200 હિન્દુ યુવતીઓના નિકાહ કરાવ્યા, રમખાણોમાં વપરાયું ફંડ
હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં મોટા ખુલાસા થયા બાદ વધુ એક ખુલાસો સામે આવ્યો છે ઉમર ગૌતમે 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું ખુલ્યું છે, યુપીની 200 યુવતીઓનું ધર્માંતર કરાવીને તેમના નિકાહ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે
અલગ અલગ ધર્મના 1 હજાર લોકોનું ધર્માંતરણ
વડોદરામા ચકચાર મચાવનાર હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં મોટા ખુલાસા થયા બાદ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. અગાઉ ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે હવે ઉમર ગૌતમે 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું ખુલ્યું છે..યુપીની 200 યુવતીઓનું ધર્માંતર કરાવીને તેમના નિકાહ કરાવ્યા હતા. એટલું જ નહીં અલગ અલગ ધર્મના 1 હજાર લોકોનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
યુપીમાં ધર્માંતરણ પ્રકરણમાં ફન્ડિંગ કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં યુપી ATSની તપાસમાં 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલ્યું.
- Advertisement -
દિલ્હીમાં રમખાણ અને પ્રદર્શનનોને પ્રોત્સાહન આપવા માટે હવલાકાંડાના નાણા વપરાયા હોવાનું ખુલ્યું છે. જેમાં ખોટા બિલો અને એન્ટ્રી પાડીને 60 કરોડ રૂપિયા ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ પણ વાપર્યા હતા.જેમાં હુસૈન મંસૂરી, ઉમર ગૌતમ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. જો વાત કરવામાં આવે તો SITની ટીમે 88 દિવસમાં 1860 પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં અબ્દુલ્લા ફેડડાવાલા સહિત 2ને વોન્ટેડ જાહેર કરાયા છે.