ઓડિશા રેલ દુર્ઘટનાનાં મામલામાં CBIએ FIR નોંધી છે અને ઘટનાસ્થળ પર પટરી અને સિગ્નલરૂમનું નિરીક્ષણ પણ કર્યું છે.
- Advertisement -
ઓડિશાનાં બાલાસોર જિલ્લામાં થયેલ ટ્રેન એક્સિડેંટની તપાસ હવે CBIનાં હાથમાં સોંપવામાં આવી છે. મંગળવાર એટલે કે 6 જૂનનાં રોજ CBIએ આ મામલામાં FIR નોંધી છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટનાસ્થળ પર તપાસ કરી છે. તેમણે કહ્યું કે CBIએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારનાં આદેશોનાં આધારે કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડી સંબંધિત ટ્રેન દુર્ઘટનાનાં મામલામાં કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 278 લોકોનું મૃત્યુ થયું છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.
CBIની તપાસ શરૂ
CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પટરીઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ બાહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે અધિકારી સાથે પૂછપરછ પણ કરી. CBI અધિકારીઓની સાથે ફોરેંસિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેંસિક ટીમે પણ સિગ્નલ રૂમનાં કર્મચારીઓ સાથે વાતચીત કરી અને ઉપકરણોનાં ઉપયોગ અને તેમનાં કામ કરવાની રીત અંગે માહિતી મેળવી.
CBI registers FIR in Coromandel Express train accident in Odisha, team visits site
- Advertisement -
Read @ANI Story | https://t.co/g4NHDjuSFk#CBI #Odisha #CoromondalExpress #OdishaTrainAccident pic.twitter.com/alVaztzy2E
— ANI Digital (@ani_digital) June 6, 2023
હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.