તા.29મીએ આટકોટમાં વડાપ્રધાનનાં હસ્તે પટેલ સેવા સમાજ સંચાલિત હોસ્પિટલના લોકાર્પણની તડામાર તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
જસદણના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિરટલનું કામ હવે પૂર્ણ થવાના આરે છે.
જસદણ વિંછીયા તેમજ આજુબાજુના પંથકના લોકો માટે આશિર્વાદરૂપ આ હોસ્પિીટલમાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની ખૂબ જ મહેનતથી અત્ય આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિરટલ શરૂ થવા જઈ રહી છે. જેના લોકાર્પણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહેવાના હોય આ પંથકમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.29ના રોજ જસદણ તાલુકાના આટકોટ ખાતે નવનિર્માણ પામેલ કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે.તેમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને કેડી પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો ભરતભાઇ બોઘરા એ જણાવ્યું હતુ. ભૂમિના મુખ્ય દાતા મૂળ આટકોટ ગામના અને હાલ સુરત રહેતા સાકરબેન રણછોડભાઈ પટેલ અને તેમના પુત્ર ડાહ્યાભાઈ પટેલ પરિવાર દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે રોડ ટચ નવ વિઘા જમીન દાનમાં આપી હતી. જસદણના આટકોટમાં આકાર લઈ ચૂકેલ 200 બેડની હોસ્પિનટલનું આગામી તા.29મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.
આ હોસ્પિટલના લોકાર્પણ અને ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યનમંત્રી ભૂપેન્દ્રનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અનેક પ્રધાનો, સંસદો ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સમાજ સેવકો અને દાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ હોસ્પિટલના નિર્માણમાં અંદાજે રૂ.50 કરોડનો
ખર્ચ થશે.
આજદિન સુધી જસદણ-વિંછીયા વિસ્તારના લોકોને શારીરીક બીમારી વખતે સારવાર માટે બહારગામ જવું પડતું હોય. વર્ષોથી મારૂ એક સપનું હતું કે આ પંથકનાં સામાન્ય પરીવારના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ બનાવવી. જે મારો સંકલ્પ અને સપનું હતું તે હવે પુરૂ થવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોઈને કયાંય સારવાર માટે જવું નહી પડે. હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ જાતની અગવડતા ન પડેતે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નિયમો મુજબ બાંધકામ અને બીજી તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ ડો.બોધરાએ જણાવ્યું છે.