ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી જે લાભાર્થીઓને 15મો હપ્તો મળ્યો ન હોય તેવા લાભાર્થીઓને 15મો હપ્તો અને આગામી 16 મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે. સરકાર દ્વારા તા. 12 થી 21 ફેબ્રુઆરી 2024 સુધી કોમન સર્વિસ સેન્ટર (ઈજઈ) મારફતે રાષ્ટ્રવ્યાપી યઊંઢઈ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેનું ઈ-કેવાયસી બાકી છે. તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર (ઈજઈ) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.