જૂનાગઢથી ગાંધીનગર સુધી ફરિયાદ છતાં તપાસના નામે નક્કર કામગીરી નહીં
શહેરમાં થયેલી તારાજી બાદ માત્ર સર્વે અને તપાસ: કોણ કોને છાવરી રહ્યું છે, લોકોમાંથી ઉઠતા સવાલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં એક મહિના પેહલા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાણીના પ્રચંડ પ્રવાહથી અનેક સોસાયટી અને ઘરોમાં પાણી ઘુસી જતા શહેરીજનીએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે શહેરના સામાજિક આગેવાનોએ તારાજીનો સમગ્ર ચિતાર મેળવી જૂનાગઢથી લઈને ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયથી તપાસના આદેશ થતા ત્યાર બાદ સર્વે શરુ થયો હતો આજે એક મહિના જેટલો સમય વીતવા આવ્યો છતાં કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી બસ માત્ર તપાસ અને સર્વેના નામે ડીંડવાણુ ચાલી રહ્યું છે ત્યારે તંત્ર કોને છાવરી રહ્યું છે અને કોની લાજ કાઢી રહ્યું છે તેવા પ્રશ્ર્નો સામાજિક આગેવાનો માંથી ઉઠી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં તારાજી થઇ તે પેહલા પણ અનેક જાગૃત નાગરિકો દ્વારા વોંકળા પરના દબાણ મુદ્દે હાઇકોર્ટના દ્વાર ખખડાવીને દબાણો દૂર કરવાની માંગણી કરી છે.
જૂનાગઢ શહેરમાં અનેક જગ્યા એ વોંકળા પર ગેરકાયદેસર મસ મોટા બિલ્ડીંગો ઉભા થયા તે મુદ્દે મનપા કમિશનર થી લઈને હાઇકોર્ટ સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અનેકવાર રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોંકળા પરના દબાણો મુદ્દે સર્વે કરીને 99 જેટલા મિલકત ધરોને નોટિસ આપી ચુકી છે અને તે નોટિસ આપ્યાને સમય પણ વીતી ચુક્યો છે છતાં કોઈ મિલકત ધારકે જવાબ રજુ કર્યા નથી ત્યારે મનપા વર્ષોથી માત્ર નોટિસ આપીને સંતોષ માની લેછે એવુજ જર્જરિત ઇમારતોમાં વર્ષોથી જર્જરિત ઈમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ માનતી હતી જયારે શહેરમાં તારાજી બાદ દાતાર રોડ પર એક ઇમારત ધરાશાય થતા જેમાં ચાર લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી એ પછી મનપાની આંખો ઉઘડતા ધંધે લાગ્યા હતા અને શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો ઉતારવાની કામગીરી શરુ કરી હતી.
- Advertisement -
જૂનાગઢમાં ગેરકાયદે દબાણ મંજૂરી આપનાર સામે કાર્યવાહી ક્યારે ?
જૂનાગઢ શહેરમાં વર્ષોથી કુદરતી પાણીના વહેણના વોંકળા પર ગેરકાયદેસર મિલકતોને મંજૂરી અપાય છે ત્યારે હજુ સુધી એક પણ અધિકારી સામે સરકાર દ્વારા લાલ આંખ કરી નથી કે કડક એક્શન લેવમાં આવ્યા નથી કોણ છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે વોંકળા પાસેની જમીનમાં પેપર વર્ક માં ગોટાળા કરીને લેન્ડ રેકર્ડ સાથે ચેડા કરવામાં આવી રહ્યા નું જગ જાહેર છે અને વોંકળા થી 9 મીટર જગ્યા છોડીને બાંધકામની મજૂરી આપવાની હોય છે તેના બદલે વોંકળા દબાવીને મંજૂરી આપનાર સામે ક્યારે સરકાર દંડો ઉગામવાની સાથે કડક પગલાં ક્યારે ભરશે તે જોવાનું રહ્યું હાલતો માત્ર તપાસ અને સર્વે કરીને સંતોષ માની લેવાયો છે.