ભારત દેશના પ્રહારથી ના-પાક ફફડયું, ગઢથી સોમનાથ સુધી ખુશીનો માહોલ
દેશના જવાનોએ જે રીતે શોર્ય બતાવ્યું તેના માટે ઠેર ઠેર પ્રાર્થના
- Advertisement -
પહેલગામ આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જમું કાશ્મીરના પહેલગામની ઘાટીમાં ના-પાક ઈરાદા સાથે આતંકી હુમલો કરીને નિર્દોષ પર્યટકોને મોત ઘાટ ઉતારનાર આતંકિસ્તાનને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંદૂર નામ આપીને દેશના વીર જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને એલઓસી પર આતંકી અડાઓને નેસ્તનાબૂદ કરી નાખતા ના-પાક ધ્રુજી ઉઠ્યું છે. જયારે તેનો વળતો જવાબ ગત રાત્રીના પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાને ત્રણેય સેનાએ જડબાતોડ જવાબ આપીને હુમલાને નાકામ કર્યો હતો આ ભારત દેશના પ્રહારથી ના-પાક ફફડી ઉઠ્યું છે. દેશના ત્રણેય સેનાએ જે રીતે જવાબ આપતા જૂનાગઢના ગઢ થી સોમનાથ સુધી ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને દેશના વીર સપૂતો માટે પ્રાર્થના કરી છે. છાસવારે પાકિસ્તાન જૂનાગઢને પોતાનો હિસ્સો ગણાવતું આવ્યું છે. ક્યારે પાકિસ્તાનના નકશામાં જૂનાગઢ તેનું છે તેવા વિકિપીડિયામાં દર્શાવતો નકશો બતાવી વિવાદ છેડયા કરે છે તો કયાકેર પાક નેતાઓ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ છે તેવા નિવેદનો કરીને વિવાદનો મધપૂડો છનછેડીને નાપાક હરકતો કરી છે ત્યારે પેહલાગામ હુમલા બાદ ભારતે જે રીતે ઓપરેશન સિંદૂર 2.0થી પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે અને દેશના સેન્ય દ્વારા ઘરમાં ઘૂસીને બદલો લેતા આજે જે પાકિસ્તાન જૂનાગઢને પોતાના હિસ્સો માનનાર પાકિસ્તાનને આજે તેને બચવાના ફાંફા પડી ગયા છે અને બેકફૂટ પર આવી ગયું અને વિશ્વના અનેક દેશોએ ભારતને સમર્થન કરતા પાકિસ્તાન આતંકીનો અડ્ડો છે તેમાં ખુલ્લું પડી ગયું છે.
- Advertisement -
દેશની ત્રણેય સેનાના વીર જવાનોએ જેરીતે જમું કાશ્મીરના પહેલગામ ઘાટીના થયેલા આતંકી હુમલાનો જવાબ આપ્યો તેના માટે વીર જવાનો માટે મંદિરોમાં સાધુ – સંતો સહીત પ્રત્યેક નાગરિક ઠેર ઠેર પ્રાર્થના કરી રહ્યા છે. અને દેશની આન બાન અને શાનને વીર જવાનોએ દેશનું મસ્તક ઊંચું કર્યું છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના વીર સપૂતોને બિરદાવી રહ્યા છે. એવા સમયે દેશના જવાનોનું મનોબળ વધારવા પ્રત્યેક વ્યક્તિ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને હજુ ના-પાકને ધૂળ ચાટતું કરે જેનાથી કોઈ દિવસ આતંકી પ્રવૃત્તિ કરવાની ખો ભૂલી જાય જયારે જે રીતે જૂનાગઢ અને જમું કાશ્મીર પોતાનો હિસ્સો ગણાવનાર ના-પાક આજે ધૂળ ચાટતું થયું છે અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે તેને પોતાના દેશ નથી સાંભળી શકતા તે છાસવારે જૂનાગઢ અમારું છે તેના એ સપનાને લશ્કરની ત્રણેય સેનાની કડક કાર્યવાહીથી ફફડી ઉઠ્યું છે.