માણાવદર વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવારો મેદાનમાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પર ખેંચવાના દિવસે જૂનાગઢ બેઠક પર સત્યવાદી રક્ષક પાર્ટીના અને ત્રણ અપક્ષ મળી કુલ ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતુ. હવે ભાજપ, કોંગ્રેસ, બસપા, લોગપાર્ટી અને રાઇટ ટુ રિકોલ તેમજ છ અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ થશે. અપક્ષ ઉમેદવારોને પ્રતિક ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. ઇવીએમના બેલેટ યુનિટમાં ફિટ કરવાના બેલોટ પેપર્સ તેમજ સર્વિસ વોટર્સ જેવી કેટેગરીના મતદારો માટેના મતપત્રકો સરકારી પ્રેસમાં છતાવવા માટે તત્કાલ અધિકારી રવાના થયા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પર 15 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા.
ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો બપોર સુધીમાં સત્યવાદી રક્ષક પાર્ટીના જેસિંગભાઇ શામજીભાઇ રાઠોડ, અપક્ષ ઉમેદવાર હરેશભાઇ મનુભાઇ સરધારા, ગનીભાઇ તવાણી અને નારણભાઇ સોલંકીએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યુ હતુ. હવે છ અપક્ષ તેમજ રાજકીય પક્ષના પાંચ મળી 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. બપોરે ફોર્મ પરત ખેંચાયા બાદ ઉમેદવારીનુ ચિત્ર સ્પષ્ટ થઇ જતા ચૂંટણી તંત્રએ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી પણ કરી દીધી હતી. આગામી ટુંક સમયમાં બેલેટ પેપરથી મતદાની પ્રક્રિયા શરૂ થશે. માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા કોઇ ફોર્મ પરત ખેચાયુ ન હતુ હવે વિધાનસભા પેટાચૂંટણીમાંભાજપના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી, કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરા, અપક્ષ ઉમેદવાર મહેશભાઇ પરમાર અને ઉમેદભાઇ સોલંકી વચ્ચે ચૂંટણી થશે.