ખાસ-ખબર સંવાદદાતા
અગાઉ ઉદ્યોગકારોએ બાઈક રેલી કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગે કામ ચલાઉ પેચવર્ક કર્યું જે બે જ વરસાદમાં ધોવાઈ ગયું હતું. ફોરલેન કામગીરીની તમામ મંજૂરી મળી ગઈ હોય અને આગામી દિવસોમાં રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવા રાજયમંત્રીના દાવા વચ્ચે ગઈકાલે ગાંધી જ્યંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ જયંતિ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમથી અણીયારી ચોકડી સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બિસ્માર રસ્તા મામલે સરકાર જાહેરાતો કરવાને બદલે કામ કરે તેવી માંગ કરી હતી.