By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    20 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    20 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    20 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    20 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    20 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    21 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’
રાજકોટ

રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા’

Khaskhabar Editor
Last updated: 2025/09/10 at 5:04 PM
Khaskhabar Editor 9 months ago
Share
4 Min Read
SHARE

જળસંચય માટે સતત કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન

15, 16 અને 17 ડિસેમ્બર રેસકોર્સ મેદાનમાં રાત્રે 8થી 12 કથા યોજાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ભગીરથ કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના વિશ્વપ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસ ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ દિવસ જલકથા કરશે. ખાસ કરીને, શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા કુમાર વિશ્ર્વાસ ફક્ત એક કવિ નથી, પણ ખરા અર્થમાં એક તત્વચિંતક પણ છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે વિખ્યાત છે. પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મુકતા ડો. કુમાર વિશ્ર્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ, રામાયણ, શ્રીકૃષ્ણ, મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે. 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન તેઓ “જલકથા : અપને અપને શ્યામ કી” વિષય પર કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે. આજની નવી જનરેશનને નવા વિચારો આપવા માટે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વ્યાસપીઠ પર કુમાર વિશ્ર્વાસની પસંદગી કરવામાં આવી છે. કથા અંતર્ગત ડો. કુમાર વિશ્ર્વાસ શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્વને પણ વણી લેશે. સૌરાષ્ટ્રની મોટામાં મોટી જરૂરિયાત પાણીની છે ત્યારે જળસંચય માટે ચેક ડેમો ઊંડા ઉતારવા, રીપેર કરવા, ઊંચા કરવા, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, ટ્રસ્ટી મંડળ અને સંસ્થાની કોર ટીમ તેમજ સંસ્થા સાથે તન,મન,ધનથી જોડાયેલા સૌ કોઈના પ્રયત્નોથી જળસંચયને લગતા લગભગ 9,000 સ્ટ્રકચરો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્યને અનેકગણો વેગ મળે તેમજ જળસંચયના આ ભગીરથ કાર્ય દ્વારા સૌરાષ્ટ્ર હરીયાળુ બને અને તે માટે સમાજ શ્રેષ્ઠિઓ અનુદાન માટે આગળ આવે તે હેતુથી આ ’જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ કથામાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા અને ગીરગંગા પરિવારના માર્ગદર્શક તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ ગત મંગળવારે દિલ્હી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષતામાં કવિ-તત્વચિંતક કુમાર વિશ્ર્વાસ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ગીરગંગાની જળસંચય માટેની પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક માહિતી મેળવ્યા બાદ કુમાર વિશ્ર્વાસે રાજકોટમાં ત્રણ દિવસની જલકથા કરવા સહમતી આપી હતી.

અદભુત અને અવિસ્મરણીય બની રહેનાર આ જલકથા-શ્યામ કથાના આયોજનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ ઊંડો રસ લઈ તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગીરગંગા ટ્રસ્ટની કુમાર વિશ્ર્વાસ સાથેની બેઠક પણ તેમના માધ્યમથી અને તેમની ઉપસ્થિતિમાં જ મળી હતી. સાહિત્ય જગત અને નવા વિચારો માટે ઉત્સુક નવી પેઢી જેમના તરફ વિશ્ર્વાસથી જોઈ રહી છે તેવા ડો. કુમાર વિશ્ર્વાસની કથા માટે ગીરગંગા પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કથા પૂર્વે આજથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ અંગે ટ્રસ્ટના આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકરોની પ્રથમ બેઠક તાજેતરમાં નવા રીંગ રોડ સ્થિત મુરલીધર ફાર્મ પર મળી હતી. જેમાં કથાને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી તેમજ વ્યવસ્થાના ભાગરૂપે જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર જલકથાને રાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાના, માર્ગદર્શન હેઠળ કોર કમિટીના સભ્યો સર્વ દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, ડો. દેવાંગીબેન મૈયડ, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, સતીશભાઈ બેરા, યશવંતભાઈ ગોસ્વામી, ભરતભાઈ ટીલવા, સુરેશભાઈ દેસાઈ, ગિરીશભાઈ દેવડીયા, કૌશિકભાઇ સરધારા, ગોપાલભાઈ બાલધા, ભાવેશભાઈ સખીયા, મનીષભાઈ માયાણી, અમિતભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, કૌશલભાઈ ખોયાણી વગેરે કાર્યરત છે.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા
Next Article મનપાના જન્મ-મરણ વિભાગના દાખલા માટે લાંબી લાઈનો ડેટા ટ્રાન્સફર પ્રક્રિયાને લઈ સર્જાઈ મુશ્કેલી, અરજદારોને હાલાકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?