દેશમાં કોરોનાના નવા કેસ એક વાર ફરીથી વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2879 નવા દર્દી મળ્યા છે જ્યારે 54 દર્દીઓના સંક્રમણથી મોત થઈ ગયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2986 છે. વળી, સક્રિય કેસની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો આવ્યો છે. દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા 19494 છે જે મંગળવારે 19637 હતી.
તમને જણાવી દઈએ કે મંગળવારની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. મંગળવારે કોરોનાના નવા કેસ 2288 હતા. વળી, 10 દર્દીઓના સંક્રમણના કારણે મોત થઈ ગયા. દેશમાં આજનો પોઝિટિવિટી રેટ 0.61 ટકા છે. આ મંગળવારે 0.95 હતો. દેશમાં હે કોરોનાથી થયેલ કુલ મોતની સંખ્યા 524157 થઈ ગઈ છે. વળી, કુલ દર્દીઓની સંખ્યા 43,110,586 થઈ ગઈ છે.