By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    16 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    18 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    16 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    16 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    16 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    16 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    18 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AIIMS નિર્માણના 6 વર્ષ થાય છતાં પૂરતી આરોગ્ય સુવિધા નહીં, અઢી વર્ષે પણ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > AIIMS નિર્માણના 6 વર્ષ થાય છતાં પૂરતી આરોગ્ય સુવિધા નહીં, અઢી વર્ષે પણ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી
રાજકોટ

AIIMS નિર્માણના 6 વર્ષ થાય છતાં પૂરતી આરોગ્ય સુવિધા નહીં, અઢી વર્ષે પણ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી

Khaskhabar Editor
Last updated: 2026/01/10 at 4:19 PM
Khaskhabar Editor 5 months ago
Share
7 Min Read
SHARE

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેકટર મારફત ઙખને રજૂઆત કરી

રાજકોટથી અમદાવાદ, પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ ઝડપી પૂર્ણ કરવા માંગ

- Advertisement -

રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની વર્ષોથી થતી વાતો હજુ સુધી સાકાર થઈ નથી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે રાજ્યમાં એક માત્ર રાજકોટમાં કાર્યરત અઈંઈંખજ હોસ્પિટલના નિર્માણને 6 વર્ષ થઈ ગયા બાદ પણ સુપર સ્પેશિયાલિટી સારવાર, હાડકાના ઓપરેશન માટે ઇમ્પ્લાન્ટ અને નર્સિંગ કોલેજ સહિતની સુવિધાઓ શરૂ થઈ શકી નથી. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ ઝડપી પૂર્ણ કરવામાં આવે, રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલોપ કરવામાં આવે એવી માગ કરી હતી તો બામણબોરથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી ખનીજચોરી રોકવામાં આવે અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે મુસાફરોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એવી સુવિધા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેકટ એવી અઈંઈંખજ હોસ્પિટલનો પ્રોજેકટ આજે પણ પૂર્ણ કક્ષાએ સાકાર થઈ શક્યો નથી. અઈંઈંખજ હોસ્પિટલના બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનનુ કામ ખુબજ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. હજુ સુધી બીલ્ડીંગ-એ અને બીલ્ડીંગ-બી બની શકી છે. બીલ્ડીંગ-સી અને બીલ્ડીંગ-ડી અઈંઈંખજના સ્ટાફ કવાર્ટસ કયારે બનશે તેની કોઈ સમય મર્યાદા નથી. જે નક્કી કરવુ ખુબજ જરૂરી છે. પ્રધાનમંત્રીએ 2020માં આ પ્રોજેકટને ખુલ્લો મુક્યો હતો, જેને આજ 6 વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં હજુ પણ અઈંઈંખજ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ચાલુ થઈ શકી નથી એટલે કે ત્યાં ન્યુરોસર્જન, કીડની અને કેન્સર સહિતની અનેક સેવાઓ શરૂ થઈ શકી નથી જે ભારત સરકારના આરોગ્ય વિભાગની મોટી નિષ્ફળતા બતાવે છે. અહીં હાડકાના ઓપરેશનમાં વપરાતા ઈમ્પ્લાન્ટ દર્દીઓ પાસેથી બહારથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત નર્સિંગ કોલેજ 2023માં ચાલુ કરવાની હતી અને નર્સિંગ ટ્યુટરની ભરતીની જાહેરાત પણ બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. અત્યારે 2026 ચાલુ થયું છતાં નર્સીગ કોલેજ ચાલુ નથી અને નર્સિંગ ટયુટરની ભરતીઓ પણ થઈ નથી. આ ઉપરાંત અહીં કામ કરતી ક્ધસ્ટ્રકશન કંપની નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકી નથી અને અનેક બાંધકામો ક્ષતિગ્રસ્ત અને નબળા હોવાની ફરીયાદો ઉઠી છે. આમ છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શા માટે આ ક્ધસ્ટ્રકશન કામની એજન્સીને બ્લેક લીસ્ટેડ કરી તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી. તે સીધો જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલીત થાય છે.
રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ આવેલ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની નેમ સાથે રાજકોટથી 35 કિ.મી. દૂર હીરાસર ખાતે ખસેડવામાં આવ્યુ. જે એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા પહેલા ઉતાવળે લોકાર્પણ કરી ચાલુ કરી દેવામાં આવ્યાને આજે ચારથી પાંચ વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં હજુ સુધી રાજકોટને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટ મળી નથી અને ઈન્ટરનેશનલ કક્ષાનું કહી શકાય તેવી સુવિધાવાળુ એરપોર્ટ પણ મળ્યું નથી. રાજકોટ સીટીથી આ એરપોર્ટ જતા મુસાફરોને કુવાડવા પાસે ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે ત્યારે આ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ અને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની વર્ષોથી થતી વાતો હજુ સુધી સાકાર થઈ શકી નથી અને રાજકોટ રેલ્વે સ્ટેશન ખૂબજ ખરાબ તેમજ ખખડધજ હાલતમાં જોવા મળે છે ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશનને મેટ્રો સીટી કક્ષાનું આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે અને સાથે સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તેવી અમારી માંગણીઓ છે.

- Advertisement -

લાખો મુસાફરો, ઈન્ડસ્ટ્રીઝના હજારો મજૂરોને ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે !
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે નવીનીકરણ પ્રોજેકટ ખૂબજ ધીમી ગતીએ ચાલી રહ્યો છે. જેથી રાજકોટથી ગોડલ-જુનાગઢ- પોરબંદર- સોમનાથ તરફ જતાં લાખો મુસાફરો, વાહન ચાલકો – યાત્રાળુઓ -રાજકોટથી શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝના હજારો મજૂરો અને ઉદ્યોગપતિઓને ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રોડનાં પ્રોજેકટના કામ કરતી એજન્સી અને સરકારી કર્મચારીઓના મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પબ્લીક સલામતીમાં અને ટ્રાફીક સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. આ કામગીરીમાં વપરાતું મટીરીયલ ખૂબજ ખામીયુકત છે. રોડને પ્રોપર ડાયવર્ઝનો આપવામાં આવ્યા નથી જે ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગની અને બાબુશાહી કામગીરીનો ઉત્તમ ભ્રષ્ટ નમૂનો સાબીત થઈ રહ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી પણ નેશનલ હાઈવેના નોર્મ્સ મુજબ કરવામાં આવેલી નથી. આ રોડ ઉપર રાજકોટથી કુવાડવા અને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના રોડની કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. લીંમડી અને બગોદરા પાસે બનાવવામાં આવેલ ઓવર બ્રીજ અને નદી-નાળાના પૂલોની કામગીરી પણ ખૂબજ નબળી હોવાના કારણે રોડ બન્યાના થોડા દિવસોમાં જ રોડ તૂટી જાય છે. પુલ ઉપરના સ્લેબોમાં તિરાડો – ગાબડાઓ પડે છે જે પણ તપાસ કરી યોગ્ય પગલાઓ ભરવા જોઈએ. જેથી લોકોને ટ્રાફીક સમસ્યા અને અકસ્માતોથી બચાવવા યોગ્ય ઉકેલ લાવવા અમારી માંગણી છે.

બેફામ થતી ખનીજ ચોરી રોકવામાં રાજય સરકાર નિષ્ફળ
રાજકોટ જિલ્લાના બામણબોરથી લઈ સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી સરકારની ભ્રષ્ટ નીતિના કારણે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મીલી ભગતથી બે રોકટોક પણે કુદરતી ખનીજ સંપતિનું ખનન કરવામાં આવી રહ્યું છે. લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખનન માફીયાઓએ રાજકોટથી અમદાવાદ તરફ જતો પ્રતિબંધીત રેલ્વે ટ્રેક વિસ્તારના નીચેથી પણ ખોદકામ કર્યા હોવાનો અહેવાલ છે ત્યારે આ ખનીજ સંપતિની ચોરી અટકાવવા અમોએ અનેક વખત આધાર-પુરાવાઓ અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂ કરેલા હતા પરંતુ નીંભર તંત્ર દ્વારા કોઈ જ પગલાઓ ભરવામાં આવ્યા નથી. જે બાબતે પગલાઓ ભરવા અને કુદરતી સંપતિ લૂંટાતી બચાવવા અમારી માંગણી છે.

ઙખઘ પોર્ટલ પર રજૂઆત સબમીટ ન થતાં કલેક્ટરના માધ્યમથી પ્રજાના પ્રશ્ર્નો પહોંચાડ્યા : ગાયત્રીબા વાઘેલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરની જનતાને પાયાની સુવિધાઓ મુદ્દે પ્રધાનમંત્રીની 11 જાન્યુઆરીની રાજકોટ મુલાકાત વખતે સમય ફાળવવા માટે કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરી હતી. તેમજ પ્રધાનમંત્રીના પીએમઓ ઓનલાઇન પોર્ટલ પર કોમ્યુનિકેશન કરવાનો અને મુલાકાત માટેનો સમય માંગવા પ્રયત્ન કર્યો પરંતુ રજૂઆત સબમીટ થઇ શકતી નથી. જે કદાચ ટેક્નીકલ ક્ષતિ હોય શકે ત્યારે કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી સુધી પ્રજાના પ્રશ્નો પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આ પ્રશ્ર્નો પ્રધાનમંત્રીના ધ્યાને મુકી યોગ્ય નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી છે.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાનકડી બાળકી માટે પોલીસ માતા-પિતા બની, ‘હસ્તી’ નામ રાખીને હરખભેર અપનાવી લીધી
Next Article 30 દેશના જ્વેલર્સ પહેલીવાર રાજકોટ આવશે, 18 ફેક્ટરીએ જઇ ડિઝાઈન-હેન્ડ જવેલરી નિહાળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?