By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નોન-ઈમિગ્રન્ટ વિઝાઓનું વર્ગીકરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નોન-ઈમિગ્રન્ટ વિઝાઓનું વર્ગીકરણ
Author

નોન-ઈમિગ્રન્ટ વિઝાઓનું વર્ગીકરણ

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અમેરીકન ડ્રીમ: ડો. સુધીર શાહ, ઍડ્વોકેટ

અમેરિકામાં બિઝનેસ કરવા માટે જતા વેપારીઓ માટે ‘ઈ-1’ અને અમેરિકા તેમ જ અન્ય દેશના કરારો અનુસાર અમેરિકામાં રોકાણકાર વેપારીઓ માટે ‘ઈ-2’ વિઝા ઘડવામાં આવ્યા છે

- Advertisement -

જેમ અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે તેમ જ જો ત્યાં કાયમ રહેવાનો ઈરાદો ન હોય, પણ ફરવા માટે, ધંધાના વિકાસ માટે, ભણવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે, આમ જુદાં જુદાં કારણોસર અમેરિકામાં ટૂંક સમય માટે જવું હોય તો નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા મેળવવાની જરૂર રહે છે. નોન-ઈમિગ્રન્ટ વિઝાઓની વ્યાખ્યા અને એ માટેની લાયકાતો ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ હેઠળ કલમ 101માં આપવામાં આવી છે. આ કલમ 101ની જે પેટા કલમમાં જે પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા દર્શાવવામાં આવ્યા હોય એ નોન-ઈમિગ્રન્ટ વિઝાની એ પેટા કલમ સંજ્ઞા બની જાય છે.

પરદેશી સરકારી પ્રધાનો, રાજદ્વારી અધિકારીઓ, એલચીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે જે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે એની વ્યાખ્યા કલમ 101(એ)(1)માં કરવામાં આવી છે. અન્ય સરકાર માન્ય અમલદારો અથવા વિદેશી સરકારના કર્મચારીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે નોન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા કલમ 101(એ)(2)માં કરવામાં આવી છે. આ ‘એ-1’ અને ‘એ-2’ વિઝાધારકોના અંગત કર્મચારીઓ, નોકરો અને નજીકના કુટુંબીજનો માટે કલમ 101(એ)(3)માં જે લાયકાતોની જરૂરિયાત હોય એ દર્શાવવામાં આવી છે.
ધંધાદારી મુલાકાતીઓ માટે આ કલમ 101ની પેટા કલમ ‘બી(1)’માં જે જે લાયકાતોની જરૂરિયાતો હોય એ દર્શાવવામાં આવી છે અને જેઓ અમેરિકામાં એ પર્યટક તરીકે, એક ટૂરિસ્ટ તરીકે ટૂંક સમય માટે પ્રવેશવા ઈચ્છતા હોય એ પર્યટક મુલાકાતીઓની લાયકાતો કલમ 101 ‘બી(2)’માં જણાવવામાં આવી છે. આ ‘બી-1’ અને ‘બી-2’ વિઝામાંથી કોઈ પણ એક પ્રકારના વિઝાના ઈચ્છુકો જ્યારે એમના દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં ‘બી-1’ યા ‘બી-2’ વિઝાની માગણી કરે છે ત્યારે એમને આ બન્ને પ્રકારના વિઝા એકસામટા આપવામાં આવે છે અને વિઝાનો અરજદાર ભવિષ્યમાં પાછો અમેરિકા જવા ઈચ્છે તો એણે ફરી પાછી વિઝાની અરજી કરવી ન પડે, કોન્સ્યુલેટમાં જાતે આવીને ઈન્ટરવ્યૂ આપવો ન પડે આ કારણસર આ ‘બી-1/બી-2’ વિઝા મોટા ભાગે હવેથી દસ વર્ષની મુદતના મલ્ટિ-એન્ટ્રી એટલે કે એકથી વધુ વખત એનાથી પ્રવેશી શકાય એવા આપવામાં આવે છે.

અમેરિકાથી વારંવાર આવતા-જતા વિદેશી પર્યટકો માટે ‘સી-1’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. દરિયાઈ અને હવાઈ માર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ, જેઓ જે સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય અને એમાં જ પાછા ફરવાના હોય એમના માટે ‘ડી-1’ વિઝા ઘડવામાં આવ્યા છે.

- Advertisement -

અમેરિકા અને અન્ય રાષ્ટ્ર વચ્ચેના કરારો અનુસાર અમેરિકામાં બિઝનેસ કરવા માટે જતા વેપારીઓ માટે ‘ઈ-1’ અને અમેરિકા તેમ જ અન્ય દેશના કરારો અનુસાર અમેરિકામાં રોકાણકાર વેપારીઓ માટે ‘ઈ-2’ વિઝા ઘડવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમયથી એવું જોવામાં આવ્યું છે કે યુરોપના નાના નાના દેશો જેમની જોડે જેમના વેપારીઓને ઉત્તેજન આપવા અમેરિકાએ એમના દેશ જોડે કરારો કર્યા છે અને એ દેશના નાગરિકોને અમેરિકામાં વેપાર કરવા ‘ઈ-1’ અથવા ‘ઈ-2’ વિઝા આપવામાં આવે છે એનો લાભ લઈને એ બધા નાના નાના દેશો ભારતીયોને ‘તમે અમારા દેશમાં અમુક નક્કી કરેલ ડોલરનું રોકાણ કરો અને અમે તમને અમારા દેશની સિટિઝનશિપ આપશું. તમે ભલે અમારા દેશમાં પગ પણ મૂક્યો ન હોય તો પણ તમને રોકાણ કરતાં અમારા દેશની સિટિઝનશિપ પ્રાપ્ત થશે અને જો તમે અમારા દેશના સિટિઝન બનશો એટલે તમે અમેરિકામાં બિઝનેસ કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝા મેળવી શકશો.’ આવી આવી લોભામણી જાહેરાતો કરે છે. જે કોઈ પણ ભારતીય આ ‘ઈ-1’, ‘ઈ-2’ વિઝા મેળવવાની લહાયમાં યુરોપના જે તે નાના દેશમાં રોકાણ કરીને એ દેશમાં ગયા સિવાય એ દેશની સિટિઝનશિપ પ્રાપ્ત કરે છે અને પછી એ દેશના સિટિઝન તરીકે અમેરિકામાં વેપાર કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની માગણી કરે છે તેઓ ભારતની સિટિઝનશિપ આપોઆપ ખોઈ બેસે છે અને મોટા ભાગે અમેરિકા આવા ભારતીયો, જેમણે યુરોપના એ દેશોની ત્યાં રહ્યા સિવાય, ત્યાં વેપાર કર્યા સિવાય સિટિઝનશિપ મેળવી હોય અને પછી અમેરિકામાં વેપાર કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની માગણી કરતા હોય એમની માગણી સ્વીકારતા નથી. એટલે જે કારણસર એમણે યુરોપના એ દેશોમાં રોકાણ કર્યું હોય એ કારણ ફળીભૂત થતું નથી. આટલું જ નહીં, એમણે એ દેશનું નાગરિકત્વ મેળવવા માટે જે રોકાણ કર્યું હોય છે એ ઓછામાં ઓછું અમુક નક્કી કરેલા વર્ષો સુધી પાછું લઈ નથી શકતા. મોટા ભાગે રોકાણ એ દેશમાં બંધાતા નવા મકાનોના અપાર્ટમેન્ટોમાં કરવામાં આવતું હોય છે. અને થોડાં વર્ષો પછી રોકાણની રકમ પાછી મેળવવા માટે ભારતીય રોકાણકારો જ્યારે એમણે જે અપાર્ટમેન્ટ યા પોપર્ટીમાં રોકાણ કર્યું હોય એ જ્યારે વેચવા જાય છે ત્યારે એમને કોઈ કોઈ ખરીદદાર મળતો નથી. અને જો મળે તો એ ભારતીય રોકાણકારે જે રોકાણ કર્યું હોય એનાથી અડધી યા ખૂબ જ ઓછી કિંમત ઓફર કરે છે. ભારતીયોએ ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની લાલચમાં આ મુજબનું યુરોપના એ નાના નાના, ખૂબ ઓછી વસતિ ધરાવતા, પછાત કહી શકાય એવા દેશમાં ‘ઈ-1’, ‘ઈ-2’ની લાલચે રોકાણ કરવું ન જોઈએ. ભારતીયો અમેરિકાએ ઘડેલ આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-1’ વિઝા પ્રાપ્ત કરીને અમેરિકામાં સાત યા પાંચ વર્ષ રહીને ત્યાં બિઝનેસ કરી શકે છે.

આને લગતી વધુ વિગતો હવે પછીના લેખોમાં આપવામાં આવશે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: Non-Immigrant Visas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિગ્ગજ અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયાને મુંબઈના તેજપાલ ઓડિટોરિયમનો કડવો અનુભવ
Next Article શેરબજારની શાનદાર શરૂઆત: સેન્સેક્સમાં 545 પોઇટનો વધારો, નિફ્ટીમાં પણ 102 પોઈન્ટનો ઉછાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?