ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનને લેન્ડ કરવા માટેની ચાવીરૂપ તકનીકો દર્શાવવાના ઉદ્દેશ્ય સાથે બે મહિનાથી ઓછા સમયમાં ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાની તૈયારી
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણની તૈયારીમાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના છે. તે લેન્ડિંગ સાઇટની આસપાસના વિસ્તારોમાં ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક સાધનો વહન કરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનને લેન્ડ કરવા માટેની ચાવીરૂપ તકનીકો દર્શાવવાના ઉદ્દેશ્ય સાથે બે મહિનાથી ઓછા સમયમાં તેનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
- Advertisement -
ચંદ્રયાન-3 મિશન લેન્ડિંગ સાઇટની આસપાસના વિસ્તારમાં ચંદ્ર રેગોલિથના થર્મો-ફિઝિકલ પ્રોપર્ટીઝ (સપાટી પર રહેલ છૂટક અસંગઠિત ખડકો અને ધૂળનો પ્રદેશ), ચંદ્રની ધરતીકંપ, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા પર્યાવરણ અને મૂળ રચનાનો અભ્યાસ કરવા વૈજ્ઞાનિકો સાધનો વહન કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ આવતા નેશનલ સ્પેસ એજન્સીના બેંગ્લોર સ્થિત હેડક્વાર્ટરના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે, ચંદ્રયાન-3 મિશન જુલાઈના બીજા સપ્તાહમાં નિર્ધારિત છે.
શું કહ્યું ઇસરોનાં અધિકારીઓએ ?
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે લેન્ડર અને રોવર પરના આ વૈજ્ઞાનિક સાધનોનો અવકાશ ‘સાયન્સ ઓફ ધ મૂન’ની ‘થીમ’ને અનુરૂપ હશે, ત્યારે અન્ય પ્રાયોગિક સાધન ‘ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનું વિજ્ઞાન’ હશે. પોલરીમેટ્રિક સિગ્નેચર’ જે ‘સાયન્સ ફ્રોમ ધ મૂન’ થીમને અનુરૂપ છે. આ વર્ષે માર્ચમાં ચંદ્રયાન-3 અવકાશયાન સફળતાપૂર્વક જરૂરી પરીક્ષણો પૂર્ણ કર્યા.
#ISRO to launch Chandrayaan-3 on 12th July.#IADN pic.twitter.com/ykMkPp5bM0
- Advertisement -
— Indian Aerospace Defence News – IADN (@NewsIADN) May 21, 2023
ISROના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન, ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને તેની આસપાસની ભ્રમણકક્ષા સહિત તમામ તબક્કાઓની ક્ષમતાનું નિદર્શન કરે છે. આમાં લેન્ડર અને રોવર ગોઠવણીનો સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3 ચંદ્રયાન-2 જેવું દેખાશે
ISRO ચીફે તાજેતરમાં કહ્યું હતું કે, ચંદ્રયાન-3નો પ્રાથમિક ઉદ્દેશ્ય સંપૂર્ણ ઉતરાણ કરવાનો છે. તેના માટે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. આમાં નવા ટૂલ્સ બનાવવા, બહેતર અલ્ગોરિધમ્સ બનાવવા તેમજ નિષ્ફળતા મોડ્સની કાળજી લેવાનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 એ ભારતના ચંદ્રયાન પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આ ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 નો આગળનો ભાગ છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને તેનું પરીક્ષણ કરશે. તે ચંદ્રયાન-2 જેવું જ દેખાશે. તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હશે. ચંદ્ર મિશન કાર્યક્રમનું ત્રીજું અવકાશયાન ભારતના સૌથી ભારે પ્રક્ષેપણ વાહન GSLV Mk III થી શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.