચીને અખંડ જ્યોત જોઈ તેના મનમાં ફરી શંકાનો કીડો સળવળ્યો! આખા મંદિરમાં નહેર ખોદાવી, તેમાં પાણીની નદીઓ વહેવડાવી જેથી જ્યોત બુઝાઈ જાય! પરંતુ અખંડ જ્યોતને ઉની આંચ સુધ્ધાં ન આવી! ત્યારે છેક અકબરને માતાના ચમત્કાર પર ભરોસો બેઠો અને તેણે પચાસ કિલો સોનાનું છત્ર માતાના ચરણોમાં અર્પિત કર્યુ, પરંતુ લોકવાયકા એવી છે કે જ્વાળામુખી મંદિરે ક્યારેય એ છત્રને ન સ્વીકાર્યુ. બલ્કે, છત્ર જમીન પર પડીને અન્ય કોઈ ચીજ-વસ્તુમાં તબદિલ થઈ ગયા હોવાની પણ માન્યતા છે! આજે પણ તેના અવશેષો મંદિરમાં મોજૂદ છે.

- Advertisement -

જોકે, પૃથ્વીનાં ગર્ભમાંથી જ્વાળા નીકળવી એ કોઈ આશ્ચર્યજનક બાબત નથી! જમીનની નીચે થઈ રહેલી હિલચાલને લીધે વિશ્વનાં કંઈ-કેટલાય સ્થળો પર ગરમ પાણીનાં ઝરા અને જ્વાળા નીકળે છે. ઘણી જગ્યાઓ પર તો પાવર-હાઉસ પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત કરવામાં આવે છે. પરંતુ જ્વાળામુખી મંદિરની હકીકત આનાથી તદ્દન ભિન્ન છે, કારણકે અંગ્રેજોએ તેમનાં સમયમાં આ ઊર્જાનો સદુપયોગ કરવા માટે પોતાનું પૂરેપૂરું જોર લગાવી દીધું, આમ છતાં પુષ્કળ પ્રયાસ કર્યા પછી પણ તેઓ આ ઊર્જાનું મૂળ શોધવામાં નિષ્ફળ રહ્યા. અકબર પણ પોતાનાં ખરાવબ ઈરાદાઓમાં નિષ્ફળ ગયો. જમીનમાંથી જ્વાળા નીકળવાની ઘટના અગર પ્રાકૃતિક હોત તો અત્યારસુધીમાં ત્યાં કેટલાય મશીનરી પ્લાન્ટ ઊભા કરીને વીજળીનું ઉત્પાદન શરૂ કરી દેવાયુ હોત! બંને ઘટના એ હકીકત તરફ આંગળી ચીંધી રહી છે કે જ્વાળામુખી મંદિર પ્રકૃતિને નહી પરંતુ ચમત્કારને આધિન છે, જ્યાં કોઈક અજાણ્યી પરમશક્તિ માણસની મનોકામના પૂરી કરી રહી છે!

મંદિરનું મુખ્ય દ્વાર ખૂબ જ સુંદર અને ભવ્ય છે. અંદર પ્રવેશ કરતાંની સાથે જ જમણી બાજુ બાદશાહ અકબર દ્વારા ખોદાયેલી નહેરો જોવા મળે છે. એનાથી આગળ જતાં ગર્ભગૃહમાં માતા જ્વાલામાઈ જ્યોત સ્વરૂપે બિરાજે છે. થોડું ઉપર જતાં આગળ ગોરખનાથનું મંદિર છે, જેને લોકો ‘ગોરખ ડિબ્બી’નાં નામે ઓળખે છે. માન્યતા છે કે ગુરૂ ગોરખનાથે અહીંયા પધરામણી કરીને પોતાના અનેક ભક્તો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા હતાં! આજે પણ ત્યાં એક પાણીનો કુંડ છે, જેનું પાણી ઉકળી રહ્યું હોય તેવો ભાસ થાય છે પરંતુ વાસ્તવમાં તે ઠંડુબોળ છે! જ્વાલાજીથી ૪.૫ કિલોમીટરનાં અંતરે નગિની માતાનું મંદિર છે, જ્યાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્વાલામુખી મંદિરની ટોચ પર સોનાનો વરખ ચડાવવામાં આવ્યો છે, જેના લીધે સવારનાં સમયે મંદિર અત્યંત તેજોમય અને દિવ્ય ભાસે છે!

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રદ્ધા આર્યા, કરિશ્મા તન્ના, અર્જુન બિજલાનીથી લઇ અનેક ટીવી સેલેબ્સે નવું વર્ષ આ રીતે ઉજવી રહ્યા છે
Next Article વસ્તુઓનો નહીં, તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરો…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?