CNGમાં સતત ભાવ વધારો થતા રિક્ષાચાલકોની માઠી બેઠી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઈગૠએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા ફરી એક વખત ઈગૠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં અંદાજે 6 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં અદાણી ઈગૠના ભાવ 86.02 રૂપિયાથી હવે 88.02 રૂપિયા પહોંચી ગયા છે. વધતા જતા ઈગૠમાં ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર જોવા મળી રહી છે. કારણ કે રિક્ષા ચાલકોએ છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કર્યો નથી જ્યારે બીજી તરફ ઈગૠ ના ભાવમાં સતત વધારો થતા હવે રિક્ષાચાલકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ફરી એક વખત ઈગૠના ભાવમાં વધારો થયો છે. ઈગૠના ભાવમાં સતત વધારો થતા વાહનચાલકોની સાથે ખાસ કરીને રિક્ષાચાલકોની ચિંતા વધી ગઈ છે. અદાણી ગેસ કંપની દ્વારા ઈગૠના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ અમદાવાદમાં ઈગૠ હવે 86.02થી વધીને 88.02 પ્રતિ કિલો થઈ ગયું છે. છેલ્લા બે મહિનાની અંદર અંદાજે 6 જેટલો વધારો થતા વાહનચાલકોના માસિક ખર્ચમાં સીધી અસર જોવા મળી રહી છે.
એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે ઈગૠ પણ મોંઘું બનતા મધ્યમવર્ગ અને રોજબરોજ વાહન ચલાવતા લોકો માટે ખર્ચનો બોજ વધ્યો છે. ખાસ કરીને રોજના 8થી 10 કલાક રસ્તા પર રહેતા રિક્ષાચાલકો માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કારણ કે ઈગૠના સતત વધતા ભાવ સામે સૌથી વધુ અસર ઓટોરિક્ષા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. અમદાવાદમાં હજારો રિક્ષાચાલકો રોજિંદી આવક પર નિર્ભર છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ઈગૠ, વાહન મેન્ટેનન્સ, ઈન્સ્યોરન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે સામાન્ય રિક્ષાચાલક માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. અગાઉ પણ ઈગૠના ભાવમાં વધારો થતા રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ભાવ ઘટાડવા અથવા ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી. જોકે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી ફરી એક વખત ભાવવધારો થતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ભાવ ઘટાડો નહીં કરવામાં આવે અથવા સરકાર દ્વારા ભાડામાં વધારો નહીં કરવામાં આવે તો આગામી પહેલી તારીખે ગાંધીનગર કૂચ કરવાની અને ચક્કાજામ કરવાની જિંદગી વિચારવામાં આવી છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, ઈગૠ ના ભાવમાં સતત વધારો થતા અમારી સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે બીજી તરફ ગેરકાયદેસર રીતે ટુ વ્હીલર ફરી રહી છે. છાશવારે ઈગૠ ના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં છ થી આઠ રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. રિક્ષા ચાલકોને એક દિવસમાં 4થી 5 કિલ્લો ઈગૠનો વપરાશ થતો હોય છે. જેથી એક રૂપિયો પણ ભાવ વધારો થતો હોય તો ખૂબ અસર થતી હોય છે. જેથી અમારી એક જ માંગણી છે કે ઈગૠ નો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે.
વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી કંપની દ્વારા ઈગૠ ના જે પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી છે. જો ભાવમાં ઘટાડો કરવામાં આવશે તો અમે ઓછા ભાડામાં મુસાફરોને બેસાડી શકીશું. મોંઘવારી પણ સતત વધી રહી છે. જેથી રીક્ષા ચાલકોનું ભાડું પણ વધવું જોઈએ તે અમારી માંગણી છે. જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામ કરીશું, ગાંધીનગર સુધી રિક્ષા લઈને કૂચ કરીશું તેમજ જરૂર પડશે તો હડતાળ પણ કરીશું.
એક રિક્ષા ચાલકએ જણાવ્યું હતું કે, સતત ભાવ વધારો થવાથી કેટલી મુશ્કેલી થઈ રહી છે તે અમે લોકો જ જાણીએ છીએ. અદાણી દ્વારા દર બે દિવસે ભાવ વધારો કરવામાં આવે છે. જો ભાવ ઘટાડો કરવામાં આવે તો જ અમારી શાંતિ થાય છે. અદાણી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ભાડાનું ઘર, રિક્ષાની ઊખઈં અને આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.



