જગ્યા રોકાણ શાખા દ્વારા ગુંદાવાડી વિસ્તારમાં નાના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવતા આજે રોજ વેપારીઓ કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જયમીન ઠાકર ને રજુઆત કરતા જણાવ્યું કે, બંધ શેરીમાં વેપાર કરતા હોવા છતાં જગ્યા રોકાણ શાખા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે.રોકાણ શાખાના અધિકારીઑ દ્વારા દાદાગીરી કરી વેપારીઓના કાઠલા પકડી ધક્કા મૂકી કરી માર મારવામાં આવ્યો હતો.ત્યારે આ અંગે યોગ્ય પગલાં લેવા રજુઆત કરવા આવી હતી આ તકે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
કોર્પોરેશનના જગ્યા રોકાણ શાખાના અધિકારીઓની દાદાગીરી

TAGGED:
propertyinvestment, Rajkot, rmc
Follow US
Find US on Social Medias


