Dy.SP સહિત 600 પોલીસ જવાન બંદોબસ્તમાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જિલ્લામાં અષાઢી બીજની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભેંસાણનાં પરબધામ, જૂનાગઢનાં મજેવડીમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવનાર છે. પરબનાં મેળાને લઇ પોલીસ બંદોબસ્ત ઉઠવી દેવામાં આવ્યો છે. કોરોના કાળ બાદ ધાર્મીક મહોત્સવ ઉજવાઇ રહ્યાં હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભેસાણ તાલુકાનાં પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાનાર છે.ત્યારે અહીં આવતા ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતાના પડે તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં 01 ડીવાયએસપી, 03 પીઆઈ, 10 પીએસઆઈ, 258 પોલીસ, 207 જીઆરડી, 100 હોમ ગાર્ડ, એક પ્લાટૂન એસઆરપી સહિત 600 પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મેળામાં ખિસ્સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડી સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે. સમગ્ર બંદોબસ્તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્ડ બંદોબસ્ત એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. બહારથી આવતા ટ્રાફિકને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ દ્વારા તમામ રોડ ઉપર પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરેક રોડ ઉપર રાવટીઓ ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
પરબધામનાં મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ધંધાર્થીઓ મેળામાં આવતા હોય છે. સ્ટોલ નાખી વેપાર કરતા હોય છે.